મોબાઈલ (Mobile) આજકાલ જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે અને વર્તમાનમાં દેશભરમાં ચોમાસુ (Monsoon) જામતુ જાય છે. વરસાદની ૠતુમાં મોબાઈલ (Mobile) ફોન પલળી જાય કે એમાં પાણી જતુ રહે એવી ઘટના બનતી હોય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વરસાદી વાતાવરણમાં જો મોબાઈલ (Mobile) ફોન પલળી જાય કે તેમાં પાણી જાય તો શું કરવું અને શું ન કરવુ જોઈએ?
મોબાઈલ ફોન વરસાદમાં પલળી, ભીંજાઈ જાય તે સ્થિતિમાં ઘણા લોકો તરત ફોન ચાલુ કરવાનો કે સુકવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, પરંતુ આમ કરવુ નુકસાનકારક થઈ શકે છે, આ નાની ભૂલથી ફોન હંમેશા માટે બગડી જવાનું જોખમ છે.

શું ન કરવુ જોઈએ?
મોબાઈલ (Mobile) ફોન ભીંજાઈ જાય કે તેમાં પાણી ગયું છે એવુ લાગે ત્યારે ઘણા પોતાના ફોનને તરત ચાલુ કરી ચેક કરવાનો પ્રયાસ કરે છે કે ફોન કામ કરી રહ્યો છે કે નહીં. ફોન તરત ચાલુ કરવો જોખમી સાબિત થઈ શકે છે કારણ કે પાણીને કારણે ફોનમાં શૉર્ટ સર્કિટ થવાની સંભાવના છે જેનાથી ફોન બગડી શકે છે. આ સ્થિતિમાં મોબાઇલ ફોન તરત સ્વિચ ઓફ કરી દેવો જોઈએ.
મોબાઈલ (Mobile) ફોનમાં પાણી ગયું હોય અને ફોન ચાલુ ન થતો હોય તો કેટલાક લોકો ફોન ચાર્જ પરંતુ આ જોખમી પગલુ છે. ચાર્જિંગ વખતે ફોનમાં રહેલુ પાણી વીજ કરંટના સંપર્કમાં આવતા ફોન અને ચાર્જર બંનેમાં શૉર્ટ સર્કિટ થઈ શકે છે. આથી તમારો મોંઘો ફોન બગડી શકે છે. શારિરીક નુકસાન પણ થઈ શકે છે તેથી મોબાઈલ ફોન ચાર્જ થવા મુકવો જોઈએ નહી.

મોબાઈલ ફોન પલળી, ભીંજાઈ ગયો હોય તો કેટલાક લોકો ફોન સુકવવા માટે હેર ડ્રાયર કે હીટરનો ઉપયોગ કરતા હોય છે. આમ કરવું પણ જોખમકારક બની શકે છે. હેર ડ્રાયર અને હીટર ખુબ ગરમ હવા છોડતા હોય છે જેની ગરમીથી ફોનના આંતરરાષ્ટ્રીય પાર્ટ્સને નુકસાન થઈ શકે છે. મોબાઈલ ફોનમાં કેટલાક ખુબ જ સંવેદનશીલ પાર્ટ્સ પીગળી શકે છે અને સ્ક્રીન તથા બેટરીને પણ નુકસાન થઈ શકે છે. તેથી હેર ડ્રાયર કે હીટરનો ઉપયોગ કરવો જોઈએ નહી.

વરસાદની ૠતુમાં મોબાઈલ (Mobile) ફોન સાચવવા શું કરવુ જોઈએ?
વરસાદની ૠતુમાં મોબાઈલ (Mobile) ફોનમાં પાણી ન જાય કે ન પલળી જાય તે માટે ફોન માટે વોટરપ્રૂફ પાઉચ કે કવર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. બહાર ફરતી વખતે જેકેટ કે બેગના અંદરના ભાગમાં ફોન રાખવો જોઈએ. એ બાબત સ્મરણમાં રાખવી જોઈએ કે મોબાઈલ Water Resistant છે તે સંપૂર્ણ વોટરપ્રૂફ નથી તેથી જ્યાં સુધી સંભવ હોય મોબાઈલ ન ભીંજાય તેની તકેદારી રાખવી જોઈએ.

ફોનમાં પાણી જાય તો ભેજ ન હોય એવી ખુલ્લી હવામાં મૂકી દવાથી નુકસાન થવાની સંભાવના ઘટે છે. સાદા પંખાની ઝડપ વધારી તેની નીચે/સામે પણ મુકી શકાય. પણ ચલાવી શકો છો. જો ફોનમાં વધુ પાણી જતું રહ્યું હોય તો તેને ચોખાની થેલીમાં ભેજ શોષાઈ જાય તેટલા સમય મૂકી શકાય કારણકે ચોખા ભેજને ઝડપથી શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
બધા જ પ્રકારનું ધ્યાન રાખવા છતાં ફોન ચાલુ ન જ થઈ રહ્યો હોય કે યોગ્ય રીતે કામ ન કરી રહ્યો હોય તો મોબાઈલ ફોન કંપનીના સર્વિસ સેન્ટર પર લઈ જવાથી યોગ્ય રીતે રીપેર થઈ શકે છે.
મોબાઈલ (Mobile) ફોન વરસાદમાં ફોન ભીંજાઈ જાય તો ઉતાવળ કરવાની જગ્યા એ સમજદારીપૂર્વક પગલાં ભરવાથી સ્માર્ટફોનને નુકસાનથી બચાવી શકાય છે. મોબાઈલ ફોનમાં પાણી ગયુ હોય તો ફોન તરત બંધ કરવો, ચાર્જ ન કરવો અને સુકાવવા માટે સાવધાની રાખવી. જો જરૂર હોય તો કંપનીના સર્વિસ સેન્ટર ની મદદ લેવી સૌથી યોગ્ય ઉપાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો