Ghar Wapsi
Spread the love

શુક્રવાર 18 એપ્રિલના રોજ, વસઈમાં 506 ધર્માંતરિત પરિવારોએ પોતાના સ્વધર્મ હિન્દુ ધર્મમાં ઘર વાપસી (Ghar Wapsi) કરી છે. શિરસાદમાં સ્વામી નરેન્દ્રચાર્ય સંસ્થાનની મુંબઈ શાખા આયોજિત કાર્યક્રમમાં સમગ્ર હિન્દુ સમુદાયે તેમનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું.

લાલચ, ધાક-ધમકીથી કરાવાય છે ધર્માંતરણ

પાલઘર જિલ્લો આદિવાસી બહુલ માનવામાં આવે છે. અહીં દૂર-સૂદૂરના ગામડાઓમાં રહેતા આદિવાસી સમુદાયમાં હજુ પણ શિક્ષણ, માળખાગત સુવિધાઓ અને બદલાતી જીવનશૈલીનો અભાવ છે. આ કારણે, તેમની નિર્દોષતા, ભોળપણ, અને અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે અને તેમને વિવિધ પ્રકારની વસ્તુઓથી લલચાવીને બીજા ધર્મમાં ધર્માંતરિત કરવામાં આવે છે.

ઘર વાપસી (Ghar Wapsi) માટે મહાઅભિયાન

હિન્દુઓને તમામ પ્રકારની લાલચ અને છેતરપિંડીઓથી લલચાવીને, તેમની અજ્ઞાનતા અને ગરીબીનો લાભ લઈને, સનાતન હિન્દુ ધર્મ વિશે ખોટી માહિતી ફેલાવીને અને ઘણીવાર ધમકી આપીને તેમનો ધર્મ બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આનાથી સનાતન હિન્દુ ધર્મને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જોકે, આવા ધર્માંતરિતોની ઘર વાપસી (Ghar Wapsi) કરાવીને પાછા હિન્દુ ધર્મમાં લાવવામાં, સ્વીકારવામાં આવી રહ્યા છે. જગદગુરુ રામાનંદાચાર્ય નરેન્દ્રચાર્ય મહારાજના માર્ગદર્શન હેઠળ આવા પરિવારોને ઘર વાપસી (Ghar Wapsi) કરવા માટે એક મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

શુક્રવારે 18 એપ્રિલના રોજ શિરસાડ (વસઈ) ખાતે આવો જ એક સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ધર્માંતરિત થયેલા 506 પરિવારોએ ઘર વાપસી કરતા પોતાનો સ્વધર્મ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. આ મહાઅભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 51 હજાર 278 લોકોને ઘર વાપસી (Ghar Wapsi) કરાવીને તેમના સ્વધર્મ હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા છે.

ઘર વાપસી (Ghar Wapsi) કરનારને સહાયતા

લગભગ પાંચ વર્ષ પહેલાં આ જ “પાલઘર” માં નિર્દોષ સાધુઓની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, તે જ પાલઘરમાં ખ્રિસ્તી ધર્માંતરિત થયેલાની “ઘરવાપસી” ચોક્કસપણે હિન્દુ ધર્મમાં વધતી જતી એકતાનું પ્રતીક છે.

જગદગુરુ નરેન્દ્રચાર્ય મહારાજે કહ્યું, “મિશનરીઓ હિન્દુઓને વિવિધ પ્રકારની લાલચ આપીને ધર્માંતરણ કરાવે છે. તેઓ તેમના મૂળ નામ બદલતા નથી. ધર્માંતરિત થયેલા લોકો પોતાની હિન્દુ ધર્મની પૂજા પદ્ધતિ બદલાતા પોતાને દોષિત અનુભવતા હતા તેઓ અમારી પાસે આવ્યા હતા. તેથી જ અમે તેમને તેમની પોતાની જૂની પૂજા પદ્ધતિ શરૂ કરાવી છે.”

આ કાર્યક્રમ પાલઘરના એક ફૂડ કોર્ટ આયોજીત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ડો.હેમંત સાવરા અને આરએસએસના પ્રચારક રમેશ ઓઝે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં પાલઘર, નાસિક અને ગુજરાતના ધર્માંતરિત પરિવારોને ઔપચારિક રીતે ઘર વાપસી કરાવવામાં આવી હતી અને તેમના સ્વધર્મ હિન્દુ ધર્મમાં દીક્ષા આપવામાં આવી હતી. આ અનુષ્ઠાન ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. ગૌ પૂજા અને હોમ-દાન જેવા અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સૌ ભાઈઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પછી જગદગુરુ નરેન્દ્રચાર્ય મહારાજે સૌને માર્ગદર્શન આપ્યું હતું.

ઘર વાપસી બાદ પોતાના સ્વધર્મ હિંદુ ધર્મમાં પરત ફરવાને કારણે સંબંધિત પરિવારોને સામાજિક બહિષ્કાર અથવા અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ વાતથી સૂપેરે પરિચિત નરેન્દ્ર મહારાજનો આશ્રમ તેમને નોકરી, શિક્ષણ, રહેઠાણ અને સમુદાય સ્વીકૃતિ મેળવવામાં મદદ કરે છે. આ સહયોગ તેમના કાર્યને વધુ અસરકારક બનાવે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *