લગભગ છસો વીસ વર્ષ પૂર્વે 1398ની મહા મહિનાની પુર્ણિમાના રોજ કાશી નજીકના એક ગામમાં સંતોખ દાસ અને કર્મા દેવીના પરિવારમાં જન્મેલા સંત રવિદાસજીને આપણે નિઃશંકપણે એવા વ્યક્તિ માનીએ છીએ જેમણે ધાર્મિક અસમાનતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને ધર્માંતરણ થયેલા લોકોને તેમના સ્વધર્મમાં પરત લાવનાર પ્રથમ પેઢીના સંતના પ્રતિનિધિ કહી શકાય. સંત શિરોમણી રવિદાસજીને સંત રૈદાસજી, સંત રોહિદાસના નામથી આજે સમાજ આદર આપે છે.

આજકાલ હિંદુ ધર્મમાં ધર્માંતરણ અને સ્વધર્મમાં પરત ફરવું વર્તમાન સમયમાં રાજકીય કારણોસર ચર્ચાનો મોટો વિષય બની રહ્યો છે. જોકે સામાજિક સ્તરે ભારતમાં સદીઓથી ધમાંતરણ ચિંતાનો વિષય રહ્યો છે. ભારતમાં ધર્મ પરિવર્તન અંગે આઠસો વર્ષ પહેલા શરૂ થયેલી ચર્ચા અને ચિંતા સમય અને સંજોગોને અનુરૂપ ક્યારેક મુખ્ય ધારાનો હિસ્સો બની પણ મોટાભાગે આક્રમણકારો અને આતતાયીઓના અત્યાચારને કારણે આંતરિક રીતે દબાયેલા સ્વરે થતી રહી હતી. પેઢીઓ વહેતી રહી પણ આ ચિંતા પેઢી દર પેઢી વધતી હતી.
The birth anniversary of Sant Ravidas is being celebrated across the country today. Sant Ravidas was a 14th-century saint and founder of the Bhakti movement in North India. #RavidasJayanti #Ravidasjayanti2025 #SantRavidas pic.twitter.com/QBvsXZadIh
— All India Radio News (@airnewsalerts) February 12, 2025
બાહ્ય આક્રમણખોરો અને શાસકો ભારતની પ્રજાને બળજબરીથી ધર્માંતરિત કરવામાં અભિમાન અનુભવતા હતા. તે સમયે સ્વાભાવિક રીતે જ ભારતીય વાતાવરણમાં ધર્માંતરણ અંગે ભય, ચિંતા અને તેમાંથી મુક્તિ મેળવવાની વૃત્તિ ઊભી થવા લાગી હતી. સમયની સાથે ધર્માંતરણનું કારણ બનેલા પરિબળોથી છૂટકારો મેળવવાની આ વૃત્તિ ક્યારેક બહાર આવતી ક્યારેક સમય સમય અને સંજોગીના આધારે દબાઈ જતી રહી.
એ સમય હતો અત્યાયારી વિદેશી મુસ્લિમ શાસક સિકંદર લોધીનો તેણે ભારતીય લોકોને ત્રાસ આપવાનું અને કચડવાનું અને ધર્મ પરિવર્તનનું આક્રમણ કર્યું હતું. દેશનો હતું. દેશનો હિંદુ સમાજ હિંદુઓ પર તીર્થયાત્રા પર જજીયા ટેક્સ, સ્મશાન પર જજીયા ટેક્સ, હિંદુ રિવાજો અનુસાર લગ્ન પર જજીયા ટેક્સ જેવા વિવિધ પ્રકારના ગેરકાયદેસર ટેક્સ લાદતા લોધીના અત્યાચારી આદેશોથી ત્રાહિમામ પોકારી ગયો હતો. ભારતીય હિંદુ પરંપરાઓ અને માન્યતાઓનું પાલન કરનારાઓ પાસેથી કર વસૂલવો અને મુસ્લિમ ધર્મનુ પાલન કરનારાઓને છૂટ અને પ્રાથમિકતા બે હેતુથી આપાતી કે હિન્દુ કંટાળીને ઇસ્લામ સ્વીકારી લે. સંત રૈદાસે જ્યારે સમાજમાં આ અત્યાચાર જોયા ત્યારે અત્યંત દુઃખી થઈ ગયા.

