મહારાષ્ટ્રના (Maharashtra) પરભણી જિલ્લાના (Parbhani District) યશવંતવાડી દેવસ્થાનમાં (Yashwantwadi Devsthan) શનિવારે એક ખૂબ જ દર્દનાક અને મોટી દુર્ઘટના સર્જાઈ છે. પરભણી જિલ્લાના (Parbhani District) એક નિર્માણાધીન મારુતિ મંદિરના (Maruti Mandir) સભામંડપનો ભારે સ્લેબ (છજ્જુ) અચાનક તૂટી પડતાં આશરે 20 થી 25 શ્રદ્ધાળુઓ મલબા નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરાજકતા મચી ગઈ હતી.

શનિવાર હોવાથી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી
આ ભયાનક અકસ્માત પરભણી જિલ્લાના (Parbhani District) માનવટ તહેસીલ (Manvat Taluka) પાસે આવેલા પ્રસિદ્ધ યશવંતવાડી દેવસ્થાનમાં (Yashwantwadi Devsthan) થયો હતો. સ્થાનિક ધારાસભ્ય રાજેશ વિટેકરના (Rajesh Vitekar) જણાવ્યા મુજબ, આ પરભણી જિલ્લાનું (Parbhani District) સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળ છે, જ્યાં દર શનિવારે 25,000 થી 50,000 શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. શનિવારની ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બાંધકામનું કામ તે દિવસે બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ દર્શનાર્થે આવેલા લોકો તે જ પરિસરમાં હાજર હતા.

15 ફૂટ લાંબો સ્લેબ અચાનક તૂટી પડ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંદિરના (Mandir) સભામંડપનો આશરે 15 ફૂટ લાંબો અને 15 ફૂટ પહોળો સ્લેબ અચાનક જોરદાર અવાજ સાથે ધરાશાયી (Slab Collapsed) થયો હતો. સ્લેબ પડતાં જ ત્યાં હાજર લોકોમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને બચાવ દળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

જાનહાનિ અને ઘાયલોની વર્તમાન સ્થિતિ
પરભણીની (Parbhani) આ દુર્ઘટનામાં કુલ 27 લોકો કાટમાળની નીચે આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં 27 લોકોને રેસ્ક્યુ (Rescue) કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં (Hospital) મળીને કુલ 4 લોકોના મૃત્યુ થયા છે. 3 લોકો પરભણી જિલ્લા સિવિલ હોસ્પિટલમાં (Parbhani District Civil Hospital) સારવાર હેઠળ અને 20 ઈજાગ્રસ્તો આર.પી. મેડિકલ કોલેજમાં (R. P. Medical College) સારવાર હેઠળ છે.

બાંધકામની ગુણવત્તા પર ઉઠ્યા ગંભીર સવાલો
આ અકસ્માત બાદ મંદિર ટ્રસ્ટ (Mandir Trust) અને બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ધારાસભ્ય રાજેશ વિટેકરે (Rajesh Vitekar) જણાવ્યું કે: મંદિર સંસ્થાન પોતાના ફંડમાંથી આ સભામંડપનું નિર્માણ કરાવી રહ્યું હતું. આ કામ માટે બહારના રાજ્યોના કારીગરો રોકવામાં આવ્યા હતા અને બાંધકામમાં વપરાતો ખાસ પથ્થર પણ રાજસ્થાનથી (Rajasthan) મંગાવવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સભામંડપના જે થાંભલા ઊભા કરવામાં આવ્યા હતા, તેને લોક કરવામાં ક્યાંક વિલંબ થયો અથવા કામમાં બેદરકારી રહી ગઈ, જેના કારણે આ આખો સ્લેબ તૂટી પડ્યો.

પરભણી દુર્ઘટના ઉપર વડાપ્રધાન મોદીએ પ્રગટ કરી સંવેદના
આ દુખદ ઘટના અંગે વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પણ દુ:ખ તથા સંવેદના પ્રગટ કરી હતી. પોતાની સંવેદના પ્રગટ કરતા વડાપ્રધાને (Prime Minister) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરી હતી તેમાં લખ્યું કે, મહારાષ્ટ્રના (Maharashtra) પરભણીમાં (Parbhani) દિવાલ પડવાથી થયેલા જાનહાનિથી મને ખૂબ દુઃખ થયું છે. આ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
महाराष्ट्रात, परभणी येथे भिंत कोसळल्यामुळे झालेल्या जीवितहानीबद्दल अत्यंत दु:ख होत आहे. या दुर्घटनेत ज्यांनी आपल्या प्रियजनांना गमावले आहे, माझ्या संवेदना त्यांच्यासोबत आहेत. जखमींच्या प्रकृतीत लवकरात लवकर सुधार व्हावा, ही प्रार्थना: पंतप्रधान @narendramodi
— PMO India (@PMOIndia) June 20, 2026
પ્રશાસન દ્વારા હાલમાં ક્રેનની મદદથી કાટમાળ હટાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતુ જેથી કોઈપણ દબાયેલું ન હોય. આ સાથે જ સુરક્ષા નિયમોના ભંગ બદલ પ્રશાસને આ સમગ્ર મામલાની ઊંડી તપાસ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
