ઈરાનના (Iran) નાતાન્ઝ પરમાણુ કેન્દ્ર (Natanz nuclear complex) પર ઈઝરાયલ (Israel) દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને કરેલા દાવા મુજબ ઈઝરાયેલના (Israel) હુમલાથી ઉપરછલ્લું નુકસાન પહોંચ્યુ છે, જોકે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ સંયુક્ત રાષ્ટ્રને જાણ કરી છે કે રેડિયેશન લીક થઈ રહ્યું છે. રેડિયેશન લિક થઈ રહ્યું હોવાના સમાચાર વચ્ચે એક બાબત એ છે કે આ લિકેજ આંતરિક છે અને તેને નિયંત્રિત કરી શકાય છે.
ઈરાનના (Iran) પરમાણુ ઠેકાણાઓ પરના હુમલા પછી પ્રત્યેક ક્ષણે મૃત્યુ ઈરાનના (Iran) દરવાજા પર ટકોરા મારી રહ્યું છે. ઈરાન (Iran) ભલે પરમાણુ રેડિયેશન લીક થવાનું નકારી રહ્યું હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) દ્વારા યુએનને આપવામાં આવેલી માહિતી હૈયુ કંપાવી દે તેવી છે.

ઈઝરાયલે (Israel) એક દિવસ પહેલા ઈરાનના (Iran) નાતાન્ઝ પરમાણુ ઠેકાણા (Natanz nuclear complex) પર હુમલો કર્યો હતો. ઈરાને કહ્યું હતું કે આ હુમલાથી ફક્ત ઉપછલ્લુ નુકશાન થયુ છે અને તેના કારણે પરમાણુ રેડિયેશન લીક થવાની કોઈ શક્યતા નથી. જોકે, હવે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ (Rafael Grossi) ઈરાનના આ જુઠ્ઠાણાને ઉઘાડુ પાડી દીધુ છે. ગ્રોસીએ સંયુક્ત રાષ્ટ્રને જાણ કરી છે કે ઈરાની પરમાણુ પ્લાન્ટ પર ઈઝરાયલના હુમલા પછી, બાહ્ય નહીં, પણ આંતરિક પરમાણુ કિરણોત્સર્ગ થઈ રહ્યો છે.
ઈરાનમાં (Iran) રેડિયેશન લિકેજ અંગે IAEAના વડા ગ્રોસીએ શું કહ્યું?
IAEA ના વડા ગ્રોસીએ જણાવ્યું હતું કે ઈઝરાયલે (Israel) ઈરાનના નાતાન્ઝ પરમાણુ ઠેકાણા (Natanz nuclear complex) પર હુમલો કર્યો હતો, જેનાથી તેનો ઉપરનો ભાગ નાશ પામ્યો હતો. આ હુમલાથી ભૂગર્ભમાં સંગ્રહિત યુરેનિયમ સંવર્ધનને નુકસાન થયું હોવાની શક્યતા ઓછી હતી, તેમ છતાં પરમાણુ કિરણોત્સર્ગ લીક થવાનો આરંભ થઈ ગયો છે. તેમના મતે, હુમલામાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે, એવી પણ સંભાવના છે કે સેન્ટ્રીફ્યુજ પ્રભાવિત થયા હોય અને તેના કારણે રેડિયેશન લીકેજ થઈ રહ્યું હોય.

રેડિયેશન લીકેજ નિયંત્રિત કરી શકાય તેમ છે
IAEA એ કહ્યું કે આ રેડિયેશન હજુ સુધી નાતાન્ઝ પરમાણુ કેન્દ્રની બહાર પહોંચ્યું નથી, પરંતુ તે આંતરિક રીતે સતત વધી રહ્યું છે. જોકે, ગ્રોસીએ કહ્યું કે જો હવે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો તેના ભયને ટાળી શકાય તેમ છે. તેમણે IAEA બોર્ડ ઓફ ગવર્નર્સને જણાવ્યું હતું કે તેમણે તમામ પક્ષોને સંયમ રાખવા કહ્યું છે. ગ્રોસીએ કહ્યું કે જો આવી કાર્યવાહી ચાલુ રહેશે તો ઈરાન માટે ગંભીર પરિણામો આવી શકે છે.
My statement to the @IAEAorg Board of Governors today on the situation in Iran.pic.twitter.com/oDUXA6nWlD
— Rafael Mariano Grossi (@rafaelmgrossi) June 13, 2025
ઈઝરાયલનું ઓપરેશન રાઇઝિંગ લાયન
ઈરાનના પરમાણુ પ્લાન્ટનો નાશ કરવા માટે ઈઝરાયલ દ્વારા ઓપરેશન રાઈઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યુ હતી. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાનો છે. આ ઓપરેશન હેઠળ, ઈરાનમાં ઘણા પરમાણુ અને લશ્કરી સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલો કરવા માટે 200 થી વધુ ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યા હતા. આ હુમલામાં IRGC કમાન્ડર હુસૈન સલામી અને ખામેનીના મુખ્ય સલાહકાર અલી શમખાની પણ માર્યા ગયા હતા.

ગ્રોસીએ ઉચ્ચારી ચેતવણી
ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠને દાવો કર્યો છે કે કોઈ લીકેજ થયું નથી, ઈરાનના પ્રવક્તા બેહરોઝ કમાલવંદીએ કહ્યું કે બધું બરાબર છે અને ટૂંક સમયમાં કામગીરી ફરી શરૂ થશે. જોકે, ગ્રોસીએ કહ્યું કે ઈરાની અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ઘણા પરમાણુ કેન્દ્રો પ્રભાવિત થયા છે. તેમણે એમ પણ કહ્યું કે આ ઘટનાક્રમ અત્યંત ચિંતાજનક છે. કોઈ પણ સંજોગોમાં કોઈપણ દેશના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવવા જોઈએ નહીં.
[…] એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, ઈરાન ઈઝરાયલ પર સતત મિસાઈલ હુમલા કરી રહ્યું […]