સંત શિરોમણી રવિદાસજી અને ભક્તિ આંદોલન
તે સમયે સ્વામી રામાનંદ પોતાના ભક્તિ આંદોલન દ્વારા દેશમાં દેશભક્તિની જ્યોતિ પુન: જાગૃત કરી અને અત્યાચારી મુસ્લિમ શાસકો સામે આંદોલનને જન્મ આપ્યો. સમયાનુકુલ રહી સ્વામી રામાનંદે વિવિધ જાતિઓનું પ્રતિનિધિત્વ કરતા સંતોને જોડીને દ્વાદશ ભાગવત શિષ્ય મંડળીની સ્થાપના કરી. સંત રવિદાસજી વિવિધ સમાજનું પ્રતિનિધિત્વ કરતા આ દ્વાદશ ભાગવત શિષ્ય મંડળીના સ્થાપક અને મંડળીના વડા હતા. સંત રવિદાસજીએ તેમની દ્વાદશ ભાગવત શિષ્ય મંડળી સાથે મળીને મુસ્લિમ શાસકો દ્વારા હિંદુ સંસ્કારોના પાલન પર લાદવામાં આવેલા જજીયા વેરાનો વિરોધ કરીને જાગરણ અભિયાન શરુ કર્યું. આ દ્વાદશ ભાગવત શિષ્ય મંડળીએ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું અને દેશભક્તિ અને દેશભક્તિની ભાવનાને બચાવવા અને જાગૃત કરવાનું મુશ્કેલ કાર્ય શરુ કર્યું.
તે સમયે સંત રવિદાસજીના નેતૃત્વમાં સમાજમાં જાગૃતિની લહેર ઉભી થઈ તેણે ન માત્ર ધર્માંતરણ અટકાવ્યું પરંતુ અત્યંત કઠિન અને આત્યંતિક સંઘર્ષના તે સમયગાળામાં મુસ્લિમ શાસકોને ખુલ્લો પડકાર ફેંક્યો અને ધર્માંતરિત હિંદુઓને સ્વધર્મમાં પરત લાવવાનું અભિયાન શરૂ કર્યું સંત રવિદાસજી સમગ્ર દેશમાં એક સર્વ સ્વીકૃત સંત બન્યા એટલું જ નહીં શાસકો અને રાજાઓએ તેમને તેમના દરબારમાં આદરણીય સ્થાન આપવાનું શરુ કર્યું.

સંત રવિદાસજીને મળેલો અસામાન્ય આદર દેશમાં ઐતિહાસિક સમરસતાના વાતાવરણનો સર્જક બન્યો. સંત રવિદાસજીને ભારતીય સામાજિક એકતાના પ્રતિનિધિ સંત તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા, કારણ કે મુસ્લિમ શાસકોને પડકારવાનું મુશ્કેલ કાર્ય જે શાસકો નહોતા કરી શક્યા તે સામાજિક શક્તિને જાગૃત કરવાનું કાર્ય એક સંતે અસરકારક રીતે કર્યું. સંત રવિદાસજી આર્થિક અને સામાજિક પછાત હોવા છતાં પછાત જાતિઓમાં પોતાના ધર્મ પ્રત્યે આદરની લાગણી જાગૃત કરવામાં સફળ રહ્યા અને તેનું પરિણામ એ છે કે આજે પણ આ જાતિમોમાં મુસ્લિમ ધર્માંતરણનું પ્રમાણ ખુબ જ ઓછું જોવા મળે છે.
પોતાનો ધર્માંતરણનો મુખ્ય એજન્ડા નિષ્ફળ જતો જોઈ સિકંદર લોધી અંદરથી ગભરાઈ ઉઠ્યો અને સદના નામના કસાઈને સંત રવિદાસજી પાસે મુસ્લિમ ધર્મ અપનાવવાનું કહેણ લઈને મોકલ્યો. જો સંત રવિદાસજીએ અત્યાયારી લોધીના સંદેશને સ્વીકાર્યો હોત, તેનાથી ડરી ગયા હોત કે નતમસ્તક થયા હોત તો ભારતીય સમાજને ઐતિહાસિક રીતે ભારે નુકસાન થયું હોત અને નિ:શંકપણે આજે ઈતિહાસ જુદો હોત પરંતુ ધન્ય છે આદરણીય સંત રવિદાસજીને કે તેઓ જરા પણ ડગ્યા કે ડર્યા નહી અને ધર્મ પરિવર્તન સામે તેમણે જગાવેલી અલખને જાગૃત રાખવા સમગ્ર દેશને જોરદાર આહ્વાન કર્યું.
સંત રવિદાસજીને ઈસ્લામ ધર્મ અપનાવવાનો સંદેશ લઈને આવેલા સદના કસાઈએ સંત રવિદાસજીના તેજ સમક્ષ માથું ટેકવી દીધુ અને પોતે વૈષ્ણવ સંપ્રદાયની સ્વીકાર કર્યો અને રામદાસના નામથી વિષ્ણુની ભક્તિમાં લીન થઈ ગયો સંત રૈદાસજીએ પોતાની રૈદાસ રામાયણમાં લખ્યું છે.
વેદધર્મ છોડુ નહી કોસિસ કરો હજાર,
તિલ-તિલ કાટો ચાહી. ગલા કાટો કટાર
- દેવજીભાઈ રાવત
