પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ (Morarji Desai) ઉપર કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન કોંગ્રેસે દેશહિતના મુદ્દા પર રાજનીતિ કરવાનો ભાજપ પર આક્ષેપ કર્યો છે. કોંગ્રસે કહ્યું છે કે ભાજપ દેશહિતના મુદ્દા પર રાજકારણ કરી રહ્યું છે. ભાજપ ઈચ્છે કે આ મુદ્દે વિપક્ષ મૌન રહે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો
આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ (Morarji Desai) પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે જનસંઘ અને જનતા પાર્ટીની સરકાર દરમિયાન વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈએ (Morarji Desai) રૉ (RAW) ના ગુપ્ત એજન્ટો વિશેની માહિતી પાકિસ્તાનને આપી હતી. જે રાજદ્રોહ સમાન હતું.

મોરારજી દેસાઈએ (Morarji Desai) પાકિસ્તાનને રૉના એજન્ટોની માહિતી આપી?
ANI સાથે વાત કરતા કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, મોરારજી દેસાઈએ (Morarji Desai) દેશની સૌથી મહત્વપૂર્ણ ગુપ્તચર એજન્સી રૉના (RAW) એજન્ટો વિશે પાકિસ્તાનને માહિતી આપી હતી. આ માત્ર એક ભૂલ નહોતી, તે એક ઐતિહાસિક પાપ હતું. જેના કારણે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર નુકસાન થયું હતું. કોંગ્રેસ પ્રવક્તાએ સીધો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું તત્કાલીન સરકારની રાજકીય જીદ રાષ્ટ્રીય હિતથી ઉપર હતી?

કોંગ્રેસ પ્રવક્તા આ પ્રકારનો ગંભીર આક્ષેપ શેના આધારે કર્યો તે પ્રશ્ન છે. જોકે સુત્રોના જણાવ્યા અનુસાર તત્કાલિન સમયની ગુપ્તચર ફાઈલો અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના લેખોના આધારે કોંગ્રેસ પ્રવક્તાએ આ આરોપ મુક્યો છે. તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોરારજી દેસાઈએ (Morarji Desai) પાકિસ્તાનના જનરલ ઝિયા-ઉલ-હક સાથેની વાતચીત દરમિયાન ભારતની ગુપ્તચર વ્યૂહરચના વિશે માહિતી શેર કરી હતી. કેટલાક અહેવાલોમાં પણ કહેવામાં આવ્યું છે કે આ માહિતી લીક પછી રૉ ના પાકિસ્તાની નેટવર્કને ભારે નુકસાન થયું છે.

પવન ખેડાએ આગળ કહ્યું, આ ઘટનાના બાદ આપણે અનેક રૉ એજન્ટોને ગુમાવ્યા હતા. પાકિસ્તાને તેમને કાંતો તેમને ગાયબ કરી દીધા, કાંતો તેમને મારી નાખ્યા, આપણને ખબર નથી તેમણે શું કર્યું. મોરારજી દેસાઈએ (Morarji Desai) ઝિયાને કરેલા એક ફોનને કારણે રૉની દાયકાઓની મહેનત બરબાદ થઈ ગઈ. તેથી જ હું કહું છું કે તેમનો જાસૂસીનો ઈતિહાસ છે.
At a time when the nation stood united in grief and solidarity and our borders are facing heightened security tensions, the ruling BJP behaves with shocking immaturity and reckless abandon. Instead of showing accountability and statesmanship, they retreat behind empty bravado and… pic.twitter.com/BpyYqWhmVI
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) May 20, 2025
કોંગ્રેસના આ સનસનાટીભર્યા નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે આ નિમ્ન કક્ષાનું રાજકારણ છે અને ઇતિહાસ સાથે ચેડાં છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું, દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનને દેશદ્રોહી કહેવા કોંગ્રેસની હતાશા દેખાય છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો