એનડીએની (NDA) ‘મંગળ મિલન’ બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે સરકાર નીટ (NEET) મામલે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓની (Students) સાથે ઉભી છે. પેપર લીકના (Paper Leak) દોષિતો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સંસદના (Parliament) ચોમાસુ સત્ર (Monsoon Session) વચ્ચે આજે દિલ્હીમાં (Delhi) એનડીએના (NDA) ઘટક પક્ષોની એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં પીએમ મોદીએ (PM Modi) નીટ પેપર લીકથી (NEET Paepr Leak) લઈને ખેડૂતો સુધીની સમસ્યાઓ અંગે વાત કરી હતી. મીટિંગ બાદ આ બેઠકની માહિતી આપતા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ (Kiren Rijiju) જણાવ્યું કે પીએમએ નીટ (NEET) મામલે કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. સાથોસાથ અમેરિકા-ભારત ડીલ (USA-India Deal) પર તેમણે કહ્યું કે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે, તેમના હિતોને નુકસાન નહીં પહોંચવા દેવાય.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નીટ પેપર લીક પર એનડીએની (NDA) બેઠકમાં શું બોલ્યા પીએમ મોદી?
એનડીએની (NDA) બેઠક બાદ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ (Kiren Rijiju) પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે પીએમ મોદીએ (PM Modi) સ્પષ્ટ કરી દીધું છે કે નીટ પરીક્ષામાં (NEET Exam) અનિયમિતતાઓ અને પેપર લીકના (Paper Leak) મુદ્દા પર સરકાર સંપૂર્ણપણે વિદ્યાર્થીઓની સાથે ઉભી છે. કિરેન રિજિજૂએ (Kiren Rijiju) વડાપ્રધાન મોદીના (PM Modi) વક્તવ્યનો હવાલો આપતા કહ્યું કે નીટ પરીક્ષામાં (NEET Exam) ગડબડ અને પેપર લીક (Paper Leak) જેવા ગંભીર મામલાઓ પર રાજકારણ ન થવું જોઈએ. આ એક રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે પેપર લીકમાં (Paper Leak) સામેલ તમામ દોષિતો વિરુદ્ધ ટોચના કાનૂની નિષ્ણાતોની સલાહ લઈને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. રિજિજૂએ જણાવ્યું કે પીએમએ ભારપૂર્વક કહ્યું છે કે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, પરંતુ જ્યાં પણ રાજ્યોમાં પેપર લીકની (Paper Leak) ઘટનાઓ બને છે, ત્યાં રાજ્ય સરકારોએ પણ દોષિતો વિરુદ્ધ કડક વલણ અપનાવવું જોઈએ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા નીટ-યુજી (NEET-UG) પરીક્ષામાં કથિત ગડબડીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ઘણું તેજ થઈ ગયું છે અને જંતર-મંતરથી (Jantar-Mantar) લઈને સંસદ માર્ચ (Sansad March) સુધી પરિસ્થિતિ ખૂબ સંવેદનશીલ બનેલી છે.

ખેડૂતોનું હિત સર્વોપરી
એનડીએની (NDA) આ ‘મંગળ મિલન’ બેઠકમાં વડાપ્રધાન મોદીએ (PM Modi) તાજેતરના મહિનાઓમાં દેશની સિદ્ધિઓ અને વિવિધ દેશો સાથે હસ્તાક્ષર થયેલા મુક્ત વેપાર કરારો (Free Trade Agreements) પર પણ પોતાના વિચારો શેર કર્યા હતા. વડાપ્રધાને તમામ સાંસદોને ખાતરી આપી હતી કે કોઈપણ દેશ સાથે કોઈ પણ વેપારી કરાર કરતી વખતે ભારતીય ખેડૂતો (Indian Farmers) અને પશુપાલકોના હિતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. સરકાર એ સુનિશ્ચિત કરે છે કે આ કરારોથી ખેડૂતોને કોઈ નુકસાન ન પહોંચે અને દેશની કૃષિ વ્યવસ્થા સુરક્ષિત રહે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નવ-ચૂંટાયેલા રાજ્યસભા સાંસદોનું સ્વાગત
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ (Kiren Rijiju) જણાવ્યું કે એનડીએની આ બેઠક અત્યંત ફળદાયી અને સકારાત્મક રહી. આમાં એનડીએના (NDA) તમામ નવ-ચૂંટાયેલા રાજ્યસભા (Rajya Sabha) સાંસદો, જેમાં નિતિન નવીન (Nitin Nabin) પણ સામેલ છે, તેમનું ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાને બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને દેશસેવા અને વિધાયી કામગીરીને સુચારુ રૂપે ચલાવવા માટે મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
#WATCH | Delhi: Union Minister of Parliamentary Affairs Kiren Rijiju says, "Regarding the NEET exam, the Prime Minister stated that the government took immediate action upon receiving reports of irregularities; thirteen individuals were arrested and jailed. Furthermore,… pic.twitter.com/my1ekDaxJf
— ANI (@ANI) July 21, 2026
