અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) દાન ચોરી મામલે રોજેરોજ નવા નવા દાવા થઈ રહ્યા છે ત્યારે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) દાનના નાણાકીય પ્રબંધનમાં કથિત હેરાફેરીની તપાસ કરી રહેલી વિશેષ તપાસ દળ (SIT) એ મંગળવારે યુપી સરકારના (UP Government) અપર મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને પોતાનો પ્રારંભિક પ્રતિવેદન અહેવાલ સોંપી દીધો હોવાની જાણકારી તપાસ દળનું (SIT) નેતૃત્વ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રામ મંદિર દાન ચોરી મામલે અખિલેશે ફોડ્યો નવો બોમ્બ
રામ મંદિર ચઢાવા ચોરી (Ram Mandir Donation Theft) મામલે સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) વધુ એક ‘ધમાકો’ કર્યો છે. પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટમાં અખિલેશ યાદવે (Akhilesh Yadav) રામ મંદિરમાં (Ram Mandir) દાનમાં આપવામાં આવેલા ‘કાગભુશુંડિ’ ના (Kakbhushundi) ગાયબ થવાની વાત કહી છે. સાથે જ તેમણે એસઆઈટી (SIT) તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું કે ‘FIR વિના SIT એ તીર વગરની કમાન છે.’ જણાવી દઈએ કે એસઆઈટીએ (SIT) પોતાનો શરૂઆતી તપાસ અહેવાલ સરકારને સોંપ્યો છે અને આ અહેવાલમાં કોઈ પણ આરોપીને ક્લીનચિટ આપવામાં આવી નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દાનમાં આપવામાં આવેલા ‘કાગભુશુંડિ’ ગાયબ?
અખિલેશે કહ્યું, ‘હવે દાનમાં આપવામાં આવેલા ‘કાગભુશુંડિ’ ના (Kakbhushundi) ગાયબ થઈ જવાની નિંદનીય ખબર આવી છે. જે રીતે દરરોજ ‘ચઢાવા-ચંદા-દાન’ ચોરીનો નવો ભંડાફોડ થઈ રહ્યો છે અને સનાતની આસ્થાવાનોનો આક્રોશ વધતો જઈ રહ્યો છે, તેને જોઈને નેપાળ (Nepal) અને બાકીની બોર્ડર બંધ કરી દેવી જોઈએ, જેથી આરોપીઓ ફરાર ન થઈ શકે. જ્યારે અત્યારે ખુલાસા થઈ રહ્યા છે તો SIT ની તપાસ શું હાસિલ કરી લેશે અને ખાસ કરીને ત્યારે જ્યારે આ ‘તપાસ’ કરતાં વધુ ‘ઢાક’ (દેખાડા) માટે બની છે કે પછી ‘વાંટ’ (ભાગબટાઈ) માટે.’
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિશેષ તપાસ દળ (SIT) એ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો
અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) દાનના નાણાકીય પ્રબંધનમાં કથિત હેરાફેરીની તપાસ કરી રહેલી વિશેષ તપાસ દળ (SIT) એ મંગળવારે યુપી સરકારના અપર મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને પોતાનો પ્રારંભિક પ્રતિવેદન અહેવાલ સોંપ્યો હોવાની જાણકારી તપાસ દળનું (SIT) નેતૃત્વ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. એસઆઈટીના (SIT) અધ્યક્ષ અને લખનૌના (Lucknow) મંડળ આયુક્ત (Commissioner) ) વિજય વિશ્વાસ પંતે (Vijay Vishwas Pant) પત્રકારોને જણાવ્યું ‘આજે અમે શાસન દ્વારા ગઠિત ત્રણ સભ્યોની એસઆઈટીનો (SIT) તપાસ અહેવાલ અપર મુખ્ય સચિવ (ગૃહ) ને સોંપ્યો છે. આ એક પ્રારંભિક પ્રતિવેદન છે અને તે જ ક્રમમાં આજે તેને અપર મુખ્ય સચિવને સોંપી દેવામાં આવ્યો છે.’
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિજય વિશ્વાસ પંતે ફોન પર પીટીઆઈને શું કહ્યું?
રામ મંદિર (Ram Mandir) દાનના નાણાકીય પ્રબંધનમાં કથિત ઉચાપતથી જોડાયેલા સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે આ એક ગોપનીય તપાસ છે અને તેને જણાવવા માટે અમે આ સમયે અધિકૃત નથી. તેમણે કહ્યું કે જે અમારી તપાસ હતી, તે અમે ઉપલબ્ધ કરાવી દીધી છે. વિજય વિશ્વાસ પંતે (Vijay Vishwas Pant) ફોન પર પીટીઆઈ-ભાષાને (PTI Bhasha) જણાવ્યું કે, ‘અમે અયોધ્યા વિવાદ (Ayodhya Controversy) પર પોતાનો શરૂઆતી અહેવાલ સરકારને સોંપી દીધો છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ટીમ આગળની તપાસ માટે અયોધ્યા (Ayodhya) પાછી જશે, કારણ કે આજનો અહેવાલ શરૂઆતી છે, તો તેમણે કહ્યું કે ‘બિલકુલ, જરૂર પડવા પર અમે એવું કરીશું.’
અયોધ્યા (Ayodhya) રામ મંદિરમાં રામ મંદિર (Ram Mandir) દાન ચોરી મામલે પ્રતિદિન નવા નવા દાવા થઈ રહ્યા છે
FIR के बिना SIT ‘बिना तीर की कमान’ है।
— Akhilesh Yadav (@yadavakhilesh) June 24, 2026
अब दान में दिये गये ‘कागभुसुंडि’ के गायब हो जाने की निंदनीय ख़बर आई है। जिस तरह हर दिन ‘चढ़ावा-चंदा-दान’ चोरी का नया भंडाफोड़ हो रहा है और सनातनी आस्थावानों का आक्रोश बढ़ता जा रहा है, उसे देखकर नेपाल और बाक़ी बार्डर बंद कर देने चाहिए, जिससे… pic.twitter.com/tMkP7QSEAF
