Spread the love

  • G-7 શક્તિશાળી 7 દેશોનું સંગઠન
  • ભારતને આમંત્રિત તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું.
  • 2020 ની મીટીંગ કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી

G-7 ની જૂન મહિનામાં મળનારી સમિટમાં બ્રિટને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું

વિશ્વના શક્તિશાળી 7 દેશોના સંગઠન G-7 ની જૂન મહિનામાં મળનારી સમિટમાં સંગઠનના અધ્યક્ષ બ્રીટને આમંત્રણ આપ્યું છે. G-7 સંગઠનના અધ્યક્ષસ્થાને બદલાતું રહેતું હોય છે એ મુજબ વર્તમાનમાં બ્રીટન G-7 ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારત ઉપરાંત ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ કોરિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આગામી જૂન મહિનામાં 11-13 તારીખે દક્ષિણ પશ્ચિમ બ્રીટનના કોર્નવૉલના દરિયા કિનારે આવેલા રમણીય શહેર કાર્બિસ બૅ માં G-7 ની સમિટ યોજાશે તે નક્કી કરી દેવામાં આવ્યું જોકે હજુ આમંત્રિત દેશોના નેતાઓની સહમતીની રાહ જોવાઈ રહી છે.

અમેરિકાની બદલાઈ રહેલી નેતાગીરી અને G-7

જૂન 2021 માં યોજાનારી G-7 નું મહત્વ અમેરિકામાં બદલાઈ રહેલી નેતાગીરીના સમયમાં વધી ગયું છે. નવા અમેરિકી પ્રમુખ જૉ બીડેન માટે પ્રમુખ બન્યા બાદ સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સમિટ હશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે દબાણ કરીને સમિટ રદ કરી હતી. વિશ્વના શક્તિશાળી લોકશાહી 7 દેશોના આ સંગઠનમાં અમેરિકાનું વલણ કેવું રહેશે તે તરફ નજરો મંડાયેલી છે.

G-7 ની આ સમિટના એજન્ડા શું હશે

લગભગ બે વર્ષ બાદ આ વર્ષે નિર્ધારિત સમિટમાં વૈશ્વિક કોરોના મહામારી સામે વિશ્વનો પ્રતિકાર તથા ક્લાઈમેટ ચેન્જ સૌથી મોટા મુદ્દા હશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્ર ઉપર પડેલી અસરો તથા તેના ઉપાયો પણ મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે. આ અનુમાનોને બ્રીટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના, ” કોરોના વાયરસ એ વર્તમાન પેઢીએ જોયેલી નિઃશંકપણે એક વિનાશકારી તાકાત છે.” તથા ” હવે આપણે નવા ભવિષ્યના નિર્માણ માટે નિખાલસતાથી ભેગા મળીને કાર્ય કરવું આવશ્યક છે” જેવા નિવેદન આવ્યા વધુ બળ મળ્યું છે.

બ્રિટન વૈશ્વિક સ્તરે મજબૂત હાજરી બતાવશે

પોતાના અભિપ્રાયને વધારે સ્પષ્ટ કરતા બ્રિટીશ વડાપ્રધાને કહ્યું કે, ” વિશ્વ સમક્ષ ઉપસ્થિત થયેલા મોટામાં મોટા પડકારોનો નિર્ણાયક સામનો કરવા માટે વિશ્વના લોકશાહી દેશોના સમૂહ G-7 એ અગ્રણી ભૂમિકા ભજવી છે.” બ્રિટીશ વડાપ્રધાનના કાર્યાલય દ્વારા જણાવાયું છે કે, તેઓ આ સમિટને વૈશ્વિક મહામારીમાં થી ગ્રીન રિકવરી માટે પ્રોત્સાહન આપશે તથા G-7 સભ્યોને “ભાવિને વધુ સારી, હરિયાળી અને વધુ સમૃદ્ધ બનાવવા” માટે એક થવાનું પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટન સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિના અધ્યક્ષ પદ સંભાળશે. બ્રેકઝીટ બાદ એક નવા પથ ઉપર આગળ વધી રહેલા બ્રિટનની આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી તથા ભૂમિકાને વધુ મજબૂત બનાવવાની નેમ ધરાવે છે એ મુજબના સંકેત બ્રિટિશ વડાપ્રધાને આપ્યા છે.

