Spread the love

  • ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ISRO ) ની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ
  • ભારતીય સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NAVIC ને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી.
  • ભારતીય સ્વદેશી નેવિગેશન સિસ્ટમ 1500 કિલોમીટર સુધીના વિસ્તારને આવરી લે છે.

ISRO ના સિદ્ધિગુચ્છમાં એક ઓર સફળતા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO ની અદ્વિતીય સિદ્ધિને આજે અનેકવારની જેમ ફરીથી આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી છે. ISRO દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NAVIC ને આંતરરાષ્ટ્રીય મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન ( IMO ) એ માન્યતા આપી દીધી છે. આંતરરાષ્ટ્રીય મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત થતા ભારત વિશ્વમાં ચોથો દેશ બન્યો છે. IMO ની તાજેતરમાં જ મળેલી બેઠકમાં IMO ની મેરીટાઈમ સેફ્ટી કમિટીએ ભારતની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ NAVIC ને માન્યતા, સ્વીકૃતિ આપી હતી.

વિશ્વમાં ભારત ચોથો દેશ અને ઈયુ ગણતા પાંચમો દેશ

ભારતીય સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NAVIC ને આંતરરાષ્ટ્રીય માન્યતા મળતા ભારત પોતાની નેવિગેશન સિસ્ટમ ધરાવતો વિશ્વનો ચોથો દેશ અને યુરોપિયન યુનિયનને દેશ ગણતા પાંચમો દેશ બન્યો છે. સમગ્ર વિશ્વમાં પોતાની આગવી સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ધરાવતો દેશ બનવાની સિદ્ધિ હાંસલ કરવા માટે ભારતને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જોકે પોતાની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ હોવી જોઈએ આ વિચાર પણ કારગિલ યુદ્ધના સમયે અમેરિકા દ્વારા પોતાની નેવિગેશન સિસ્ટમ GPS નો ઉપયોગ નહી કરવા દેવાતા જે પડકાર ઉભો થયો હતો એનો જ ઈસરોના પ્રતિભાવંત વૈજ્ઞાનિકોએ વિશ્વને તથા એક માત્ર વૈશ્વિક મહાસત્તા અમેરિકાને આપેલો જડબાતોડ જવાબ ગણી શકાય છે.

કયા દેશો પોતાની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ધરાવે છે

વિશ્વમાં અમેરિકાની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ જેનું નામ Global Positioning System ટુંકમાં GPS નાં નામે ઓળખાય છે તે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. અમેરિકા સિવાય રશિયા પોતાની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ધરાવે છે જેનું નામ Glonass છે. ચીન પણ પોતાની આગવી સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ધરાવતો દેશ છે, ચીનની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમને Beiduo અથવા BDS નાં નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વમાં ભારત ચોથો દેશ છે જે પોતાની આગવી સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ધરાવે છે જેને NAVIC અથવા IRNSS તરીકે ઓળખવામાં આવે છે. આ ચાર દેશો સિવાય યુરોપિયન યુનિયન પણ પોતાની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ Gallileo નામે ધરાવે છે.

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NAVIC

GPS એ વૈશ્વિક નેવિગેશન સિસ્ટમ છે જે 31 ઉપગ્રહોના અવકાશી જાળા દ્વારા સંચાલિત થાય છે. ભારતીય સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ NAVIC એ ભારતીય ઉપખંડમાં ISRO દ્વારા 7 ઉપગ્રહોની જાળ બિછાવીને સંચાલિત કરવામાં આવી રહી છે. ભારતીય નેવિગેશન સિસ્ટમના સાત ઉપગ્રહો અનુક્રમે જુલાઈ 2013, એપ્રિલ 2014, ઑક્ટોબર 2014, માર્ચ 2015, જાન્યુઆરી 2016, માર્ચ 2016 તથા એપ્રિલ 2016 માં અવકાશમાં તરતા મુકવામાં આવ્યા હતા. ભારતની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ એ પોતાના વિસ્તારના ઉપયોગ પુરતી વિકસાવાઈ છે. ભારતીય સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ હોવી જોઈએ એવો સૌપ્રથમ વિચાર કારગિલ યુદ્ધ વખતે અમેરિકાએ પોતાની GPS સિસ્ટમનો ઉપયોગ ભારતીય સેનાને ન કરવા દીધો ત્યારે આવ્યો હતો અને કદાચ એનું આયોજન તથ યોજના તૈયાર કરવામાં આવી હતી. ભારતીય સ્વદેશી સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમને વિકસાવવા માટે આશરે કુલ 1420 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ અને ફાયદા

ભારતીય સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ NAVIC નું સાત ઉપગ્રહોનું જાળું હિંદ મહાસાગરના 1500 કિલોમીટર જેટલા વિસ્તાર ઉપર પોતાની આંખ જમાવી રાખે છે. સમુદ્રમાંથી પસાર થતા વહાણો માટે દિશા શોધન તથા દિશા નિર્દેશન માટે સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ વાપરવી ફરજિયાત હોય છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળના જહાજોની દિશા તથા સ્થાન ગુપ્ત રાખવાની જરૂર પડે ત્યારે ભારતની પોતાની આગવી સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ઘણા ઉપયોગમાં આવી શકે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.