રાહુલ ગાંધી (Rahul Gandhi) પર ઓપરેશન સિંદૂરની સફળતાને ઓછી આંકવાનો અને પાકિસ્તાન તરફી નિવેદનો આપવાનો આરોપ ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવિયાએ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા પવન ખેરાએ વળતો પ્રહાર કર્યો, મોરારજી દેસાઈનું ઉદાહરણ આપ્યું. આ વિવાદ સતત આગળ વધી રહ્યો છે, જેમાં પહેલગામ હુમલાના આતંકવાદીઓના બચવા અને સરકારના મૌન પર પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહારો કર્યા, અને તેમના પર તાજેતરના ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન ભારતની લશ્કરી સફળતાને ઓછી આંકવાનો અને પાકિસ્તાનની (Pakistan) ભાષા બોલવાનો આરોપ લગાવ્યો હતો. સાથે સાથે એ પણ પૂછ્યુ કે શું રાહુલ ગાંધીનું (Rahul Gandhi) આગામી લક્ષ્ય નિશાન-એ-પાકિસ્તાન છે? માલવિયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું અને કોંગ્રેસના નેતા પવન ખેરાએ વળતો પ્રહાર કર્યો છે.

પવન ખેડાએ કહ્યું કે અમિત માલવિયાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. જાસૂસી કરવાની આદત તેમને છે. દેશમાં ફક્ત એક જ વ્યક્તિને નિશાન-એ-પાકિસ્તાન મળ્યું છે તે છે મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈને 1990 માં નિશાન-એ-પાકિસ્તાન મળ્યું હતું, ભાજપના સમર્થનથી વીપી સિંહની સરકાર સત્તામાં હતી. શું ભાજપે તેનો વિરોધ કર્યો? મોરારજી દેસાઈએ બાતમીદાર તરીકે કામ કરીને ઝિયાઉલ હકને ભારતીય એજન્સીઓ વિશે માહિતી આપી હતી, જેના કારણે આપણી RAW ને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.

કોંગ્રેસે પૂછ્યું: પહલગામ આતંકી હુમલાના આતંકવાદીઓ ક્યાં છે?
પવન ખેડાએ કહ્યું કે નિશાન-એ-પાકિસ્તાન માટે ઘણા લોકો કતારમાં છે, અડવાણીએ ઝીણાની કબર પર જઈને તેમને ધર્મનિરપેક્ષ ગણાવ્યા હતા. કદાચ તેમને પણ નિશાન-એ-પાકિસ્તાન મળી શકે. મોદી આમંત્રણ વગર પાકિસ્તાન ગયા, તેમને પણ નિશાન-એ-પાકિસ્તાન મળી શકે છે. અટલ બિહારી વાજપેયીએ બટેશ્વર ઘટનામાં એક ક્રાંતિકારી વિશે માહિતી આપી અને તેને સજા અપાવી. અમે પ્રશ્નો પૂછીશું, અમને અમારા DGMO પર વિશ્વાસ છે. સેના જે કંઈ કહે તે સ્વીકાર્ય છે, અમને અમારા રાજકીય નેતૃત્વ પર વિશ્વાસ નથી.
BJP देशहित के मुद्दों पर ओछी राजनीति कर रही है। उसके बाद भी सोचती है कि विपक्ष चुप रहेगा और देश की सुरक्षा से जुड़े सवाल नहीं पूछेगा।
— Congress (@INCIndia) May 19, 2025
हम सवाल पूछते रहेंगे और नहीं पूछेंगे तो देश में आतंकी घटनाएं होती रहेंगी।
इतिहास में दर्ज है कि जब मोरारजी देसाई प्रधानमंत्री थे, तब उन्होंने… pic.twitter.com/zYWXcmxYMz
પવન ખેરાએ પૂછ્યું કે પીએમ મોદી અને જયશંકર ચૂપ કેમ છે? પહલગામ આતંકી હુમલાના 5 આતંકવાદીઓ ક્યાં છે? શું આપણે આ પ્રશ્ન નહીં પૂછીએ? તેમણે કહ્યું કે ભારતીય કરદાતાઓના પૈસામાંથી પગાર મેળવતા વિદેશ પ્રધાન કહી રહ્યા છે કે અમે હુમલા પહેલા પાકિસ્તાનને જાણ કરી હતી. તે શું કહી રહ્યા છે? શું તેમણે પાકિસ્તાનને જણાવ્યું? પણ તમે લોકોને પૂછ્યું અને કહ્યું કેમ નહીં, તોપમારા દરમિયાન ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે દેશ સંકટમાં હોય છે, ત્યારે કોઈ શાસક પક્ષ કે વિપક્ષ હોતો નથી, પરંતુ જ્યારે અમે સરકારની સાથે ઉભા હતા, ત્યારે પણ તેઓ રાજકારણ કરી રહ્યા હતા.

અમિત માલવિયાએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિશે શું કહ્યું?
ભાજપના નેતા અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું: “તે આશ્ચર્યની વાત નથી કે રાહુલ ગાંધી (Rahul Gandhi) પાકિસ્તાન અને તેના હિતૈષીઓની ભાષા બોલી રહ્યા છે. જેણે ભારતના વર્ચસ્વને સ્પષ્ટપણે દર્શાવ્યું તે દોષરહિત ઓપરેશન સિંદૂર માટે વડા પ્રધાનને અભિનંદન આપ્યા નહી. તેના બદલે જેનો ઉત્તર DGMO બ્રીફિંગમાં પહેલાથી આપવામાં આવી ચુક્યોછે તેવો પ્રશ્ન તે વારંવાર પૂછે છે કે આપણે કેટલા જેટ ગુમાવ્યા અથવા ભારતીય સેનાએ પાકિસ્તાની એરબેઝ પર બોમ્બમારો કર્યો ત્યારે કેટલા નાશ પામ્યા? રાહુલ ગાંધી (Rahul Gandhi) માટે આગળ શું? નિશાન-એ-પાકિસ્તાન?
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો
It is not surprising that Rahul Gandhi is speaking the language of Pakistan and its benefactors. He hasn’t congratulated the Prime Minister on the flawless #OperationSindoor, which unmistakably showcases India’s dominance. Instead, he repeatedly asks how many jets we lost—a… pic.twitter.com/BT47CNpddj
— Amit Malviya (@amitmalviya) May 20, 2025
[…] બેંગલુરુમાં ભાજપ આઈટી સેલના (BJP IT Cell) વડા અમિત માલવિયા અને રિપબ્લિક ટીવીના (Republic TV) મુખ્ય […]