NTA ના 3 નિષ્ણાતો નીકળ્યા માસ્ટરમાઇન્ડ હોવાનો ખુલાસો સીબીઆઈએ કર્યો છે. નીટ-યુજી 2026 (NEET-UG 2026) પ્રશ્નપત્ર લીક (Paper Leak) મામલે સીબીઆઈએ (CBI) વિશેષ અદાલતમાં 13 આરોપીઓ વિરુદ્ધ આરોપપત્ર (Chargesheet) દાખલ કર્યું છે. તપાસ એજન્સીએ ડિજિટલ ફોરેન્સિક પુરાવાઓનો (Digital Forensic Proof) ઉપયોગ કરતા પુણેની (Pune) એક સોસાયટીના ‘એક્સેસ કંટ્રોલ એપ’ ના (Access Control App) રેકોર્ડને મહત્વનો પુરાવો બનાવ્યો છે. આનાથી એ સાબિત થયું કે પરીક્ષાથી બરાબર પહેલાં ઉમેદવાર અને તેમના વાલીઓ એનટીએ (NTA) નિષ્ણાતના ઘરે પહોંચ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (નીટ-યુજી 2026) ના પ્રશ્નપત્ર લીક (NEET Paper Leak) મામલે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સીબીઆઈએ (CBI) વિશેષ અદાલતમાં દાખલ કરેલા પોતાના આરોપપત્રમાં ડિજિટલ ફોરેન્સિક પુરાવાઓને ખૂબ જ મજબૂતીથી રજૂ કર્યા છે. આમાં સૌથી મહત્વનો પુરાવો પુણેની (Pune) તે રહેણાંક સોસાયટીનો ‘એક્સેસ કંટ્રોલ એપ’ રેકોર્ડ છે, જ્યાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) ના રસાયણ વિજ્ઞાન નિષ્ણાત (Chemistry Exprest) અને મુખ્ય આરોપી પી. વી. કુલકર્ણી (V P Kulkarni) રહેતા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ એપ દ્વારા સોસાયટીમાં આવવા-જવા વાળા મુલાકાતીઓનો ડિજિટલ બાયોમેટ્રિક રેકોર્ડ (Digital Biomatric Record) રાખવામાં આવે છે. સીબીઆઈના (CBI) જણાવ્યા અનુસાર, 3 મેના રોજ યોજાયેલી નીટ-યુજી પરીક્ષાથી થોડા જ દિવસો પહેલાં એપ્રિલ મહિનામાં કેટલાય ઉમેદવારો અને તેમના વાલીઓ કુલકર્ણીના ઘરે પહોંચ્યા હતા. કુલકર્ણીના મોબાઈલ CDR અને લોકેશન ડેટા પરથી પણ તે સમયે તેમની હાજરી ત્યાં જ નોંધાયેલી મળી, જેનાથી ઉમેદવારો સાથે તેમના સીધા સંપર્કની પુષ્ટિ થઈ ગઈ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચાર્જશીટમાં એનટીએના (NTA) ત્રણ વિષયના નિષ્ણાતોને બનાવાયા આરોપી
ચાર્જશીટમાં એનટીએના (NTA) ત્રણ વિષય નિષ્ણાતો- પી. વી. કુલકર્ણી (P. V. Kulkarni) (રસાયણ વિજ્ઞાન) (Chemistry), મનીષા ગુરુનાથ માંઢરે (Manisha Gurunath Mandhare) (જીવ વિજ્ઞાન) (Botany) અને મનીષા સંજય હવલદાર (Sanjay Hawaldar) (ભૌતિક વિજ્ઞાન) ને (Physics) મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. તેમના પર આક્ષેપ છે કે તેમણે પૈસાની લાલચમાં એનટીએની (NTA) પ્રશ્નપત્ર નિર્માણ પ્રક્રિયાની સુરક્ષા ખામીઓનો ફાયદો ઉઠાવ્યો. ઓખલા (Okhla) સ્થિત સુરક્ષિત પરિસરમાં પ્રશ્નપત્ર બનાવતી વખતે કુલકર્ણી કાગળના નાના-નાના ટુકડાઓ પર પ્રશ્નો લખીને કે યાદ રાખીને બહાર લાવતા હતા અને હોટેલ પાછા ફરીને તેમને ફરીથી લખી લેતા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાજસ્થાન અને હરિયાણા સુધી મોકલવામાં આવ્યા હતા પ્રશ્નપત્રો
આ પછી બ્યુટિશિયન મનીષા વાઘમારે (Manisha Waghmare) અને કોચિંગ સંચાલક શિવરાજ મટગાવકર (Shivraj Mategaonkar) જેવા દલાલોના નેટવર્ક દ્વારા આ પ્રશ્નો રાજસ્થાન (Rajasthan) અને હરિયાણા (Haryana) સુધી વેચવામાં આવ્યા. ઉમેદવારો પાસેથી જપ્ત કરાયેલી સામગ્રીનું જ્યારે દિલ્હી યુનિવર્સિટીની (Delhi Univesrsity) નિષ્ણાત સમિતિએ મિલાન કર્યું, તો જાણવા મળ્યું કે સેટમાં 85 ટકા સુધીના પ્રશ્નો એ જ હતા, જે આ આરોપીઓ દ્વારા લખાવવામાં આવ્યા હતા. સીબીઆઈની (CBI) આ વિગતવાર ચાર્જશીટે (Chargesheet) પરીક્ષા પ્રણાલીમાં (Exam System) પડેલા આ મોટા ગાબડાની પૂરી કડીને ખુલ્લી પાડી દીધી છે.
CBI बोली- NEET पेपर लीक साजिश महीनों पहले हुई: NTA एक्सपर्ट्स पेपर तैयार करते समय सवाल याद कर लेते थे, भास्कर ने 2 महीने पहले कर दिया था खुलासा https://t.co/8U64K0pFCs #CBI #NEET #paperleak pic.twitter.com/akDwRxHXrn
— Dainik Bhaskar (@DainikBhaskar) August 7, 2026
