હરિયાણાના ભિવાનીના લોહારુમાં SC વિદ્યાર્થીના બહુચર્ચિત મૃત્યુ કેસમાં કોલેજના માલિક અને કોંગ્રેસના ધારાસભ્ય રાજબીર ફરતિયા પહેલીવાર મીડિયા સમક્ષ આવ્યા હતા. રાજબીર ફરતિયાએ ભાજપની સાથે સાથે તેમની પાર્ટીના નેતાઓ રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજા પર પણ પ્રહાર કર્યા. રાજબીર ફરતિયાએ દરેકને આ મામલે રાજકારણ ન કરવાની સલાહ આપી અને કહ્યું કે મુખ્યમંત્રીએ આ મામલાની સીબીઆઈ અથવા સીટિંગ જજ દ્વારા તપાસ કરાવવી જોઈએ.
કોની થઈ ધરપકડ?
આ કેસમાં બી.એ.ની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. ફરતિયાના સાળા અને ભત્રીજા પર આરોપ છે અને સાળા હનુમાન અને પુત્ર રાહુલની ધરપકડ કરવામાં આવી છે. મામલાની ગંભીરતા જોઈને કેબિનેટ મંત્રી કૃષ્ણા બૈદી અને હરિયાણા રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયા પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા.
મહિલા આયોગે કરી પુછપરછ
મહિલા આયોગે ધારાસભ્ય ફરતિયાને બોલાવીને અડધો કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્ય રાજબીર ફરતિયા પહેલીવાર મીડિયાની સામે આવ્યા હતા. લોહારુના ધારાસભ્ય ફરતિયાએ પહેલા વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે મારું કામ અને કોલેજ ફેમસ થવી જોઈતી હતી, પરંતુ આ કેસ પછી મારા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ ફીનો મામલો નથી. તેમણે સીએમ પાસે માંગ કરી છે કે આ મામલાની સીબીઆઈ અથવા સીટિંગ જજ દ્વારા તપાસ થવી જોઈએ.
#WATCH | Bhiwani, Haryana: On Loharu girl student's death allegedly by suicide, Renu Bhatia, Chairperson, Haryana Commission for Women says, "It is very shameful that a girl committed suicide…Today I visited the college in Loharu and spoke to the principal and the owner. There… pic.twitter.com/nFSoexlgjY
— ANI (@ANI) January 3, 2025
પોતાની જ પાર્ટીના નેતાઓને ફટકાર
આ મામલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજાએ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. આ પ્રશ્ન પર ધારાસભ્ય ફરતિયાએ કહ્યું કે રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજાએ તથ્યો તપાસ્યા વિના નિવેદનો આપવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપે આ મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ. બીજી તરફ, કેબિનેટ મંત્રી ક્રિષ્ના બૈદીએ કોઈ પણ ગુનેગારને ન છોડવાના નિવેદન પર ધારાસભ્ય રાજબીર ફરતિયા સહમત થયા હતા અને કહ્યું કે હવે ટાર્ગેટ કોલેજ નથી, હું છું અને હું દરેક તપાસ માટે તૈયાર છું.
શું છે મામલો?
ભિવાનીમાં કોલેજની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. આરોપ છે કે વિદ્યાર્થિની પાસે ફીના પૈસા ન હોવાથી કોલેજ દ્વારા તેને હેરાન કરવામાં આવી હતી અને પરીક્ષામાં બેસવાથી રોકવામાં આવી હતી. જો કે, કોલેજ સંચાલક ધારાસભ્ય રાજબીર ફરતિયાના સાળાના પુત્ર રાહુલ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે તે વિદ્યાર્થીનીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. મામલો દલિત વિદ્યાર્થી સાથે જોડાયેલો હોવાથી સમગ્ર મામલે ભારે ચર્ચા જગાવી છે.