ચીન વિરોધી મોરચો મજબૂત થઈને બહાર આવશે ?

ચીનના વુહાનથી પ્રસરેલા કોરોના વાયરસે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું અને એનાથી થયેલા મૃત્યુ અને અર્થતંત્રને થયેલા નુકશાન તરફ દ્રષ્ટિ કરીએ તો દેખાય છે કે ચીનના વુહાનથી પ્રસરેલા કોરોના વાયરસે સૌથી વધુ નુકશાન G-7 ના દેશોમાં કર્યું છે. ઉપરોક્ત વાસ્તવિકતા જોતાં એવું અનુમાન લગાવવું ખોટું નહીં જ ગણાય કે G-7 ચીનના વધતા પ્રભાવને ખાળવા માટે પણ મંથન કરશે. G-7 ના અગ્રીમ દેશોમાંથી અમેરિકા કોરોના મહામારી દરમિયાન મોબાઈલ ફોન ઉત્પાદક શાઓમી સહિત ચીનની 20થી વધુ કંપનીઓ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે તો બ્રિટને સ્વયં ચીનમાંથી આવતા રોકાણો ઉપર લગામ લગાવતો નિયમ બનાવ્યો છે. જાપાને ચીનમાંથી ઉચાળા ભરનારી જાપાનીઝ કંપનીઓ માટે મસમોટું પેકેજ જાહેર કર્યું છે. કોરોના મહામારી દરમિયાન ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા સાથે પણ ચીનના મતભેદ થયા હતા. સમગ્ર ચિત્ર જોતાં એવું અનુમાન લગાવી શકાય કે આવનારી G-7 ની સમિટ ચીનના વધતા પ્રભાવને ખાળવા માટે ચર્ચા થશે તો નવાઈ નહીં લાગે. ઉલ્લેખનીય છે કે ભારતને G-7 માં જોડાવા માટે ફ્રાંસ 2019 માં આમંત્રણ આપી ચુક્યું છે તથા ગયા વર્ષે અમેરિકન પ્રમુખ પણ ભારતના G-7 માં જોડવાની બાબત કહી ચુક્યા છે.

G-7 શું છે ?

G-7 અથવા Group of 7 એ જાણીતું વિશ્વના સૌથી શક્તિશાળી એવા 7 લોકશાહી દેશોનું સંગઠન છે. G-7 માં અમેરિકા,બ્રિટન, જાપાન, જર્મની, ઈટાલી, ફ્રાંસ અને કેનેડા સામેલ છે. 2018ની ગણતરી મુજબ આ સાતેય દેશો વિશ્વની કુલ સંપત્તિના 58% અથવા 317 ટ્રિલિયન ડોલર સંપત્તિ ધરાવે છે, વિશ્વની નોમિનલ મૂલ્ય આધારિત GDP ના 46% કરતા વધુ GDP ઉપર આધિપત્ય ધરાવે છે, ખરીદ શક્તિ આધારિત વૈશ્વિક અર્થતંત્રમાં આ સાત દેશો 32% કરતાં વધુ હિસ્સો ધરાવે છે. G-7 બનાવવાનો સૌપ્રથમ વિચાર 1973ની ઓઈલ કટોકટી દરમિયાન આવ્યો હતો અને અમેરિકાના સેક્રેટરી ઓફ ટ્રેઝરી જ્યોર્જ શુલ્ટ્ઝે બ્રિટન, તત્કાલીન પશ્ચિમ જર્મની તથા ફ્રાંસના નાણામંત્રીઓની સાથે 25 માર્ચ 1973 ના દિવસે એક અનૌપચારિક મીટીંગ કરીને પાયો નાખ્યો હતો. G-7 ની અત્યાર સુધી 46 સમિટ યોજાઈ ગઈ છે ગયા વર્ષ કોરોના મહામારીને કારણે યજમાન અમેરિકાએ સમિટ રદ કરી હતી.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.