AIMIM
Spread the love

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ ઉપર નિશાન સાધીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. ઓખલામાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે તબલીગી જમાત વિરુદ્ધ FIR દાખલ કરનાર વ્યક્તિનું નામ અરવિંદ કેજરીવાલ છે.

કેજરીવાલે મુસ્લિમો પર અત્યાચારની કરી શરૂઆત: AIMIM ચીફ ઓવૈસી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “જ્યારે કોવિડ પોઝિટીવ દર્દીઓની યાદી આવતી હતી, ત્યારે દિલ્હીના તમામ વિસ્તારોમાંથી ક્યાં અને કેટલા પોઝિટિવ કેસ મળ્યા તેની યાદી આવતી હતી. દિલ્હીમાં તે યાદીની નીચે મરકઝની યાદી આવતી હતી. જેની શરૂઆત કેજરીવાલે કરી હતી. આ જુલમ શરૂ કર્યો અને સમગ્ર દેશમાં મુસ્લિમો વિરુદ્ધ નફરતનું વાતાવરણ સર્જાવા લાગ્યું. જ્યારે તમે 5મી ફેબ્રુઆરીએ મતદાન કરવા જાઓ ત્યારે આ વાતનું ધ્યાન રાખજો. તેઓ કહેશે કે તમે કંઈ ન કરો… ચૂપચાપ બેસીને ભાજપને હરાવો. આપણે 50 વર્ષથી ભાજપને હરાવીએ છીએ. આપણે જનસંઘને હરાવી રહ્યા છીએ.”

કચરાને લઈને કેજરીવાલ પર સાધ્યું નિશાન

સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “ઓખલામાં કચરાનો પહાડ બનાવી દેવામાં આવ્યો છે. 27 વર્ષ પહેલા લોકો મારા મતવિસ્તારમાં કચરો ઠાલવતા હતા. તે સમયે ચંદ્રબાબુ નાયડુની સરકાર હતી. ત્યાં કચરો નાખવાનું એવું બંધ થઈ ગયું કે હવે એક ગોલ્ફ ક્લબ ખોલવામાં આવી છે. તમે માત્ર સૂત્રોચ્ચાર કર્યા કરો પરંતુ જ્યાં સુધી તમારી પાસે તાકાત નહી હોય ત્યાં સુધી તેનાથી કંઈ થશે નહીં. જેલનો જવાબ વોટ દ્વારા મળશે, જુલમનો જવાબ વોટ દ્વારા મળશે.”

AIMIM ચીફ ઓવૈસીએ કહ્યું, “કેજરીવાલ અને PM મોદી મુસ્લિમોને નાગરિક નથી માનતા, તેથી પહેલા અધિકારો સાથે દેશના નાગરિક બનો. આજે કેજરીવાલના લોકો કહે છે કે ભાજપ જીતશે. ઓખલામાં વહેલી સવારે 25 રૂપિયામાં પાણી વેચાય છે. હું ઓખલામાં ઘણી જગ્યાએ ફર્યો છું, દરેક જગ્યાએ ગંદકી છે. કેજરીવાલ તેમના કાર્યોના વખાણ કરે છે. તે મારી સાથે આવે, હું તેમનો પર્દાફાશ કરીશ.”


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *