લોકસભામાં (Lok Sabha) આજે સરકાર તરફથી કહેવામાં આવ્યું કે સરકાર નીટ પેપર લીક (NEET Paper Leak) પર ચર્ચા માટે તૈયાર છે. જો કે કોંગ્રેસ (Congress) ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાની (Resignation) માંગ પર અડગ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લોકસભામાં (Lok Sabha) આજે સરકાર આખરે નીટ પેપર લીક (NEET Paper Leak) મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગઈ છે. વિપક્ષ (Opposition) ચોમાસુ સત્રના (Monsoon Session) પહેલા દિવસથી જ નીટ પેપર લીક (NEET Paper Leak), રામ મંદિર ચંદા ચોરી (Ram Mandir Donation Theft) સહિતના કેટલાય મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યો હતો. વિપક્ષ (Opposition) આને લઈને પ્રદર્શન પણ કરી રહ્યો હતો. આજે લોકસભામાં (Lok Sabha) કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ (Kiren Rijiju) કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે. તો બીજી તરફ કોંગ્રેસે (Congress) કહ્યું કે પહેલા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું (Resignation Of Dharmendra Pradhan) આપે, પછી ચર્ચા કરો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લોકસભામાં (Lok Sabha) કિરેન રિજિજૂએ શું કહ્યું?
લોકસભામાં (Lok Sabha) કિરેન રિજિજૂએ (Kiren Rijiju) કહ્યું, “સરકાર નીટ પેપર લીકના (NEET Paper Leak) મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પહેલા દિવસથી જ અમે કહી રહ્યા છીએ કે ચર્ચા નિયમો મુજબ થવી જોઈએ. ચર્ચા ક્યારે થશે, કેટલી વાર સુધી ચાલશે અને કયા નિયમ હેઠળ થશે, આ બધું તમામ પાર્ટીઓના ગૃહના નેતાઓ (Floor Leaders) સાથે વાતચીત કર્યા પછી નક્કી થવું જોઈએ. સરકાર નીટ પેપર લીકના (NEET Paper Leak) મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. દેશના યુવાનોના ભવિષ્ય માટે એક રચનાત્મક ચર્ચા થવી જોઈએ – સરકાર આ જ ઈચ્છે છે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસ સાંસદ (Congress MP) કે.સી. વેણુગોપાલે (K C Venugopal) કહ્યું કે અમારી માંગ સ્પષ્ટ છે, શિક્ષણ મંત્રી (Education Minister) રાજીનામું (Resignation) આપે. સંસદની બહાર વેણુગોપાલે (Venugopal) કહ્યું, “છેલ્લા ૩ દિવસથી અમે નીટ પેપર લીકના (NEET Paper Leak) થવા અને ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra PRadhan) રાજીનામા (Resignation) પર ચર્ચાની માંગને લઈને કામસ્થગિત પ્રસ્તાવ (Adjournment Motion) લાવી રહ્યા છીએ. પરંતુ સરકાર અમારી માંગ નથી માની રહી. ગઈકાલે જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ કયા નિયમ હેઠળ? આ સરકાર આ મુદ્દા પર આટલી અસંવેદનશીલ કેમ છે? તેમને વ્યવસ્થિત ચર્ચા કરતા શું રોકી રહ્યું છે?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમે ત્રણ માંગો – નીટ પેપર લીક (NEET Paper Leak), ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું (Resign Of Dharmendra Pradhan) અને વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાયેલી FIR પાછી ખેંચવી – ને લઈને અમારું આંદોલન ચાલુ રાખીશું… અમને પોલીસ (Police) જેવી કેન્દ્રીય એજન્સીઓ પાસે આવા કઠોર વલણની અપેક્ષા રહે છે, પરંતુ અમે આનો સામનો કરવા માટે સક્ષમ છીએ. અમે વિદ્યાર્થીઓ (Students) માટે લડીશું. અમારા નેતા ડરનારાઓમાંથી નથી. તેઓ પોતાના માટે લડી શકે છે. મોદી (Modi) રાહુલ ગાંધીને (Rahul Gandhi) ખતમ કરવા માંગે છે, તો તેમને પ્રયાસ કરવા દો. મોદીએ ગઈકાલે પોલીસ મોકલી હતી. શું વિપક્ષના નેતા સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે?”
"Govt ready to discuss NEET Paper leak issue": Union Minister Kiren Rijiju in Lok Sabha
— ANI Digital (@ani_digital) July 22, 2026
Read @ANI Story |https://t.co/npRxuD5C6m #kirenrijiju #NEETpaperleak #loksabha #parliamentdiscusion pic.twitter.com/uVn0OAAy5T
