Spread the love

  • હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિન

  • મિશન મંગલનું નેતૃત્વ કરનારા કે.રાધકૃષ્ણનનો જન્મદિન

  • કારગિલ યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરનારા મેજર મનોજ તલવારનો જન્મદિન

29મી ઓગસ્ટને દિવસે દેશ અને દુનિયાના ઈતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાયેલી છે. ભારતના પરિપ્રેક્ષ્યથી જોતા 29મી ઓગસ્ટના દિવસે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરનારા હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદનો જન્મ વર્ષ 1905માં થયો હતો. ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કે. રાધાકૃષ્ણનનો જન્મ 1949માં 29મી ઓગસ્ટના દિવસે જ થયો હતો જેમણે ભારતના મિશન મંગળનું નેતૃત્વ કર્યું હતું અને પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવીને ભારતે રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત કારગિલ યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરનારા મેજર મનોજ તલવારનો જન્મ પણ આ દિવસે જ 1969માં થયો હતો.


29મી ઓગસ્ટની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઐતિહાસિક ઘટનાઓ


  • 1612 : ભારત ઉપર વિદેશી ગુલામીના યુગની મહત્વપૂર્ણ ઘટના બની હતી. આ દિવસે સુરતની લડાઈમાં અંગ્રેજોએ પોર્ટુગીઝોને હરાવ્યા હતા.

  • 1842 : બ્રિટન અને ચીન વચ્ચે નાનકિંગ સંધિ થઈ જેનાથી પહેલા અફીણ યુદ્ધનો અંત આવ્યો

  • 1887 : ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી તથા ગાંધીજીના ડોક્ટર શ્રી જીવરાજ મહેતાનો જન્મ

  • 1932 : નધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડૈમ ખાતે આંતરરાષ્ટ્રીય યુદ્ધ વિરોધી સમિતિની રચના કરવામાં આવી

  • 1941 : જર્મન સૈનિકોએ 1469 યહૂદી બાળકોની રૂસમાં જધન્ય હત્યા કરી.

  • 1945 : હોંગકોંગ જાપાનની પકડમાંથી બ્રિટનના આધિપત્ય હેઠળ આવ્યું


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.