RSS
Spread the love

રવિવારે સવારે મંદિરમાં આયોજિત ‘ગણ મેળા’ (સંગીત સમારોહ) દરમિયાન એક સંગીત મંડળીના સભ્યોએ RSSનું ‘ગણ ગીતમ’ ગાયું હતું. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તહેવારના સંદર્ભમાં મંદિર પરિસરમાં RSSના ઝંડા પણ લગાવવામાં આવ્યા હતા.

કેરળના કોલ્લમ જિલ્લાના કોટ્ટુક્કલમાં ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) દ્વારા સંચાલિત મંદિરમાં આયોજિત સંગીત ઉત્સવ દરમિયાન RSSના ‘ગણ ગીતમ’ (પ્રાર્થના ગીત)ના ગાવાને લઈને વિવાદ થયો હોવાના અહેવાલ આવી રહ્યા છે. કોંગ્રેસે આ મામલામાં દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. રવિવારે સવારે મંદિરમાં આયોજિત ‘ગણ મેળા’ (સંગીત સમારોહ) દરમિયાન એક વ્યાવસાયિક સંગીત મંડળીના સભ્યો દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસરમાં RSSના ઝંડા લગાવવાનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર, એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે સમારોહના અવસરેમાં મંદિર પરિસરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ઝંડા લગાવવામાં આવ્યા હતા. વિધાનસભામાં વિપક્ષના નેતા વી ડી સતીસને જણાવ્યું હતું કે મંદિરના ઉત્સવ દરમિયાન ‘આરએસએસ ગણ ગીતમ’નું ગાન ‘ગંભીર ચિંતાનો વિષય’ છે અને ટીડીબીને તેના માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા આગ્રહ કર્યો હતો.

વિપક્ષે શું કહ્યું?

વી ડી સતીસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંદિરોનો ઉપયોગ રાજકીય કાર્યક્રમો માટે ન થવો જોઈએ તેવા હાઈકોર્ટના ચુકાદા છતાં TDB દ્વારા સંચાલિત મંદિરમાં ઉલ્લંઘન થયું હતું. તેમણે આગળ જણાવ્યું હતું કે દેવસ્વોમ બોર્ડ અને સરકારે સંડોવાયેલા લોકો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા તૈયાર રહેવું જોઈએ, મંદિરો ભક્તોના છે, મંદિર પરિસર અને તહેવારોનું રાજનીતિકરણ હલકી માનસિકતા દર્શાવે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *