વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન દેશના વિકાસ, ગરીબી નાબૂદી અને વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકો ગરીબોની ઝૂંપડીમાં ફોટો સેશન કરીને પોતાનું મનોરંજન કરે છે તેઓને સંસદમાં ગરીબોની વાત કંટાળાજનક જ લાગશે. તેમણે (PM Modi) કહ્યું કે કેટલાક નેતાઓનું ધ્યાન પોતાના ઘરોમાં જેકુઝી અને સ્ટાઇલિશ શાવર પર કેન્દ્રિત છે જ્યારે અમારું ધ્યાન દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું છે.
#WATCH | PM @narendramodi says, "Earlier, the headlines of the newspapers used to be related to scams and corruption…10 years have passed & crores of rupees have been saved which have been used for the public… we have not used that money to build a 'Sheeshmahal', instead we… pic.twitter.com/FsjyIbCLgo
— All India Radio News (@airnewsalerts) February 4, 2025
રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતના ભવિષ્ય માટે દેશને પ્રેરણા
વડાપ્રધાન મોદીએ સંસદમાં કહ્યું કે 2025 સુધીમાં ભારત 21મી સદીના 25 ટકા વર્ષોને પાર કરી ચુક્યું છે. રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતના ભવિષ્ય માટે દેશને પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે, ‘અમે ગરીબી હટાવોના ખોટા નારા નથી આપ્યા, પરંતુ સાચો વિકાસ આપ્યો છે. 12 કરોડ ઘરોમાં નળથી પાણી પહોંચાડવામાં આવ્યું. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. 4 કરોડ ગરીબોને પાકા મકાનો મળ્યા. 12 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા, જેનાથી મહિલાઓની સમસ્યાઓ ઓછી થઈ.”
સંસદમાં PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહારો
વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, “કેટલાક વિપક્ષી નેતાઓએ વાસ્તવિક ગરીબી જોઈ નથી, તેથી જ સંસદમાં ગરીબોની વાત તેમને કંટાળાજનક લાગે છે. જે લોકો ગરીબોની ઝૂંપડીમાં ફોટો સેશન કરાવે છે, તેઓ ગરીબીની સમસ્યાનું સમાધાન નથી ઈચ્છતા.” પૂર્વ વડાપ્રધાન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આપણા દેશમાં એક એવા વડાપ્રધાન હતા, જેમણે કહ્યું હતું કે જો દિલ્હીમાંથી એક રૂપિયો મોકલવામાં છે તો ગામમાં માત્ર 15 પૈસા પહોંચે છે. તે સમયે પંચાયતથી લઈને સંસદ સુધી એક જ પક્ષનું શાસન હતું. દેશે અમને તક આપી, અમે ઉકેલ શોધવાના પ્રયાસ કર્યા. અમારું મોડલ છે – બચત પણ અને વિકાસ પણ, જનતાના નાણાં, જનતા માટે.

અમે નાણા ‘શીશમહેલ’ બનાવવા માટેનહીં, દેશના નિર્માણમાં વાપર્યા
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, “પહેલા અખબારોની હેડલાઈન હતી – આટલા લાખોના કૌભાંડો… 10 વર્ષ થઈ ગયા છે, કૌભાંડો ન થવાને કારણે દેશના લાખો કરોડો રૂપિયા બચ્યા જેનો ઉપયોગ જનતાની સેવા માટે ઉપયોગમાં લીધા છે. અમે લીધેલા વિવિધ પગલાંને કારણે લાખો અને કરોડો રૂપિયાની બચત થઈ, પરંતુ અમે તે નાણાં ‘શીશમહેલ’ બનાવવા માટે નહીં, અમે તે નાણાં દેશના નિર્માણમાં વાપર્યા.”
