Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને (Pahalgam Terror Attack) ગુજરાત સાથે જોડવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે. NIA એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે 21 હજાર કરોડ રૂપિયાના હેરોઈનની જપ્તી આ હુમલા સાથે સંબંધિત છે. આ હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા.
પહેલગામ આતંકી હુમલાના (Pahalgam Terror Attack) ના તાર ગુજરાતમાં?
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા પાછળનું કાવતરું ખૂબ ઊંડું લાગે છે. તેના તાર ગુજરાત સાથે જોડાયેલા હોય તેવું લાગે છે. તાજેતરમાં જ ગુજરાતના મુન્દ્રા બંદર પરથી 21 હજાર કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી NIA એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે આ જપ્તી પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) સાથે સંબંધિત છે. પહેલગામ આતંકી હુમલામાં ((Pahalgam Terror Attack)) 27 લોકોની તેમનો ધર્મ પુછીને હત્યા કરવામાં આવી હતી. NIA અનુસાર, આ બધું એક મોટા ડ્રગ દાણચોરીના ષડયંત્રનો ભાગ હતું જેનો હેતુ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવા અને ભારતના યુવાનોને ડ્રગ્સના વ્યસનમાં ધકેલીને દેશને નબળો પાડવાનો હતો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બુધવારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચને એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલો આતંકી હુમલા જેવી ઘટનાઓ આ ષડયંત્રનો ભાગ છે. તેમણે કહ્યું કે અગાઉ પણ માન્ય દસ્તાવેજો સાથે ટેલ્કમ પાવડરના નામે અફઘાનિસ્તાનથી માદક દ્રવ્યો ભારતમાં ઘુસાડવામાં આવતા હતા. આ દ્રવ્યો દિલ્હીના નેબ સરાય અને અલીપુરના ગોદામોમાં રાખવામાં આવતા હતી. તેના વેચાણમાંથી મળેલા પૈસા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે લશ્કર-એ-તૈયબાને મોકલવામાં આવતા હતા. NIA એ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કબીર તલવાર આ ડ્રગ સિન્ડિકેટનો ભાગ હતો અને આ ગેરકાયદેસર કાવતરામાં સામેલ હતો.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો
NIA નું સોગંદનામુ
NIA એ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સ્થિત ડ્રગ તસ્કરોએ પાકિસ્તાનના ISI અને ઈરાની વચેટિયાઓની મદદથી જેની અંદાજીત રુપિયા 21,000 કરોડનો 2,988.2 કિલો હેરોઈનનો મોટો જથ્થો ભારતમાં ઘુસાડ્યો હતો. આ હેરોઈનને ટેલ્કમ પાવડરના સ્વાંગમાં અફઘાનિસ્તાનથી ઈરાન થઈને ભારત ઘુસાડવામાં આવ્યું હતું. NIA અનુસાર, આ ડ્રગના વેચાણમાંથી મળેલા પૈસાનો ઉપયોગ આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે થવાનો હતો.
NIA એ એમ પણ કહ્યું કે ભારતમાં પકડાયેલ ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે. તેનો હેતુ ફક્ત સામાન્ય લોકોને, ખાસ કરીને યુવાનોને ડ્રગ્સના વ્યસનમાં ધકેલીને સમાજને નુકસાન પહોંચાડવાનો નહોતો, પરંતુ તેના વેચાણમાંથી મળેલા પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે પણ કરવાનો હતો. આ કેસમાં ડ્રગ્સની હેરફેર અને આતંકવાદ વચ્ચેના સીધા જોડાણને ઉજાગર કરવામાં આવ્યું છે.
આ ખુલાસો દેશ માટે એક ગંભીર ચેતવણી છે કે કેવી રીતે ડ્રગ્સની હેરફેરનો ઉપયોગ ફક્ત સમાજને બરબાદ કરવા માટે જ નહીં પરંતુ આતંકવાદી સંગઠનોને મજબૂત બનાવવા માટે પણ થઈ રહ્યો છે. NIA આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આવા દાણચોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો