અયોધ્યામાં દલિત યુવતી (Dalit Girl) ની હત્યા
Spread the love

અયોધ્યામાં દલિત યુવતી (Dalit Girl) ની હત્યા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે જો પ્રશાસને યોગ્ય સમયે ધ્યાન આપ્યું હોત તો કદાચ યુવતીનો જીવ બચાવી શકાયો હોત. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ દલિત યુવતી (Dalit Girl) ની હત્યા મામલે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું.

શું કહ્યું રાહુલ ગાંધીએ

કોંગ્રેસના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ અયોધ્યામાં દલિત યુવતી (Dalit Girl) પર થયેલી બર્બરતાને હ્રદયદ્રાવક અને શરમજનક ગણાવી હતી. તેમણે દલિત યુવતી (Dalit Girl) પર થયેલી બર્બરતાના કેસમાં પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે જો પ્રશાસને પીડિતાના પરિવારની અરજી પર ધ્યાન આપ્યું હોત તો કદાચ યુવતીનો જીવ બચી શક્યો હોત. રાહુલે કહ્યું, ‘જઘન્ય અપરાધને કારણે વધુ એક યુવતીની જિંદગીનો અંત આવ્યો. આખરે ક્યાં સુધી અને કેટલા પરિવારોએ આ રીતે રડવું અને પીડાવું પડશે?’

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપને બહુજન વિરોધી ગણાવતા કહ્યું કે, યુપીમાં દલિતો પર અત્યાચાર, અન્યાય અને હત્યાની ઘટનાઓ બેકાબૂ રીતે વધી રહી છે. યુપી સરકારે તાત્કાલિક આ ગુનાની તપાસ કરવી જોઈએ અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવી જોઈએ અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. મહેરબાની કરીને દર વખતની જેમ આ વખતે પણ પીડિતાના પરિવારને હેરાન કરવામાં ન આવે. દેશની દીકરીઓ અને સમગ્ર દલિત સમાજ ન્યાય માટે તમારી તરફ જોઈ રહ્યો છે.

પ્રિયંકા ગાંધીએ પણ યુપી સરકારને ઘેરી

બીજી તરફ વાયનાડના કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ અયોધ્યામાં દલિત યુવતી (Dalit Girl) ની હત્યાને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પ્રિયંકાએ લખ્યું કે, ભાગવત કથા સાંભળવા અયોધ્યા ગયેલી દલિત યુવતી સાથે જે બર્બરતા થઈ તે સાંભળીને કોઈપણ વ્યક્તિનો આત્મા કાંપી જશે. આવી ક્રૂર ઘટનાઓ સમગ્ર સમાજને માટે શરમજનક છે.

તેમણે વધુમાં કહ્યું કે યુવતી ત્રણ દિવસથી ગુમ હતી, પરંતુ પોલીસે કંઈ કર્યું નથી. ભાજપના જંગલ રાજમાં દલિતો, આદિવાસીઓ, પછાત લોકો અને ગરીબોની ચીસો કોઈ સાંભળતું નથી. યુપી સરકાર દલિતો પર અત્યાચારનો પર્યાય બની ગઈ છે. મારી માંગ છે કે અત્યાચાર કરનાર ગુનેગારો તેમજ જવાબદાર પોલીસકર્મીઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

શનિવારે મળી આવ્યો હતો નિર્વસ્ત્ર મૃતદેહ

અયોધ્યા જિલ્લા પોલીસને શનિવારે ગુમ થયેલી એક યુવતીનો નિર્વસ્ત્ર મૃતદેહ મેળી આવ્યો હતો, તેના શરીર પર ઘણા ઊંડા ઘા હતા અને ક્રૂરતાથી તેની આંખો કાઢીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે યુવતી ઉપર સામૂહિક બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. એક દિવસ પહેલા જ પરિવારે યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતદેહ એટલી ભયંકર હાલતમાં હતો, કે તેને જોઈને મૃતક યુવતીની મોટી બહેન અને ગામની બે મહિલાઓ બેહોશ થઈ ગઈ હતી.

પીડિત પરિવારે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

આ ઘટનાને લઈને પીડિત પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનો આરોપ છે કે જો પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હોત તો કદાચ તેમની દીકરીનો જીવ બચી શક્યો હોત, પરંતુ પોલીસે શોધખોળ કરવાને બદલે માત્ર ખાનાપૂર્તિ કરે રાખી હતી. શનિવારે સવારે યુવતીના બનેવીને ગામથી અડધો કિલોમીટર દૂર નાની કેનાલમાંથી તેની લાશ મળી આવી હતી. તેમણે મૃતદેહની મળી આવ્યા અંગે પરિવારને જાણ કરી હતી. મૃતદેહ મળી આવ્યાની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ઉત્તરપ્રદેશમાં દલિત યુવતી (Dalit Girl) પર થયેલી બર્બરતા અને હત્યા ઉપર રાજનીતિ ચરમ પર પહોંચી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “અયોધ્યામાં દલિત યુવતી (Dalit Girl) ની હત્યા: અત્યાચાર, અન્યાય અને હત્યા ઉપર રાહુલ અને પ્રિયંકાએ યોગી સરકારને ઘેરી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *