સોનમે (Sonam) કરેલી પતિની હત્યાના ષડયંત્રની ચર્ચાઓ હજુ ચાલી જ રહી છે ત્યાં મહારાષ્ટ્રમાંથી રાજા રઘુવંશી (Raja Raghuvanshi) જેવો જ એક હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના 3 મહિના બાદ એક પત્નીએ તેના પતિની હત્યા કરી દીધી છે. અહીં પત્નીએ પતિ પર કુહાડીથી હુમલો કર્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વર્તમાન દિવસોમાં આખો દેશ ઇન્દોરના રાજા રઘુવંશી (Raja Raghuvanshi) હત્યા કેસની ચર્ચા કરી રહ્યો છે. સોનમ રઘુવંશીએ (Sonam Raghuvanshi) લગ્નના થોડા મહિના પછી જ તેમના હનીમૂન દરમિયાન તેના પતિની હત્યા કરાવી દીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સોનમે (Sonam) પોતાનો ગુનો કબૂલ કર્યો અને સમગ્ર ષડયંત્ર વિશે જણાવ્યું હતું. ત્યારે મહારાષ્ટ્રની રાધિકાના લગ્ન ફક્ત 3 મહિના પહેલા જ થયા હતા અને રાધિકાએ (Radhika) તેના પતિ પર કુહાડીથી હુમલો કર્યો.

સોનમની (Sonam) ચર્ચાઓ વચ્ચે રાધિકાએ પતિ પર કર્યો કુહાડીથી હુમલો
આ મામલો મહારાષ્ટ્રના સાંગલીનો છે. કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે મૃતક અનિલ લોખંડે અને રાધિકા લોખંડેના (Radhika Lokhande) લગ્ન માત્ર 3 મહિના પહેલા જ થયા હતા. પહેલા બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ પછી એક દિવસ બંને વચ્ચે નાનો ઝઘડો થયો. જોતજોતામાં ઝઘડો એટલો વધી ગયો કે રાધિકાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. રાધિકા તેના પતિ અનિલ પર એટલી ગુસ્સે હતી કે તેણે અનિલ સૂતો હતો ત્યારે તેના પર કુહાડીથી હુમલો કર્યો. આ હુમલામાં અનિલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પોલીસે આરોપી પત્ની રાધિકાની ધરપકડ કરી છે.

महाराष्ट्र से भी राजा रघुवंशी जैसा एक हत्याकांड सामने आया
— Pooja Mishra (@PoojaMishr73204) June 12, 2025
राधिका ने शादी के 3 महीनों के बाद ही अपने पति को मौत के घाट उतार दिया
राधिका ने पति पर कुल्हाड़ी से मारा pic.twitter.com/G0hw6aMkHG
પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો બન્યો નિમિત્ત
આ બાબતે, સાંગલીના MIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક બંદવાલકરે જણાવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પત્નીએ તેના પતિ પર કુહાડીથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. આ કેસમાં આરોપી મહિલાનું નામ રાધિકા લોખંડે છે, જેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ ખબર પડશે કે હત્યા પાછળનું સાચું કારણ શું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો