Pahalgam Terror Attack: શુભમ દ્વિવેદીની પત્નીએ દાવો કર્યો કે ત્યાં સૂટ અને શાલ વેચતા લોકોએ આતંકવાદીઓને શસ્ત્રો પૂરા પાડ્યા હોઈ શકે. તેમણે શંકાસ્પદ વ્યક્તિ વિશે પણ ખુલાસો કર્યો.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) અંગે ભારતે આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લીધા છે. પહલગામ આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) જીવ ગુમાવનારા કાનપુરના શુભમ દ્વિવેદીની પત્ની એશાન્યાએ અનેક મોટા રહસ્યો ખોલ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ પોતાની સાથે AK-47 લાવ્યા નહોતા, પરંતુ ત્યાં કોઈએ તેમને હથિયારો પૂરા પાડ્યા હતા.

પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) પહેલા સુરક્ષિત અનુભવતા હતા
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Terror Attack) માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પત્ની એશાન્યાએ જણાવ્યું કે તેના પતિ શુભમે ઘોડાના માલિકને પૂછ્યું કે ઉપર નેટવર્ક છે કે નહીં, તો તેણે કહ્યું કે સંપૂર્ણ નેટવર્ક છે. જો તેણે કહ્યું હોત કે નેટવર્ક નથી તો અમે ત્યાં ગયા જ ન હોત. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલો (Pahalgam Terror Attack) થયો ત્યાં સુધી અમે કાશ્મીરમાં સુરક્ષિત અનુભવી રહ્યા હતા.

ધર્મ પુછીને હિંદુઓને માર્યા
તેમણે જણાવ્યું કે, પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Terror Attack) આતંકીઓએ ‘ધર્મ પુછીને માર્યા, આ ધર્મથી સંબંધિત છે, હિંદુ પુછીને માર્યા છે. એને એમ ન કહો કે હિંદુ-મુસલમાન એક થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. હું આ બધામાં નથી પડવા માંગતી પરંતુ આ વાસ્તવિકતા છે, આ આપણા ગાલ ઉપર તમાચો છે, જે હિંદુ મુસલમાન એક છે, હિંદુ મુસલમાન એક છે કહે છે કરતા રહેતા હતા, બધુ ખતમ કરી દીધું પુછીને માર્યા છે, મુસલમાનોને અલગ કરી દીધા, સલામત રીતે મુસલમાન તેના ઘેર પહોંચી શક્યા છે, અમે મુસલમાન હોત તો અમે પણ બચી જાત. અમે પણ ઘરમાં બેઠા હોત, આ હિંદુ મુસલમાન જ છે.”
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
તેમણે આગળ કહ્યું, “મારા પણ ઘણા વિદ્યાર્થીઓ મુસલમાન હતા અમે ક્યારેય હિંદુ મુસલમાન નથી કર્યું, પણ હવે હું પાચાળ જોઉ છું તો લાગે છે કે અમે શા માટે ન કર્યું હિંદુ મુસલમાન? અમારે પણ કદાચિત કરી લેવું જોઈતુ હતુ, અમે મુર્ખ હતા, ભારતીય હોવું જરુરી છે, હિંદુસ્તાની હોવું જરુરી છે એવું માન્યું, પણ હિંદુ હોવું જરુરી છે… અહિં તમે હિંદુ છો તો….. ક્યાં સુરક્ષિત છે હિંદુ આજ?”
"Hindu puchh ke maara hai, ye Hindu-Musalman ka issue hai."
— Indian Right Wing Community (@indianrightwing) May 1, 2025
Listen to the wife of Shubham Dwivedi! pic.twitter.com/hXHOPXz6bi
‘આતંકવાદીઓને હથિયારો પહોંચાડવામાં આવ્યા’
તેમણે કહ્યું, “અમે થોડા અંતરે ભારતીય સેનાના સૈનિકો જોઈ રહ્યા હતા, તેથી અમને આસપાસના લોકો પર શંકા ન થઈ. હવે મને યાદ છે કે તેઓ પૂછી રહ્યા હતા કે તમારી સાથે કોણ કોણ આવ્યું છે. તમારે કપલમાં ચાલવું જોઈએ. તે લોકો સામાન્ય જીન્સ પહેરેલા હતા અને તેમની પાસે કોઈ હથિયાર નહોતા. તેમને હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાં સુટ અને શાલ વેચતા લોકોએ શસ્ત્રો પૂરા પાડ્યા હશે.”
‘એક માણસ એકલો જ ઘેટાં ચરાવી રહ્યો હતો’
શુભમ દ્વિવેદીની પત્નીએ કહ્યું, “એક માણસ ત્યાં એકલો ઘેટાં ચરાવી રહ્યો હતો. તે આટલા મોટા ખેતરમાં એકલો ઘેટાં ચરાવી રહ્યો હતો, જેનો કોઈ અર્થ નહોતો. મને ખબર નથી કે તે શંકાસ્પદ હતો કે નહીં, પણ તેણે પોતે સંપૂર્ણપણે ઢંકાઈ જાય એવા કપડા પહેર્યા હતા. કોણ જાણે તેણે અંદર કંઈક છુપાવ્યું હશે?”

તેમણે કહ્યું, “અમારા પરિવારના સભ્યો ઉપર જતા ડરતા હતા, પરંતુ ઘોડાના માલિકે તેમને કહ્યું કે ત્યાં ઉપર ખૂબ જ સુંદર છે. આ અંગે ઘોડાના માલિક સાથે ઘણી ચર્ચા થઈ. મારા સસરાએ તેમને કહ્યું કે પૂરી રકમ લઈ લે, પણ અમારે ત્યાં નથી જવું. પછી તેણે કહ્યું કે પૈસાનો પ્રશ્ન નથી અને 10 મિનિટ સુધી દલીલો કર્યા પછી અમે ઉપર ગયા.”
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ભારત માને છે કે આ હુમલા કરનારા આતંકવાદીઓ પાડોશી દેશમાં છુપાયેલા છે. આતંકવાદીઓ પાછળ પાકિસ્તાન સરકાર અને તેની સેના છે. ભારતે કહ્યું છે કે આ આતંકવાદીઓનો સમૂળો નાશ કરવામાં આવશે. આ કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાન સાથેના યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારતની શક્તિની ચર્ચા થઈ રહી છે. ભારત ચોક્કસપણે વિશ્વમાં ખૂબ જ શક્તિશાળી લશ્કરી શક્તિ છે. પણ દુશ્મન દેશ પાકિસ્તાનને સુપરપાવર ચીનનો સીધો ટેકો છે. […]
[…] પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Te… બાદ સેના સંપૂર્ણ એક્શન મોડમાં છે. […]
[…] પહલગામ આતંકી હુમલા પછી સરહદ પર તણાવ ઓછો થવાના કોઈ સંકેત નથી. પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ હિંદુ પ્રવાસીઓની ધર્મ પુછીને હત્યા કરવામાં આવી હતી. […]
[…] એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આ કાર્યવાહી […]