સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદના (UNSC) સુધારા પર ચર્ચા ફરી એકવાર છેડાઈ ગઈ છે, કેટલાક ઇસ્લામિક દેશોએ ધર્મ આધારિત કાયમી સભ્યપદની માંગણી ઉઠાવતા ભારતે સ્પષ્ટ કરતા કહ્યું કે ભારત ધર્મ આધારિત સદસ્યતાના પક્ષમાં નથી.
સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદમાં (UNSC) કેટલાક ઇસ્લામિક દેશો દ્વારા મુસ્લિમ દેશ માટે અનામતની માંગ ઉઠાવવામાં આવતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) સુધારા પર ચર્ચા ફરી એકવાર ગરમ થઈ ગઈ હતી. તુર્કી, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા જેવા દેશોની મુસ્લિમ દેશ માટે અનામતની માંગને ભારત – બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારત સહિતના દેશોના G4 જૂથ દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી હતી.
બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારત સહિતના દેશોના G4 જૂથના દેશોએ સ્પષ્ટતા કરી કે મુસ્લિમ દેશ માટે અનામતનો કોઈપણ પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રની મૂળભૂત ભાવના અને ઉદ્દેશ્યોની વિરુદ્ધ જતો હોવાથી તે સ્વીકારી શકાય નહીં.
भारत सहित #G4 के सदस्य देशों ने संयुक्त राष्ट्र सुरक्षा परिषद में धर्म के आधार पर सीटें आवंटित करने के प्रस्तावों का विरोध किया है।
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) April 16, 2025
परिषद में सुधार के लिए धार्मिक संबद्धता जैसे नए मापदंडों को पेश करने के प्रस्ताव संयुक्त राष्ट्र की स्थापित प्रथा के विपरीत हैं: @AmbHarishP #UNSC pic.twitter.com/fHjRTjznNx
સંયુક્ત રાષ્ટ્રસંઘ સલામતી પરિષદમાં (UNSC) ભારતે શું કહ્યું?
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હેરિસે મંગળવારે આંતર-સરકારી સંવાદ દરમિયાન G4 દેશોનો વલણ રજૂ કર્યો અને કહ્યું, “ધાર્મિક આધાર પર કાયમી સભ્યપદની માંગ સુરક્ષા પરિષદમાં (UNSC) સુધારાની પ્રક્રિયાને વધુ જટિલ બનાવશે. તે પ્રાદેશિક પ્રતિનિધિત્વના સિદ્ધાંતને પણ નબળો પાડશે.”
તુર્કી અને OIC ના પ્રસ્તાવને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો
તાજેતરમાં, એક ઇફ્તાર પાર્ટી દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને માંગ કરી હતી કે ઓછામાં ઓછા એક ઈસ્લામિક દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) કાયમી સભ્યપદ આપવામાં આવે. આ જ રીતે, પાકિસ્તાન અને ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) એ પણ આ માંગને ટેકો આપ્યો હતો.
જોકે, કોઈપણ દેશનું નામ લીધા વિના, ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધર્મ આધારિત દરખાસ્તો ન માત્ર ગેરબંધારણીય છે પણ તે વિશ્વ સમુદાયમાં એકતાને બદલે વિભાજનની લાગણી પણ પેદા કરશે.

G4 નું વલણ: સમાવિષ્ટ, લોકશાહી અને વ્યવહારિક સુધારા
G4 દેશો – ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન – લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં (UNSC) વ્યાપક સુધારાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યને જોતાં, સુરક્ષા પરિષદનું માળખું અને પ્રતિનિધિત્વ જૂનું થઈ ગયું છે અને તે આધુનિક વિશ્વનું સાચું ચિત્ર પ્રતિબિંબિત કરતું નથી. G4 દેશોએ માંગ કરી હતી કે સદસ્ય દેશોની સંખ્યા 5 થી વધારીને 11 કરવા જોઈએ તથા અસ્થાયી સદસ્ય દેશોની સંખ્યા 14 થી 15 કરવી જોઈએ આ ઉપરાંત નવા કાયમી સભ્યોમાં એશિયા-પેસિફિક, લેટિન અમેરિકા, આફ્રિકા અને પૂર્વી યુરોપના દેશોને ઉચિત પ્રતિનિધિત્વ આપવું જોઈએ.
પાકિસ્તાનને કડક ચેતવણી
ભારતીય પ્રતિનિધિએ સતત ભારતના સંભવિત કાયમી સભ્યપદનો વિરોધ કરી રહેલા પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું હતું. હારિસે કહ્યું કે પાકિસ્તાન માત્ર ભારતની વિરુદ્ધ જ નથી ઉભું પરંતુ સમગ્ર ઇસ્લામિક વિશ્વને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતે સ્પષ્ટતા કરી કે આ સુધારા કોઈ ચોક્કસ દેશ વિરુદ્ધ નથી પરંતુ લોકશાહી, ન્યાયી અને સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થા તરફ એક પગલું છે. આવી સ્થિતિમાં, કોઈપણ એક ધર્મને વિશેષ અધિકારો આપવા એ અન્યાયી અને અસ્વીકાર્ય છે.
