2008ના અમદાવાદ (Ahmedabad) શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં (Serial Blast Case) મંગળવારે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) મહત્વપૂર્ણ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે (High Court) ખાસ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. આ કેસમાં 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓને આપવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રહેશે. આ ઉપરાંત મૃતકોના પરિવારોને ₹10 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વર્ષ 2008માં અમદાવાદ (Ahmedabad) શહેરને હચમચાવી નાખનાર સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Serial Blast Case) ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટ (Trial Court) દ્વારા ફટકારાયેલી સજાને યથાવત રાખતાં 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. હાઇકોર્ટે પીડિતોને વળતર આપવાનો પણ આદેશ આપ્યો હતો. વિસ્ફોટોમાં માર્યા ગયેલા 56 લોકોના પરિવારોને 10 લાખ રૂપિયા વળતર મળશે અને 200થી વધુ ઘાયલોને 1 લાખ રૂપિયા મળશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગુજરાત હાઈકોર્ટે 2008 અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Serial Blast Case) સંભળાવ્યો ચુકાદો
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Serial Blast Case) દેશના ન્યાયિક ઇતિહાસમાં એકસાથે સૌથી વધુ 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજ્ય સરકારે ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

26 જુલાઈ, 2008ના રોજ સાંજે અંદાજે 90 મિનિટના સમયગાળામાં અમદાવાદ શહેરના 20 અલગ-અલગ સ્થળોએ 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast Case) કરવામાં આવ્યા હતા. સાઇકલ, કાર અને બસમાં રાખવામાં આવેલા બોમ્બ વિસ્ફોટોથી (Serial Blast Case ) સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ હુમલામાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સિવિલ હોસ્પિટલ (Civil Hospital) અને એલ.જી. હોસ્પિટલની (L. G. Hospital) બહાર પાર્ક કરાયેલા વાહનોમાં પણ વિસ્ફોટ કરાયા હતા, જેના કારણે બચાવ કામગીરી દરમિયાન પણ નુકસાન થયું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં (Surat) 15 મળી કુલ 35 FIR નોંધવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં 99 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 82 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તબક્કાવાર કુલ 548 ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન લગભગ 6 હજાર દસ્તાવેજી પુરાવા અને 1,163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સમગ્ર કેસનો ચુકાદો લગભગ 7 હજાર પાનાંમાં તૈયાર થયો હતો, જ્યારે કેસની પેપરબુકનો જથ્થો અંદાજે 7.88 લાખ પાનાંનો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તપાસમાં સામે આવ્યું હતું કે કેટલાક આરોપીઓએ પંચમહાલ (Panchamahal) જિલ્લાના હાલોલ (Halol) નજીક યોજાયેલા કેમ્પમાં તાલીમ લીધી હતી. ઉપરાંત કેરળમાં (Kerala) પણ આતંકી તાલીમ કેમ્પમાં ભાગ લેવાયો હોવાનો ખુલાસો થયો હતો.તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ કેમ્પ દરમિયાન વિસ્ફોટકો બનાવવાની તાલીમ, જેહાદી વિચારધારાના ભાષણો અને ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવવાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આરોપીઓ વિવિધ રાજ્યોમાંથી આવી આ કેમ્પમાં જોડાયા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની (Ahmedabad Serial Blast Case) અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ હાથ ધરાઈ હતી. 2022માં કેસના 14 વર્ષ પછી, સેશન્સ કોર્ટે 38 આરોપીઓને મૃત્યુદંડ અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આ કેસને દુર્લભ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે મૃત્યુદંડ યોગ્ય હતો. તેણે માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારોને વળતર આપવાનો પણ આદેશ આપ્યો હતો. આ પહેલી વાર છે જ્યારે કોઈ કોર્ટે કોઈ કેસમાં 38 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને મૃત્યુદંડની સજા ફટકારી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ત્યારબાદ, અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના (Ahmedabad Serial Blast Case) બધા દોષિતોએ નીચલી અદાલતના નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. રાજ્ય સરકારે પણ હાઈકોર્ટ સમક્ષ મૃત્યુદંડમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. કાયદા મુજબ, કોઈપણ ગુનેગારને ફાંસી આપવા માટે હાઈકોર્ટની મંજૂરી જરૂરી છે. તેથી, સજા પામેલા દોષિતોએ નીચલી અદાલતના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
Gujarat High Court upholds the sentences of all the convicts in the 2008 Ahmedabad serial blasts case https://t.co/cTMl3PeNrX
— ANI (@ANI) July 7, 2026
