તાજેતરમાં ઈસ્લામાબાદ ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન મુહમ્મદ ઈશાક ડાર વચ્ચેની તાજેતરની બેઠક બાદ ભારત સંભવતઃ પાકિસ્તાનનો પ્રવાસ કરે તેવી ચર્ચા થઈ હતી.
આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા ભારતે પાકિસ્તાન જવાનો નનૈયો ભણી દીધો છે
અંગ્રેજી દૈનિક ઈન્ડિયન એક્સપ્રેસ ના જણાવ્યા મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે તાજેતરના સંદેશાવ્યવહારમાં ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના નિર્ણય માટે ટીમની સુરક્ષા અંગે ચિંતા વ્યકત કરી હતી અને ભારતની તમામ રમતો દુબઈમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
જાણીતા એક સ્ત્રોતે જણાવ્યું હતું. “આ આપણું વલણ રહ્યું છે અને તેને બદલવાનું કોઈ કારણ નથી. અમે તેમને પત્ર લખ્યો છે અને આપણી મેચો દુબઈમાં શિફ્ટ કરવા કહ્યું છે”
19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન રમાનારા ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ક્રિકેટ મહાકુંભમાં વિશ્વની આઠ ટીમો ભાગ લેવાની છે. પાકિસ્તાનના કરાચી, લાહોર અને રાવલપિંડી યજમાન શહેરો છે. જાણકાર સુત્રો કહે છે કે BCCI “સરકાર સાથે પરામર્શ કરીને” પાકિસ્તાન પર તેના સ્ટેન્ડને વળગી રહ્યું છે. ગયા વર્ષે યજમાન પાકિસ્તાનના દબાણ છતાં એશિયા કપ પહેલા ભારત પોતાની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવામાં સફળ રહ્યું હતું.
તાજેતરમાં ઈસ્લામાબાદ ખાતે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન મુહમ્મદ ઇશાક ડાર વચ્ચે ગયા મહિને થયેલી મીટીંગ બાદ બન્ને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધો સામાન્ય થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
અનેક વિવાદોનો ભૂતકાળ ધરાવતા બન્ને રાષ્ટ્રો વચ્ચે 2015 પછી આ સ્તરની સીધી વાતચીત પ્રથમ વખત થઈ હતી. આ સૌહાર્દપૂર્ણ મીટિંગ પછી ક્રિકેટ સંબંધો ફરી શરૂ થવાની અટકળો કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે પાકિસ્તાનના ગૃહ પ્રધાન અને PCBના અધ્યક્ષ સૈયદ મોહસિન રઝા નકવી પણ આ બાબત જાણતા હતા. રાજદ્વારી કોરિડોરમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે એવી હવા ઉભી થઈ હતી.
પીસીબી પણ ભારતને મનાવવા નમતું જોખતુ હોય તેવું લાગતું હતું. પાકિસ્તાન બોર્ડે દરેક મેચ બાદ ભારતીય ટીમને ભારત પરત ફરવાનો વિકલ્પ પણ BCCI ને આપ્યો હતો. આગામી દિવસોમાં બંને બોર્ડ ફરી ઘર્ષણ શરૂ થશે એવું લાગી રહ્યું છે.
ભારત કદાચ ICC 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં જાય એવા રીપોર્ટ આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મૌન તોડ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસિન નકવીએ શુક્રવારે (8 નવેમ્બર) ના રોજ જણાવ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ભારત તરફથી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તરફથી કોઈ ઔપચારિક સુચના મળી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ભારતને પાકિસ્તાનના પ્રવાસ અંગે કોઈ ચિંતા હોય તો PCB ને લેખિતમાં જાણ કરવી જોઈએ.
આગળ બોલતા નકવીએ કહ્યું, “હું હજુ પણ ખૂબ જ સકારાત્મક છું. ક્રિકેટન અને રાજનીતિની ભેળસેળ ન થવી જોઈએ. જોકે આગલ સમય જ કહેશે કે આ બાબત આગળ શું થાય છે.”