ત્રિપુરામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ 26 જાન્યુઆરીથી દેશમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા 14 બાંગ્લાદેશી (Bangladeshi) ઓને પકડી લીધા છે. આ સાથે ઘૂસણખોરીમાં મદદ કરનારા બે ભારતીય દલાલો પણ ઝડપાયા છે. BSFએ મોટી માત્રામાં ડ્રગ્સ, ખાંડ, પશુઓ અને અન્ય દાણચોરીની વસ્તુઓ પણ જપ્ત કરી છે.

ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેલા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન, ત્રિપુરામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ 26 જાન્યુઆરીથી દેશમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા 14 બાંગ્લાદેશી (Bangladeshi) ઓને ઝડપી પાડ્યા છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. આ દરમિયાન ઘૂસણખોરીમાં મદદ કરનારા બે ભારતીય દલાલો પણ ઝડપાયા છે.
BSF nabs 14 Bangladeshis, 2 Indian touts, seizes contraband in Tripurahttps://t.co/VtgcdOtZQz
— Hindustan Times (@htTweets) February 2, 2025
(Reports @PriyankaDebBarm)
એટલું જ નહીં, સીમા સુરક્ષા દળે મોટી માત્રામાં ડ્રગ્સ, ખાંડ, પશુઓ અને અન્ય દાણચોરીની વસ્તુઓ પણ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી આ વસ્તુઓની અંદાજિત કિંમત 2.5 કરોડ રૂપિયા છે. દ્વિપક્ષીય સહયોગ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવતા, BSF એ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) સાથે મજબૂત સંકલન જાળવી રાખ્યું છે.
14 બાંગ્લાદેશી (Bangladeshi) નાગરિકો અને 2 ભારતીય દલાલ ઝડપાયા
BSF અધિકારીના જણાવ્યા અનુસાર, BSF ત્રિપુરા ફ્રન્ટિયરે તકેદારી વધારી છે અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પેટ્રોલિંગ સઘન અને મજબૂત કર્યું છે પરિણાણે 26 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધીમાં BSF જવાનોએ સરહદ પારથી ઘૂસણખોરી અને દાણચોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે. અધિકારીનું કહેવું છે કે BSF દ્વારા વિવિધ ઓપરેશનમાં 14 બાંગ્લાદેશી (Bangladeshi) નાગરિકો અને બે ભારતીય દલાલોને પકડવામાં આવ્યા છે.
80 જેટલા પેટ્રોલીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યા
અધિકારીએ કહ્યું કે બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (બીજીબી) સાથે સંપૂર્ણ સહયોગ જાળવી રાખીને, બીએસએફએ તાજેતરના સમયમાં ભારત-બાંગ્લાદેશ સરહદો પર લગભગ 80 સંકલિત પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધર્યા છે. આ સાથે BSFએ ત્રિપુરા સાથેની 856 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદે વિવિધ સ્તરે અનેક સરહદ સંકલન બેઠકો યોજી હતી.

ગાંજાની ગેરકાયદે ખેતીનો કરાયો નાશ
તેમણે કહ્યું કે ભાગીદાર એજન્સીઓ સાથેના વિવિધ સંયુક્ત ઓપરેશનમાં, BSF ટુકડીઓએ દૂરના વિસ્તારોમાં ગાંજાની ખેતીનો નાશ કરવા માટે મોટા પાયે ઓપરેશન હાથ ધર્યા હતા. તે જ સમયગાળા દરમિયાન, આશરે 60 એકર જમીન પર 1 લાખ રૂપિયાની કિંમતની ગાંજાની ગેરકાયદેસર ખેતીનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે BSF માત્ર આંતરરાષ્ટ્રીય સરહદ પર તકેદારી જાળવવા માટે પ્રતિબદ્ધ નથી પરંતુ ડ્રગ મુક્ત સમાજના ધ્યેયમાં યોગદાન આપવા માટે પણ પ્રતિબદ્ધ છે.
[…] કરતા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં બાંગ્લાદેશના હિન્દુ અને અન્ય અલ્પસંખ્યક […]
[…] રિસર્ચ સર્વે અનુસાર, ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોમાં હિન્દુઓ અને […]