Jal Jeevan Mission
Spread the love

જલ જીવન મિશન પ્રોજેક્ટના (Jal Jeevan Mission) આ પ્રોજેક્ટ્સમાં વિલંબ થઈ રહ્યો છે અને ઘણા પ્રોજેક્ટ્સની કિંમત પણ વધી રહી છે. કેટલીક જગ્યાએ કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો

કેન્દ્ર સરકારે જલ જીવન મિશન (Jal Jeevan Mission) હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં વિલંબ, ખર્ચમાં વધારો અને ગુણવત્તા સંબંધિત પ્રશ્નો અંગે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે જલ જીવન મિશન (Jal Jeevan Mission) પ્રોજેક્ટ્સની તપાસ માટે 100 ખાસ ટીમો બનાવવામાં આવી છે, જે 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 135 જિલ્લાઓમાં 183 પ્રોજેક્ટ્સની તપાસ કરશે. મંગળવારે કેબિનેટની નિમણૂક સમિતિએ 75 સંયુક્ત સચિવો અને 106 ડિરેક્ટરો સહિત કેન્દ્રીય નોડલ અધિકારીઓની નિમણૂક કરી હતી.

આ ટીમોની તાલીમ 23 મેના રોજ યોજાશે, જેથી તેઓ જમીની પરિસ્થિતિનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે. 8 મેના રોજ કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં જળ શક્તિ મંત્રાલય અને રાજ્યોના અધિકારીઓની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તપાસનો મુખ્ય હેતુ પ્રોજેક્ટ્સમાં વિલંબ, ખર્ચમાં વધારો અને કામની ગુણવત્તા સંબંધિત ફરિયાદોના કારણો શોધવાનો છે. આ ટીમોએ પોતાનો રિપોર્ટ કેબિનેટ સચિવને સુપરત કરવાનો રહેશે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો

શા માટે બનાવાઈ તપાસ ટીમો?

2019 માં શરૂ કરાયેલ જલ જીવન મિશનનો (Jal Jeevan Mission) ઉદ્દેશ્ય 2024 સુધીમાં તમામ ગ્રામીણ ઘરોમાં પાઇપ દ્વારા પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનો છે. જલ જીવન મિશનનું (Jal Jeevan Mission) પ્રારંભિક બજેટ 3.6 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને લગભગ 9 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. છતાં, ઘણા રાજ્યો તેમના લક્ષ્યોથી ઘણા પાછળ છે. મધ્યપ્રદેશ (29 પ્રોજેક્ટ્સ), રાજસ્થાન અને ઓડિશા (21-21), કર્ણાટક (19), ઉત્તર પ્રદેશ (18), કેરળ (10), અને ગુજરાત અને તમિલનાડુ (8-8) જેવા રાજ્યોમાં પ્રોજેક્ટ્સની પ્રગતિ અને ગુણવત્તા તપાસ કરવામાં આવશે.

કયા રાજયોએ જલ જીવન મિશનના (Jal Jeevan Mission) લક્ષ્યાંક પ્રાપ્ત કર્યા?

પંજાબ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ મિશન હેઠળ 100 ટકા લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પરંતુ કેરળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને એનડીએ શાસિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા વિપક્ષ શાસિત રાજ્યોમાં તેની પ્રગતિ ખૂબ જ ધીમી છે.

કેન્દ્ર સરકારના આ પગલાને જળ જીવન મિશનને (Jal Jeevan Mission) સમયસર અને ગુણાત્મક રીતે પૂર્ણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તપાસ બાદ બહાર આવનારા અહેવાલથી પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવામાં અને ખામીઓ દૂર કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *