ભારતીય રેલ્વે (Indian Railways) એક વિશેષ હેરિટેજ ટ્રેન ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ પહેલ ચલાવી રહી છે, જેનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને દેશના સમૃદ્ધ ઈતિહાસને પ્રદર્શિત કરવાનો છે. આ સ્પેશ્યલ પ્રવાસ 6 દિવસ અને 5 રાત માટે છે. આ યાત્રા દ્વારા શિવાજી સાથે સંબંધિત તમામ ઐતિહાસિક ઘટનાક્રમોને એક જ યાત્રામાં સમાવવાની અનોખી તક મળશે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતીય રેલ્વે (Indian Railways) લોકોને ઈતિહાસથી પરિચિત કરાવવા માટે સતત કંઈક નવું કરતી રહે છે. મહાન મરાઠા શાસક શિવાજીને વિશેષ શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય રેલ્વે (Indian Railways) હવે ‘છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ’ શરૂ કરવા જઈ રહી છે. આ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ 6 દિવસ અને 5 રાત રહેશે. આ સ્પેશ્યલ ટ્રેન ઈતિહાસ પ્રેમીઓને છત્રપતિ શિવાજી મહારાજના જીવન સાથે સંકળાયેલા મહારાષ્ટ્રના સૌથી પ્રતિષ્ઠિત સ્થળોની અવિસ્મરણીય યાત્રા કરાવશે.
छत्रपति शिवाजी महाराज से जुड़े सभी क्षेत्रों को भारत गौरव सर्किट यात्रा से जोड़ा जाएगा: रेल मंत्री श्री @AshwiniVaishnaw जी #Rail_for_viksit_Bharat pic.twitter.com/RkSXGhUAEh
— Ministry of Railways (@RailMinIndia) March 19, 2025
ભારતીય રેલ્વેની (Indian Railways) આ વિશેષ હેરિટેજ ટ્રેન આવતા મહિનાથી શરૂ થશે. 9 જૂનથી શરૂ થનારો આ પ્રવાસ પ્રવાસીઓને એક અદ્વિતીય અનુભવ પ્રદાન કરશે. જેના દ્વારા પ્રવાસીઓને મહાન મરાઠા રાજા સાથે સંબંધિત ઐતિહાસિક કિલ્લાઓ, મંદિરો અને સ્મારકો જોવાની તક મળશે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતીય રેલ્વેની (Indian Railways) આ વિશેષ યાત્રા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી શરૂ થશે અને ત્યારબાદ ટ્રેન રાયગઢ કિલ્લો, લાલ મહેલ અને કસ્બા ગણપતિ, શિવસૃષ્ટિ, શિવનેરી કિલ્લો, પ્રતાપગઢ કિલ્લો, પન્હાલા કિલ્લો, ભીમાશંકર જ્યોતિર્લિંગ અને મહાલક્ષ્મી મંદિર જેવા ઘણા મહત્વપૂર્ણ સ્થળોને આવરી લેશે.

‘રાયગઢ કિલ્લો’ પણ યાત્રામાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં રાયગઢ કિલ્લાનું વિશેષ મહત્વ છે. અહીં શિવાજીનો રાજ્યાભિષેક થયો અને તે મરાઠા સામ્રાજ્યની રાજધાની બન્યું. શિવાજી મહારાજે તેમનું બાળપણ લાલ મહેલમાં વિતાવ્યું, આ જ જગ્યાએ તેમનું નિવાસ રહેતુ. જ્યારે કસ્બા ગણપતિ પુણેના પ્રમુખ દેવતા છે અને રાજમાતા જીજાઉ અને શિવાજી મહારાજ દ્વારા સ્થાપિત પ્રથમ ગણપતિ પ્રતિમા છે. તેવી જ રીતે, શિવસૃષ્ટિ એ છત્રપતિ શિવાજી મહારાજના જીવન, તેમની સિદ્ધિઓ અને વારસાને લગતી બાબતોનું પ્રદર્શન કરતી એક અનોખી પહેલ છે.
ભારતીય રેલ્વેની (Indian Railways) હેરિટેજ યાત્રામાં પ્રતાપગઢ કિલ્લો જોવા મળશે
પ્રતાપગઢ કિલ્લાની પણ પોતાની વિશેષતા છે. તે શિવાજી મહારાજે બનાવ્યો હતો. 10 નવેમ્બર 1659 ના દિવસે આ કિલ્લામાં શિવાજી અને અફઝલ ખાન વચ્ચે ઐતિહાસિક યુદ્ધ થયું હતું. કિલ્લાની અંદર, શિવાજીએ દેવી તુલજા ભવાનીને સમર્પિત એક મંદિર પણ બનાવ્યું હતું.
બીજો એક પન્હાલા કિલ્લો છે જે તેની વિશિષ્ટતા માટે પણ જાણીતો છે. પન્હાલા કિલ્લો તેની સર્પાકાર રચનાને કારણે ‘સાપોના કિલ્લો’ તરીકે પણ ઓળખાય છે, આ કિલ્લો શિવાજી અને સંભાજીના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. આ કિલ્લાને બાજી પ્રભુ દેશપાંડેની બહાદુરી માટે યાદ કરવામાં આવે છે, જે એક વફાદાર સેનાપતિ હતા, તેમણે શિવાજીના ભાગી જવા અને કિલ્લાના કબજા દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી હતી.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
6 દિવસ અને 5 રાતની વિશિષ્ટ યાત્રા
ભારતીય રેલ્વેની (Indian Railways) આ સ્પેશ્યલ હેરિટેજ ટ્રેન ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન‘ (Bharat Gaurav Tourist Train) પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને દેશના સમૃદ્ધ ઈતિહાસને પ્રદર્શિત કરવાનો છે. આ સ્પેશ્યલ પ્રવાસ 6 દિવસ અને 5 રાત માટે છે. આ યાત્રા દ્વારા, શિવાજી સાથે સંબંધિત તમામ ઐતિહાસિક ઘટનાઓને એક જ યાત્રામાં સમાવવાની અનોખી તક મળે છે.

ભારતીય રેલ્વેની (Indian Railways) આ યાત્રા માટે 3 શ્રેણીની ટિકિટ ઉપલબ્ધ છે. પ્રથમ, ઈકોનોમી એટલે કે સ્લીપર ક્લાસની કિંમત 13,155 રૂપિયા, કમ્ફર્ટ એટલે કે 3એસીની કિંમત 19,840 રૂપિયા અને સુપર્બ એટલે કે 2એસીની કિંમત 27,365 રૂપિયા છે. બધામાં GST, ભોજન અને માર્ગદર્શિત પ્રવાસનો સમાવેશ થાય છે. એકલા મુસાફરી કરતા મુસાફરોએ આર્થિક અને આરામદાયક પ્રવાસ માટે સાથી મુસાફર સાથે રૂમ શેર કરવાનો રહેશે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો