Snake bite Scam
Spread the love

સર્પદંશ કૌભાંડ (Snake bite Scam) જેવું વિચિત્ર કૌભાંડ ભારતના એક રાજ્યમાંથી બહાર આવ્યું છે જેમાં એક જ જિલ્લામાં જ સરકાર સાથે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ. આ કૌભાંડની પદ્ધતિ ચોંકાવનારી છે. સરકારી અધિકારીઓ અને પીડિતોએ સાથે મળીને આખો ખેલ ચલાવ્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મધ્યપ્રદેશના સર્પદંશ કૌભાંડની (Snake bite Scam) ખૂબ ચર્ચા છે. અને કેમ ન થાય? આવું કૌભાંડ ભાગ્યે જ જોવા મળે કે સાંભળવા મળે છે. અ અજબગજબ કૌભાંડમાં લોકો ફક્ત એક જ વાર નહીં પરંતુ 20 થી 30 વાર સાપ કરડવાથી મૃત્યુ પામી રહ્યા છે અને સરકાર તેમને દર વખતે વળતર પણ આપી રહી હતી.

આ સર્પદંશ કૌભાંડમાં (Snake bite Scam) સરકારી અધિકારીઓ સહિત 46 લોકોએ સરકારના 11 કરોડ 26 લાખ રૂપિયાની ઉચાપત કરી. જ્યારે કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે સરકારની ઊંઘ ઉડી ગઈ. સરકાર માટે 11 કરોડ રૂપિયા મોટી રકમ નથી, પરંતુ કૌભાંડની રીતથી લોકો આશ્ચર્ય પામ્યા છે.

2019 થી 2022 સુધી ચાલ્યું સર્પદંશ કૌભાંડ (Snakebite Scam)

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં સર્પદંશ કૌભાંડનો (Snake bite Scam) ખુલાસો થયો. અહીં સર્પદંશની દવામાં છેતરપિંડીનો પર્દાફાશ થયો. આ ઉપરાંત, નકલી સર્પદંશ મૃત્યુ દાવાઓ દ્વારા 11.26 કરોડ રૂપિયા જેટલા સરકારી નાણાંની લૂંટ ચલાવવામાં આવી. સિઓનીના કેવલારી તાલુકામાં, 2019 થી 2022 દરમિયાન નકલી સર્પદંશથી મૃત્યુના દાવાઓ દ્વારા 11.26 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે. ચોંકાવનારી વાત એ છે કે રામકુમાર નામના વ્યક્તિને 19 વખત અને રમેશ નામના વ્યક્તિને 30 વખત મૃત બતાવીને વળતર લેવામાં આવ્યું.

મધ્યપ્રદેશ સરકાર સર્પદંશથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારોને વળતર આપે છે. આ રકમ 4 લાખ રૂપિયા છે. આ યોજનાનો લાભ લઈને ભ્રષ્ટ લોકો સક્રિય થયા અને ખોટા દસ્તાવેજો દ્વારા કેવલારીના રમેશને 30 વખત સાપ કરડવાથી મૃત દર્શાવવામાં આવ્યો હતો અને સરકાર પાસેથી વળતર લેવામાં આવ્યું હતું. રાજકુમાર અને અન્ય લોકો સાથે પણ એવું જ કરવામાં આવ્યું. આ ઉપરાંત, સર્પદંશ માટેની દવાઓની ખરીદીમાં પણ અનિયમિતતાઓ જોવા મળી, દવાઓ વધુ કિંમતે ખરીદવામાં આવી અથવા નકલી બિલ બનાવવામાં આવ્યા.

તપાસમાં સહાયક સચિવ સહિત 46 લોકોની સંડોવણી

Integrated Financial Management System (IFMS) અને તહસીલ-કોષાલયની નબળી વ્યવસ્થાએ આ કૌભાંડ સરળ બનાવી દીધુ. જબલપુરના નાણા અને ટ્રેઝરી વિભાગ દ્વારા તપાસ બાદ આ ખુલાસો થયો હતો. આ કેસમાં એક સહાયક સચિવની પણ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ બાકીના આરોપીઓ સામે કાર્યવાહી હજુ બાકી છે.

જબલપુર વિભાગના નાણાં વિભાગની એક વિશેષ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપીએ આ રકમ તેના પરિવાર, મિત્રો અને પરિચિતોના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારી ભંડોળ સીધા લાભાર્થીઓના ખાતામાં જવાને બદલે, તે વૈયક્તિક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. એ સ્પષ્ટ છે કે આખુ કૌભાંડ યોજનાબદ્ધ અને સંગઠિત રીતે કરવામાં આવ્યુ. આ રિપોર્ટ સિવની કલેક્ટરને મોકલવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશમાં વારંવાર થતા કૌભાંડોનું કારણ નબળી વ્યવસ્થા અને જવાબદારીનો અભાવ જણાય છે. IFMS જેવી ડિજિટલ સિસ્ટમમાં ખામીઓ, તાલુકા અને તિજોરીઓની બેદરકારી અને તપાસમાં વિલંબથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળ્યું હોવાની રાવ છે. ઉદાહરણ તરીકે, સર્પદંશ કૌભાંડમાં (Snake bite Scam) એક જ વ્યક્તિને વારંવાર મૃત બતાવવી એ સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. નિષ્ણાતો કહે છે કે બાયોમેટ્રિક વેરિફિકેશન અને રીઅલ-ટાઇમ મોનિટરિંગ જેવા પગલાં લેવા પડશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *