Pahalgam Terror Attack
Spread the love

Pahalgam Terror Attack: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે જ્યાં સુધી આપણે આપણી અંદરના દુશ્મનોને ઓળખીશું નહીં, ત્યાં સુધી દેશની સુરક્ષા પર માત્ર વાતો જ ચાલતી રહેશે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) થી વ્યથિત શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે નિવેદન આપતા કહ્યું છે કે, પહેલગામમાં હિન્દુઓ પર હુમલો એક સુનિયોજિત ષડયંત્રના ભાગ રૂપે થયો છે. કોઈના ધર્મ વિશે પૂછ્યા પછી તેની હત્યા કરવી એ બર્બરતાની નિશાની છે. આ આતંકવાદીઓ તરફથી યુદ્ધની સીધી ચેતવણી છે. સરકારે આની નિંદા નહી પણ દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. સિંધુ જળ સંધિનો અંત લાવીને જનતાને મૂર્ખ બનાવી શકાય નહીં.

સૌ પ્રથમ, આતંકવાદી હુમલા માટે જવાબદારોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરો. આ પછી, સરકારે સરહદ પાર બેઠેલા તેના આકાઓને પાઠ ભણાવવા માટે યુદ્ધની તૈયારી કરવી જોઈએ. દેશની જનતા સરકારની સાથે છે. સરકારે પહેલા આપણા દેશમાં છુપાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા જોઈએ.

શંકરાચાર્યએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે આતંકવાદીઓ દેશમાં કેવી રીતે ઘૂસ્યા? તેઓ 40 મિનિટ સુધી લોકોને મારતા રહ્યા અને પછી સરળતાથી ભાગી ગયા. તેમણે મોદી સરકાર પાસે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘આતંકવાદીઓ આટલા લાંબા સમય સુધી મુક્તપણે કેવી રીતે ફરતા રહ્યા?’

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે જ્યાં સુધી આપણે દેશની અંદરના દુશ્મનોને ઓળખીશું નહીં, ત્યાં સુધી દેશની સુરક્ષા પર માત્ર વાતો જ ચાલતી રહેશે. તેમણે અનેક પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે આટલી મોટી સુરક્ષા ચૂક કેવી રીતે થઈ? આતંકવાદીઓ આટલા લાંબા સમય સુધી મુક્ત રીતે કેવી રીતે ફરતા રહ્યા? તેમણે કહ્યું કે આતંકી હુમલા પછી તરત જ આતંકવાદીઓના નામ અને ફોટોગ્રાફ્સ મળી જાય છે, તો પછી આ માહિતી પહેલા કેમ મળતી નથી?

‘પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) ની ચિઠ્ઠી કેમ ન કાઢી?’

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને બાગેશ્વર ધામના મહારાજ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્યારે તેઓ બધાની ચિઠ્ઠી કાઢે છે તો પછી તેમણે આ ઘટનાની ચિઠ્ઠી કેમ ન કાઢી? આ અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, બિલકુલ અમને પણ આશા છે કે મહારાજ આતંકવાદીઓની પણ ચિઠ્ઠી કાઢે આપણને પણ ખબર પડે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે બાગેશ્વર ધામના મહારાજ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે. જે ગામને તેમણે હિન્દુ ગામ બનાવ્યું છે, તે ગામમાં બાગેશ્વર મહારાજ પહેલાથી જ હાજર છે. તે પોતે જ હિન્દુ છે, તો પછી તેને હિન્દુ ગામ બનાવવાની શું જરૂર હતી?


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *