વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવારે ત્રણ દિવસીય પ્રવાસે દ્વીપ દેશ સેશેલ્સ (Seychelles) પહોંચ્યા છે. રાજધાની વિક્ટોરિયામાં (Victoria) રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ (Patrick Herminie) તેમનું સ્વાગત કર્યું હતું. પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ (PM Modi) જણાવ્યું કે, સેશેલ્સ (Seychelles) ભારત માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી છે અને તેના ‘સાગર’ (SAGAR) વિઝનમાં એક અગ્રણી ભાગીદાર છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે ત્રણ દિવસીય પ્રવાસે દ્વીપ દેશ સેશેલ્સ (Seychelles) પહોંચ્યા છે. રાજધાની વિક્ટોરિયામાં (Victoria) રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ (Patrick Herminie) તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓએ નેશનલ બોટનિકલ ગાર્ડનમાં (National Botanical Garden) અલ્ડાબ્રા વિશાળ કાચબાઓને (Aldabra Giant Tortoise) ખોરાક ખવડાવ્યો હતો. પીએમ મોદી (PM modi) 29 જૂનના રોજ સેશેલ્સના 50મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે પણ ઉપસ્થિત રહેશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે, સેશેલ્સ (Seychelles) ભારત માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી છે અને તેના ‘સાગર’ (SAGAR) વિઝનમાં એક મુખ્ય ભાગીદાર છે. આ વર્ષે ભારત અને સેશેલ્સ વચ્ચેના સંબંધોના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ, લોકશાહી મૂલ્યો, વિવિધતા પ્રત્યે આદર અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર આધારિત છે.
ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રપતિ હર્મિનીની ભારત મુલાકાત બાદ, આ પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. બંને દેશો હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા, સમૃદ્ધિ અને વિકાસને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનારા પ્રથમ PM બનશે મોદી
પીએમ મોદીએ (PM modi) કહ્યું, “હું સેશેલ્સની (Seychelles) નેશનલ એસેમ્બલીને (National Assembly) સંબોધિત કરનારો પ્રથમ ભારતીય વડાપ્રધાન (Indian Prime Minister) બનીશ. આ તક બંને દેશોની મજબૂત લોકશાહી અને સંસદીય પરંપરાઓને ઉજાગર કરે છે. મને સેશેલ્સમાં (Seychelles) વસેલા ભારતીય સમુદાયને મળવાની પણ તક મળી, જેણે બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવી છે. મારું માનવું છે કે આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત-સેશેલ્સ જોડાણને વધુ ઊંડું કરવાનો, હિંદ મહાસાગરમાં દરિયાઈ સહયોગ વધારવાનો અને એક સુરક્ષિત, સંરક્ષિત તથા સમૃદ્ધ હિંદ મહાસાગર ક્ષેત્રના સહિયારા વિઝનને આગળ વધારવાનો છે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારત અને સેશેલ્સ (Seychelles) વચ્ચે સદીઓ જૂનો સંબંધ
ભારત અને હિંદ મહાસાગરના આ નાના એવા દેશ સેશેલ્સ (Seychelles) વચ્ચેના સંબંધો માત્ર વ્યૂહાત્મક નથી, તે 256 વર્ષ જૂના છે. જ્યારે 1770 માં અહીં પ્રથમ કાયમી વસાહત સ્થાપવામાં આવી હતી, ત્યારે ત્યાં પહોંચનારા 27 લોકોમાં પાંચ ભારતીયો પણ સામેલ હતા. પાછળથી, બિહાર (Bihar), તમિલનાડુ (Tamil Nadu) અને ગુજરાતમાંથી (Gujarat) મોટી સંખ્યામાં ભારતીયો પણ અહીં આવીને વસી ગયા.

સેશેલ્સના રાષ્ટ્રપતિના પૂર્વજો બિહારના હતા
આજે, સેશેલ્સની (Seychelles) 1,20,000 ની વસ્તીમાં લગભગ દર આઠમો નાગરિક ભારતીય મૂળનો (Indian Origin) છે. દેશના રાષ્ટ્રપતિ વેવેલ રામકલાવનનો (Wavel Ramkalawan) સંબંધ પણ બિહારના (Bihar) ગોપાલગંજ જિલ્લા સાથે છે. તેથી, મોદીના આ પ્રવાસથી બંને દેશો વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પૂર્વજો સાથે જોડાયેલા સંબંધોને નવી ગતિ મળવાની આશા છે.
Visited the Giant Tortoise Enclosure at the Seychelles National Botanical Garden with President Dr. Patrick Herminie.
— Narendra Modi (@narendramodi) June 27, 2026
The Aldabra Giant Tortoise, which is native to Seychelles, is among the largest and longest-living species on Earth, with some of them witnessing over two… pic.twitter.com/995s3bfawf
