Buddha
Spread the love

ચીને (China) ડિસેમ્બર 2021 થી તિબેટમાં બુદ્ધ (Buddha) ત્રણ પ્રતિમાઓને વંશીય લઘુમતીઓ સામે અત્યાચાર કરતા ધ્વસ્ત, નષ્ટ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીન (China) સરકારે તિબેટીઓની ધાર્મિક પરંપરાઓને નષ્ટ કરવાના હેતુથી છ વર્ષ પહેલાં બાંધવામાં આવેલી તિબેટીયન બૌદ્ધ (Buddha) પ્રતિમા પદ્મસંભવને તોડી પાડી હતી.

શું છે બુદ્ધની (Buddha) મૂર્તિઓ ધ્વસ્ત કરવા પાછળ ચીની (China) સત્તાવાળાનો હેતુ?

બુદ્ધની પ્રતિમાઓ ધ્વસ્ત કરવા પાછળ ચીની (China) સત્તાવાળાનો હેતુ તિબેટીઓની બૌદ્ધ શ્રદ્ધા અને તિબેટી બૌદ્ધ પરંપરાઓને જાળવી રાખવાના તેમના અધિકારને નાબૂદ કરવાનો છે. ચીનના (China) તિબેટીયનો સામેના અમાનવીય કૃત્યો અને અત્યાચારી કાર્યવાહી તિબેટીયનોના સાંસ્કૃતિક નરસંહારના સીધા પગલાનો સંકેત આપે છે.

તિબેટ પ્રેસના મતે, જે રીતે આધ્યાત્મિક માન્યતાઓ અને શિક્ષણ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) ના સિદ્ધાંતો સાથે સુસંગત હોય તેવી રીતે તિબેટી બૌદ્ધ ધર્મનું “સિનિકાઇઝેશન” કરવાના વર્ષોથી સીસીપીના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે તિબેટમાં “સાંસ્કૃતિક ક્રાંતિ” જેવી પ્રવૃત્તિઓના પુનરુત્થાનને મોટા પરિપ્રેક્ષ્યમાં જોવાની આવશ્યકતા છે.

તિબેટ પ્રેસે જણાવ્યું હતું કે બૌદ્ધ સંગઠન નગાબા જેને ચીનીમાં આબા તરીકે ઓળખવામાં આવે છે તેની11મી પ્રીફેક્ચર પ્રતિનિધિ બેઠક 6 ડિસેમ્બર, 2021 ના ​​રોજ નેશનલ રીલિજીયસ વર્ક્સ કોન્ફરન્સ (NRWC) પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે યોજાઈ હતી.

રેડિયો ફ્રી એશિયાના અહેવાલમાં જણાવાયું છે કે, ચીની અધિકારીઓએ માત્ર 900 મીટર (2,700) દૂર 99 ફૂટ ઉંચી બુદ્ધની (Buddha) પ્રતિમા તોડી પાડી તેના એક જ અઠવાડિયા બાદ જાન્યુઆરીની શરૂઆતમાં ડ્રેગોમાં એક મઠમાં ત્રણ માળ જેટલી 40 ફૂટ ઉંચી બુદ્ધની (Buddha) પ્રતિમા તોડી પાડવામાં આવી હતી.

3 ઓક્ટોબર, 2019 ના રોજ લેવામાં આવેલી ચાનાંગ મઠની સેટેલાઇટ છબીમાં તથાગત બુદ્ધના પદ્મસંભવ સ્વરૂપની ત્રણ માળની ઊંચી પ્રતિમા દર્શાવતી હતી, પરંતુ 25 ફેબ્રુઆરી, 2022 ના રોજ લેવામાં આવેલી છબીમાં જમીન પર ગોળાકાર વર્તુળો દેખાતા હતા જે દર્શાવતા હતા કે ત્યાં આવેલી તથાગત બુદ્ધની પદ્મસંભવ સ્વરૂપની પ્રતિમા તોડી પાડવામાં આવી છે.

નિર્વાસિત તિબેટીએ કહ્યું કે,”જોકે પ્રતિમા તોડી પાડવાના કારણો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જે પ્રદેશમાં તિબેટી ધાર્મિક સ્થળોને તોડી પાડવાની ચીની સરકારની નીતિ દર્શાવે છે.”

તેવી જ રીતે, 12 ડિસેમ્બર, 2021 ના રોજ, ખામ ડ્રેગો ખાતે ગાડેન નામગ્યાલ લિંગ મઠમાં લગભગ 6 મિલિયન ડોલરની કિંમતની મૈત્રેય બુદ્ધની 99 ફૂટ ઊંચી પ્રતિમા, 44 પ્રાર્થના ચક્રો અને હજારો પ્રાર્થના ધ્વજ સાથે તોડી પાડવામાં આવી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી ચીની સ્ત્તાવાળાઓ દ્વારા તિબેટમાં બૌદ્ધ સંસ્કૃતિને નષ્ટ-ભ્રષ્ટ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *