Spread the love

  • UIDAIએ ટ્વીટ કરીને આપી જાણકારી

  • આધાર કાર્ડમાં બીઓમેટ્રિક ફેરફાર કરાવવા માટે હવે આપવી પડશે 100 રૂપિયા ફી

  • આધાર કાર્ડનો દેશમાં ઓળખ તથા રહેઠાણના પુરાવા તરીકે સૌથી વધુ ઉપયોગ થાય છે

  • 121 કરોડ ભારતીય નાગરિકો આધાર કાર્ડ ધરાવે છે.



UIDAIએ આજે આધાર કાર્ડ વિષે મહત્વપૂર્ણ જાણકારી ટ્વીટ કરીને આપી છે. ભારતમાં લગભગ 121 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે. આધાર કાર્ડ ધારકો પોતાના આધાર કાર્ડમાં કોઈ સુધારો વધારો કોઈ પણ આધાર સેવા કેન્દ્રમાં અથવા વેબસાઇટ ઉપર જઈને કરી શકે છે. આધાર કાર્ડમાં સાચી જાણકારી હોવી અત્યંત આવશ્યક છે જો કોઈ જાણકારી ખોટી જણાય તો આધારકાર્ડ ધારકને સરકારની ઘણી યોજનાઓના લાભ મળવાના બંધ થઈ શકે છે. આધાર કાર્ડમાં ધારક બદલાવ કરાવી શકે છે કેટલાક બદલાવ માટે ચોક્કસ દસ્તાવેજની જરૂર પડે છે તો કેટલાક બદલાવ માટે કોઈ દસ્તાવેજની જરૂર પડતી નથી


આધાર કાર્ડમાં આ સુધારો કરાવવા કોઈ દસ્તાવેજ જરૂરી નથી.




આધાર કાર્ડમાં ઈમેલ આઈડી, બાયોમેટ્રિકસ, લિંગ, મોબાઈલ નંબર, ફોટોગ્રાફ વગેરેમાં બદલાવ કરવા માટે કોઈ જ પ્રકારના દસ્તાવેજોની આવશ્યકતા નથી.



આધાર કાર્ડમાં કયો સુધારો કરાવવાની કેટલી ફી થશે


UIDAI ના ટ્વીટમાં જણાવ્યુ છે કે આધારકાર્ડ ધારક એક સુધારો કરાવે કે એક કરતાં વધુ સુધારા કરાવે, બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા ફી લાગશે. આધારકાર્ડ ધારકને માત્ર ડેમોગ્રાફિક માહિતીમાં સુધારો કરાવવા માટે 50 રૂપિયા ફી આપવાની થશે.


ડેમીગ્રાફિક બદલાવ માટે આ ડોકયુમેંટ જરૂરી


ડેમોગ્રાફિક માહિતી જેવી કે નામ, સરનામું, જન્મ તારીખમાં સુધારો કરાવવા માટે ચોક્કસ દસ્તાવેજ આપવા પડશે. UIDAIએ ઓળખમાં બદલાવ માટે 32 દસ્તાવેજ, રહેઠાણના સરનામામાં બદલાવ માટે 45 દસ્તાવેજ તથા જન્મતારીખમાં બદલાવ કરવા માટે 15 દસ્તાવેજ માન્ય કર્યા છે.




Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.