- ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની 2 બેઠકો પર ચૂંટણી જાહેર
- 1 લી માર્ચે યોજાશે મતદાન
- અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના અવસાનથી ખાલી પડી હતી બેઠકો
ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની 2 બેઠકોની ચૂંટણી જાહેર
ચૂંટણી પંચ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 2 બેઠકોની ચૂંટણી 1 લી માર્ચે યોજાશે. રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના અવસાનને કારણે ખાલી પડેલી હતી આ બંને બેઠકો. ચૂંટણી પંચે જણાવ્યા મુજબ 11 ફેબ્રુઆરીએ ચૂંટણીના નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવશે, અને 18મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે.
રાજ્યસભાની ચૂંટણી માટે અગત્યની તારીખો
ચૂંટણી પંચે જણાવ્યું છે કે 11 ફેબ્રુઆરીએ ચૂંટણીના નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવશે, અને 18મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 18મી ફેબ્રુઆરી તથા ઉમેદવારીપત્ર પાછુ ખેંચવાની છેલ્લી તારીખ 22મી ફેબ્રુઆરી રહેશે જ્યારે 1 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે અને મતગણતરી 1લી માર્ચે જ સાંજે 5 વાગ્યા પછી થશે.
કોણ જીતશે રાજ્યસભાની બેઠકો
ખાલી પડેલી રાજ્યસભાની એક બેઠક પર કોંગ્રેસના અહેમદ પટેલ તથા એક બેઠક ઉપર ભાજપના અજય ભારદ્વાજ ચૂંટાયેલા હતા. બંને સાંસદોનું કોરોનાથી અવસાન થયું હતું. ચુંટણી પંચે જાહેર કર્યા પ્રમાણે બંને બેઠકો ઉપર અલગ અલગ મતદાન થવાનું હોવાથી તથા વિધાનસભાની ભાજપની અને કોંગ્રેસની સભ્ય સંખ્યા જોતા કોંગ્રેસ અહેમદ પટેલની બેઠક ગુમાવશે જે ભાજપ મેળવશે. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલની બેઠકની ટર્મ ઓગષ્ટ 2023ના રોજ પૂરી થઈ રહી હતી, જ્યારે અભય ભારદ્વાજ તાજેતરમાં જ ચૂંટાયા હતા, અને તેમની બેઠકની ટર્મ 21 જૂન 2026ના રોજ પૂરી થવાની હતી.
2017ની યાદગાર ચૂંટણી
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી થાય અને 2017ની રસાકસીભરી ચૂંટણીની ચર્ચા ન થાય તો તે ચર્ચા અધૂરી ગણાય. આ ચૂંટણીમાં મુળ ભાજપના તથા કોંગ્રસના હાલમાં ભૂતપૂર્વ નેતાએ કોંગ્રેસમાં તોડફોડ કરી હતી અને તેમની સાથેના ઘણા કોંગ્રસના ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી હતી. કોંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે કર્ણાટકના એક રિસોર્ટ માં લઈ જવા પડ્યા હતા જેમને છેક મતદાનના દિવસે જ ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં અહેમદ પટેલ જબરદસ્ત રસાકસી બાદ ચુંટાઈ આવ્યા હતા. છેલ્લે 2020 માં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રસના શક્તિસિંહ ગોહિલ ચુંટાયા હતા જ્યારે ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. કુલ ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપનો 3 બેઠકો પર વિજય થયો હતો જેમાંથી એક બેઠક ઉપર અભય ભારદ્વાજ ચુંટાઈ આવ્યા હતા.