પ્રસિદ્ધ લેખક, પત્રકાર તથા પ્રકાશક શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે આલેખાયેલી અદભૂત લેખમાળા
ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર તથા શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ પાંચ
અંગ્રેજોનો શ્રદ્ધાસ્થાનો પર હુમલો…
15 ઑગસ્ટ 1947 ના દિવસે ભારતના ભાગલા થયા. આ ભાગલાની કરુણ ઘટનાના ત્રણ મુખ્ય ખલનાયકો હતા. અંગ્રેજ, મુસ્લિમ લીગ અને ઇંડિયન નેશનલ કૉંગ્રેસ. પોતપોતાનાં લક્ષ્યોની હાંસલ કરવા માટે આ ત્રણે શક્તિઓએ કઇ કઇ રણનીતિ અને પ્રતિ-રણનીતિ અપનાવી ? આ ત્રિકોણિયા સંઘર્ષમાં કોણ જીત્યું અને કોણ હાર્યું ? તટસ્થ ભાવે આ બધી બાબતો પર વિચાર કરવામાં આવે તો રાષ્ટ્રના લાંબા અને ઉતાર ચઢાણવાળા ઇતિહાસના સૌથી વધુ નિર્ણાયક સમયગાળાનું સાચું અને સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ ઉપસી આવે છે. અંગ્રેજોએ આ ભૂમિ પર પગ મૂક્યો ત્યારથી જ ભારતીય ઇતિહાસ, પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગ્રેજોની સામે હતો. એને તેઓ ભૂલ્યા નો’તા. પોતાના ઘરથી લગભગ સાત હજાર માઇલ દૂર કોઇ પણ વિદેશી શક્તિ શું કેવળ હથિયારોના જોરે ભારતીય સામ્રાજ્યને ટકાવી શકે ? હિન્દુ 800 વર્ષના નિરંતર સંઘર્ષ પછી વિશાળ વિદેશી મુસ્લિમ સામ્રાજ્યને ઉખેડી ફેંકવા સફળ થયા હતા. અંગ્રેજો માટે એક જ માર્ગ બાકી રહેતો હતો કે પરંપરાગત હથિયારોનો સહારો લેવાને બદલે તેઓ હિન્દુઓના એકબીજા સાથેના ઝઘડાઓનો લાભ ઉઠાવે, એને ઓર ભડકાવે. એનો અમલ એમણે શરુઆતથી કરી દીધો. જો કે ભારતમાં એમણે પોતાનો પગદંડો સારી રીતે જમાવ્યો હતો, છતાં પણ 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની આગે તેમને હચમચાવી મૂક્યા હતા. આથી એમનો એકમાત્ર ઉદ્દેશ્ય રહ્યો કે હિન્દુઓમાં ફાટફૂટ પાડી એમને નપુંસક બનાવી દેવા. તેઓ સક્રિય બન્યા. સંયુક્ત પ્રાંત જેવા મોટાં મોટાં ક્ષેત્રોમાં 1857માં હિન્દુ અને મુસ્લિમ ટુકડીઓએ સાથે મળીને ‘વિદ્રોહ’ કર્યો હતો. ત્યાં
લશ્કરમાં તેમની ભરતી બંધ કરી દેવામાં આવી. આ ઉપરાંત એમણે હિન્દુઓને બે વર્ગમાં વહેંચી દીધા – ‘યોદ્ધા’ જાતિઓ અને ‘અયોધ્યા’જાતિઓ. જે પ્રદેશોમાં આ લડાઇમાં હિન્દુઓએ પોતાનું પરાક્રમ દેખાડ્યું હતું એમને ‘સૈનિક દ્રષ્ટિએ બેકાર’ કહીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ઇતિહાસકાર કે. એમ. પણિક્કરે કહ્યું છે: ‘અદ્વિતીય સૈનિક ક્ષમતા અને શૌર્ય દાખવનાર મરાઠાઓને યોદ્ધા તરીકે લેવાની ના પાડી દેવામાં આવી. કારણ કે તેઓ દેશ માટે પાગલ હતા અને એમને સમાજથી અલગ કરી શકાય એમ નહોતું. હિન્દુઓ અને મુસલમાનોમાંથી માત્ર કેટલીક ગણીગાંઠી જાતિઓને જ સૈન્યમાં ભરતી માટે લાયક ગણવામાં આવી. જેના પર સામ્રાજ્ય પ્રત્યેની સંપૂર્ણ નિષ્ઠા અંગે ભરોસો મૂકી શકાય એમ હતો એમને જ સેનામાં લેવામાં આવ્યા.
‘ભાગલા પાડો અને રાજ્ય કરો’ ની નીતિની ઝલક આ વર્ગોને અપાતી સગવડોમાં સ્પષ્ટ જોઇ શકાતી હતી.
અંગ્રેજો એક બાબતમાં તો જરાય ભ્રમમાં નહોતા કે વિવિધતાઓથી ભરેલા આ વિશાળ દેશના લોકો પર તેઓ હથિયારોના જોરે કાયમ રાજ કરી શકવાના નથી. એનો એક જ ઉપાય હતો કે એની સાંસ્કૃતિક પરંપરાઓ, શ્રદ્ધા કેન્દ્રો અને રાષ્ટ્રની આસ્થા પર કુઠારાઘાત કરવા, જેથી સ્વાતંત્ર્યની ઊર્જા-ધારા જ સુકાઇ જાય. આથી એમણે આ દિશામાં અત્યંત ઝડપથી આગળ ધપવાનું શરૂ કર્યું. લોકોમાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રગાઢ પ્રેમભાવ અને પોતાની મહાન સાંસ્કૃતિક પરંપરા પ્રત્યેની જે શ્રદ્ધા હતી એને નષ્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા.
અંગ્રેજોએ ભારતને એક મહાદ્વીપ અથવા ઉપમહાદ્વીપના તરીકે ચિતરવાનું શરુ કર્યું, એક અખંડ-એકાત્મ દેશ તરીકે નહિ. અંગ્રેજોની માન્યતા અનુસાર તો ‘હિન્દુઓમાં રાષ્ટ્રીય ભાવના કદી હતી જ નહિ. તેઓ તો અલગ અલગ અને પરસ્પર વિરોધી જાતિઓનાં માત્ર ઝુંડ હતાં. એમનામાં કોઇ પરસ્પર સમાનતા હતી જ નહીં, આથી એમને સમાન ઇતિહાસ અને સમાન પરંપરાઓવાળું એક રાષ્ટ્ર માની શકાય નહીં. અંગ્રેજ બૌદ્ધિકોએ એવો પ્રચાર શરુ કર્યો કે
અહીંના મૂળ નિવાસીઓને આર્ય આક્રમકોએ હરાવી દઇને પહાડો અને વનમોમાં ખદેડી દીધા હતા.’ આ પ્રમાણે દેશના સંપૂર્ણ ઇતિહાસને ઘોર અંધકાર, બર્બરતા અને અંધવિશ્વાસનોની ખાઇમાં ડૂબેલો ચિતરવામાં આવ્યો. જૂઠ્ઠાણાની ભરમાર શરુ કરી. ભારતના સદભાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકર જેવા પ્રકાંડ પંડિતે આર્યન થીયરીને સાવ બોગસ અને અંગ્રેજ બૌદ્ધિકોનું જુઠ્ઠાણું ગણાવ્યું.