ઈસરો (ISRO) અને JAXA ની બેઠક: ચંદ્રયાન-5 મિશનમાં (Chandrayaan-5 Mission) ભારતની સાથે જાપાનની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. લોન્ચ વ્હીકલ જાપાનનું હશે અને લેન્ડર ઈસરોનું હશે, જેની અંદર એક જાપાની રોવર હશે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારત અને જાપાન સંયુક્ત રીતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. ચંદ્રયાન-5/LUPEX મિશન પર ઈસરો (ISRO) અને જાપાન સ્પેસ એજન્સી JAXA વચ્ચે 13-14 મેના રોજ બેંગલુરુમાં ત્રીજી ટેકનિકલ મીટિંગ (TIM-3) યોજાઈ હતી. આમાં, મિશન, લોન્ચ પ્લાન અને રોવર-લેન્ડર ઈન્ટરફેસની તમામ ટેકનિકલ વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. ઈસરોએ (ISRO) ગુરુવારે આ મહત્વપૂર્ણ બેઠક વિશે માહિતી શેર કરી હતી.
ISRO-JAXA Strengthen Ties in Bengaluru for Chandrayaan-5/LUPEX Mission
— Dino News (@dinonewz) May 16, 2025
In a strategic leap toward lunar exploration, ISRO and JAXA held their third Technical Interface Meeting in Bengaluru, aligning their efforts on the upcoming Chandrayaan-5/LUPEX mission. The session focused on… pic.twitter.com/9SiS4Ui6VC
આ બેઠકમાં ઈસરો (ISRO), JAXA અને જાપાનના મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝ (MHI) ના વરિષ્ઠ અધિકારીઓ, ટેકનિકલ ટીમ અને પ્રોજેક્ટ લીડર્સ ઉપથિત રહ્યા હતા. આ મિશનમાં જાપાનના H3-24L લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે, જે ઈસરો દ્વારા બનાવેલા લેન્ડરને ચંદ્ર પર લઈ જશે. આ લેન્ડર મિત્સુબિશી દ્વારા બનાવેલ જાપાની રોવર લઈ જશે, જે ચંદ્રની સપાટી પર સટીક અભ્યાસ કરશે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
ચંદ્રયાન-5 ને ભારતનું અત્યાર સુધીનું સૌથી જટિલ અને મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન માનવામાં આવી રહ્યું છે. આ મિશન ભારતના અવકાશ મિશનને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

શું છે ઈસરોના ચંદ્રયાન-5 મિશનનું લક્ષ્ય?
ISRO અનુસાર, ચંદ્રયાન-5 નો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સ્થિત ‘કાયમી છાયાવાળા પ્રદેશ’ (PSR) માં હાજર અસ્થિર તત્વો (volatile), ખાસ કરીને પાણીના બરફને શોધવા અને તેનું વિશ્લેષણ કરવાનો છે. આ વિસ્તાર હજુ પણ વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય છે અને ભવિષ્યના મુન-બેઝ માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મિશનમાં વૈજ્ઞાનિક સાધનો ISRO, JAXA, NASA, ESA એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવશે. બધા ઉપકરણો એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે જેથી તે ચંદ્રની સપાટી પર હાજર વાયુયુક્ત પદાર્થોનો સ્થળ પર અભ્યાસ કરી શકે.

ISROના વૈજ્ઞાનિક સચિવ એમ ગણેશ પિલ્લઈએ બંને ટીમોને અત્યાર સુધીની તકનીકી પ્રગતિ માટે અભિનંદન આપ્યા અને કહ્યું કે આ સહયોગી પ્રયાસ ન માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિઓ માટે મહત્વપૂર્ણ રહેશે પરંતુ આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું ઉદાહરણ પણ સ્થાપિત કરશે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઈસરો સાયન્સ પ્રોગ્રામ ઓફિસ ડિરેક્ટર તીર્થ પ્રતિમ દાસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લેન્ડિંગ સાઇટ પસંદગી, પેલોડ ઑપ્ટિમાઇઝેશન, મિશન ડિઝાઇન, ગ્રાઉન્ડ સેગમેન્ટ અને કોમ્યુનિકેશન સંબંધિત મુખ્ય સીમાચિહ્નો હાંસલ કરવામાં આવ્યા છે.

ઈસરોએ લોન્ચ કર્યો બીજો ઉપગ્રહ
ચંદ્રયાન-5 ભવિષ્યમાં એક મોટી છલાંગ છે, ત્યારે ISRO એ તાજેતરમાં NVS-02 નેવિગેશન સેટેલાઇટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકીને વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ISROનું 100મું પ્રક્ષેપણ હતું, જે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV-F15 રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ ભારતની ‘નેવિક’ સિસ્ટમને મજબૂત બનાવશે, જે અમેરિકાની જીપીએસ, ચીનની બેઈડો અને યુરોપની ગેલિલિયો જેવી વૈશ્વિક નેવિગેશન સિસ્ટમ્સની સમકક્ષ છે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો