તામિલનાડુ (Tamilnadu)ના ઈરોડ જિલ્લાના પઝમથિન્ની કરુપ્પા ઈશ્વરન મંદિરમાં મહાશિવરાત્રી ઉત્સવ દરમિયાન યોજાયેલી હરાજીમાં એક લીંબુ 13,000 રૂપિયા અને ચાંદીની વીંટી 43,100 રૂપિયામાં ખરીદવામાં આવી હતી.
તામિલનાડુ (Tamilnadu) ના ઈરોડ જિલ્લામાં એક લીંબુની 13 હજાર રૂપિયામાં હરાજી થઈ હતી. આ લીંબુનો ઉપયોગ ઈરોડના એક ગામના મંદિરમાં ધાર્મિક વિધિઓમાં કરવામાં આવ્યો હતો. મંદિરના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ યોજાયેલી જાહેર હરાજીમાં એક વ્યક્તિએ લીંબુ 13,000 રૂપિયામાં ખરીદ્યું હતું. આ સિવાય બિડરોએ ચાંદીની વીંટી અને ચાંદીના સિક્કા પર પણ બોલી લગાવી હતી.

ઉલ્લેખનીય છે કે તમિલનાડુ (Tamilnadu) ના વિવિધ મંદિરોમાં ધાર્મિક વિધિઓમાં વપરાતા ફળો અને અન્ય સામગ્રીઓની હરાજી થાય છે જે શ્રદ્ધાળુઓ મોટી કિંમત આપીને ખરીદતા હોય છે.
તામિલનાડુ (Tamilnadu) ના કરુપ્પા ઈશ્વરન મંદિરમાં યોજાઈ હરાજી
અહેવાલો અનુસાર, વાર્ષિક મહાશિવરાત્રી ઉત્સવ નિમિત્તે વર્ષો જૂની પરંપરાના ભાગરૂપે વિલાક્કેઠી ગામના પઝમથિન્ની કરુપ્પા ઇશ્વરન મંદિરમાં બુધવારે મધ્યરાત્રિએ જાહેર હરાજી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ હરાજીના અવસર પર, શ્રદ્ધાળુઓ મુખ્ય દેવતાની મૂર્તિ પર રાખવામાં આવેલી લીંબુ, ચાંદીની વીંટી અને ચાંદીનો સિક્કો જેવી પવિત્ર વસ્તુઓની બોલી લગાવે છે.
આ વર્ષે યોજાયેલી હરાજીમાં થંગારાજ નામના વ્યક્તિએ 13,000 રૂપિયામાં લીંબુ ખરીદ્યું, જ્યારે અરાચલુરના ચિદમ્બરમે 43,100 રૂપિયામાં ચાંદીની વીંટી ખરીદી હતી.
'Sacred' Lemon Sold For Rs 13,000 In Tamil Nadu Temple Auction https://t.co/SjzcOJ3ABM pic.twitter.com/LE1ryuF4Vt
— NDTV (@ndtv) February 28, 2025
ગયા વર્ષે 9 લીંબુ 2.36 લાખ રૂપિયામાં વેચાયા હતા
હરાજી દરમિયાન રવિકુમાર અને બનુપ્રિયાએ સંયુક્ત રીતે ચાંદીના સિક્કા માટે 35,000 રૂપિયાની બોલી લગાવી હતી. મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું કે હરાજી પછી વસ્તુઓને ભગવાન સમક્ષ વિશેષ પૂજા માટે મૂકવામાં આવી હતી. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ વસ્તુઓ પોતાના ઘરમાં રાખવાથી તેમના પરિવારમાં સમૃદ્ધિ આવે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તામિલનાડુ (Tamilnadu) ના વિલુપુરમ જિલ્લામાં સ્થિત ભગવાન મુરુગનના મંદિરમાં ચઢાવવામાં આવેલા 9 લીંબુની 2.36 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. આમાંથી એક શ્રદ્ધાળુએ એક લીંબુ 50,500 રૂપિયામાં ખરીદ્યું હતું.
