છેલ્લા કેટલાક વખતથી ઘણા શહેરો અને જીલ્લાઓના નામ બદલાયા છે ત્યારે હવે દિલ્હીમાં ઈન્ડિયા ગેટનું નામ બદલવાની માંગ ઉઠવા લાગી છે. ભાજપના એક નેતાએ પીએમ મોદીને પત્ર લખીને ઈન્ડિયા ગેટનું નામ બદલવાની માંગ કરી છે.
ઈન્ડિયા ગેટનું નામ બદલવાની માંગ કોણે કરી?
ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઈન્ડિયા ગેટનું નામ બદલીને ‘ભારત માતા દ્વાર’ કરવાની વિનંતી કરી છે. જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું કે, આપના નેતૃત્વમાં ભારતના 140 કરોડ ભાઈ-બહેનોના હ્રદયમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ તથા સમર્પણની ભાવના વધી છે. જે રીતે આપના કાર્યકાળમાં મુગલ આક્રાંતા તથા લૂંટારા અંગ્રેજો દ્વારા દેવામાં આવેલા ઘા રુઝવવામાં આવ્યા છે તથા ગુલામીના ડાઘ ધોવામાં આવ્યા છે તેનાથી સમગ્ર ભારતમાં આનંદ છે.
મહોદય, આપે મુગલ ઔરંગઝેબના નામથી બનેલા રોડનું નામ બદલીને એ.પી.જે. અબ્દુલ કલામ રોડ કર્યું, ઈન્ડિયા ગેટ ઉપર કિંગ જ્યોર્જ પંચમની મુર્તિ હટાવીને નેતાજી સુભાષચંદ્ર બોઝની મુર્તિ સ્થાપિત કરી તથા રાજપથનું નામ કર્તવ્ય પથ કરીને ભારતની સંસ્કૃતિ સાથે જોડયા છે. એવી જ રીતે ઈન્ડિયા ગેટનું નામ બદલીને ભારતમાતા દ્વારા કરવાની કૃપા કરશો.
ઈન્ડિયા ગેટનું નામ ભારતમાતા દ્વાર કરવાથી તે સ્તંભ ઉપર લખાયેલા હજારો દેશભક્ત શહીદોના નામને સાચી શ્રદ્ધાંજલિ મળશે. આપને અનુરોધ છે કે મારા પ્રસ્તાવ ઉપર વિચાર કરીને ભારત માતા દ્વાર કરવાની કૃપા કરશો.
BJP Minority Morcha President Jamal Siddiqui writes to PM Modi, proposes renaming India Gate to Bharat Mata Dwar. pic.twitter.com/Sd27nGJzy0
— Press Trust of India (@PTI_News) January 6, 2025
સિદ્દીકીએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે મોદીની આગેવાની હેઠળની સરકારે ‘મુઘલ આક્રમણખોરો’ અને ‘બ્રિટિશ લૂંટારાઓ’ દ્વારા આપવામાં આવેલા ઘાને રુઝવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું- “ઇન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવું એ હજારો દેશભક્તો જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું અને જેમના નામ તેના પર અંકિત છે તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.”