2 એપ્રિલેના બુધવારે લોકસભામાં અને ગુરુવારે રાજ્યસભામાં વક્ફ એમેન્ડમેન્ટ બિલ (Waqf Amendment Bill) પસાર થઈ ગયું. લોક્સભામાં બિલના સમર્થનમાં 288 મત અને વિરોધમાં 232 મત પડ્યા. ભાજપની સહયોગી પાર્ટીઓના સમર્થનથી આ આંકડો બહુમતના આંકડાથી આગળ જતો રહ્યો. આ બિલ અલ્પસંખ્યક કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 128 વોટ અને વિરુદ્ધમાં 95 વોટ પડ્યા હતા અને રાજ્ય સભામાં પણ બિલ પાસ થઈ ગયું છે. હવે બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

13 વર્ષમાં બમણી થઈ વક્ફની (Waqf) સંપત્તિ
દેશમાં જમીન ધરાવવા બાબતે સેના અને રેલવે બાદ વક્ફ બોર્ડ (Waqf Board) ત્રીજી સૌથી મોટી સંસ્થા છે. આરંભમાં સમગ્ર ભારતમાં વક્ફ બોર્ડ (Waqf Board) પાસે લગભગ 52 હજાર સંપત્તિઓ હતી. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અલ્પસંખ્યક મંત્રાલયે લોકસભામાં વક્ફ બોર્ડની (Waqf Board) સંપત્તિઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે મુસ્લિમોની આ સંસ્થા પાસે ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 8,65,646 અચલ સંપત્તિ હતી. પત્રિકાના જણાવ્યા મુજબ 13 વર્ષમાં જ વક્ફ બોર્ડની (Waqf Board) સંપત્તિ બમણી થઈ ગઈ. ભારતમાં વક્ફ બોર્ડ પાસે 2009 સુધીમાં ચાર લાખ એકર જમીન પર 3 લાખ રજિસ્ટર્ડ સંપત્તિઓ હતી અને આજની તારીખમાં આઠ લાખ એકરથી વધુ જમીન પર 8,72,292 સંપત્તિઓ છે.
વક્ફ બોર્ડની જંગમ મિલ્કત જોઈએ તો ગુજરાત દેશભરમાં બીજા નંબરે આવે છે. જેમાં સૌથી વધુ 8605 મિલ્કત તમિલનાડુમાં છે જ્યારે 5418 મિલ્કતો ગુજરાતમાં છે. ત્યારબાદ કર્ણાટકમાં 1801 મિલ્કત છે. સમગ્ર દેશમાં વક્ફ બોર્ડ કુલ 16712 જંગમ સંપત્તિ ધરાવે છે.
ગુજરાતમાં વક્ફ બોર્ડની સંપત્તિ કેટલી?
ગુજરાતમાં વક્ફ બોર્ડની (Waqf Board) કેટલી સંપત્તિ છે? ઉપલબ્ધ માહિતી મુજબ ગુજરાતમાં ગુજરાતમાં વક્ફ બોર્ડની સંપત્તિની સંખ્યા 39,000 કરતા વધુ સ્થાવર અને બાકીની જંગમ સંપત્તિ સાથે 45 હજાર કરતા વધારે સંપત્તિ છે. વક્ફ બોર્ડની સંપત્તિમાં માત્ર કબ્રસ્તાન, મદરેસા, મસ્જિદ જેવી સંપત્તિઓ છે એટલું જ નહીં પરંતુ રહેઠાણ, ખેતીની જમીનો, દુકાનો તળાવો, પ્લોટ વગેરે પણ સામેલ છે.
ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ સંપત્તિ
ગુજરાતમાં વક્ફ બોર્ડની કુલ સંપત્તિ 39,940 છે જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 15425 સંપત્તિ, ત્યારબાદ સુરતમાં 8453, પછી ભરુચ 4163 મિલકત ધરાવે છે. જમીનની વાત કરીએ તો સૌથી વધુ ખેતી લાયક જમીન 918 વક્ફ બોર્ડ ભરૂચ જિલ્લામાં ધરાવે છે.
ગુજરાતમાં વક્ફ બોર્ડ (Waqf Board) પાસે કુલ જે સંપત્તિ છે તેનું વર્ગીકરણ જોઈએ તો 12,395 ઘર, ખેતીલાયક જમીન 3,264, બિલ્ડિંગ 653, દરગાહ કે મકબરા 1,734, ધાર્મિક શિક્ષણ પૂરું પાડતા દારૂલ ઉલુમ 19, ઈદગાહ 168, કબ્રસ્તાન, 983, મદરેસા 392, મસ્જિદ 2,999, પ્લોટ 2,235, શાળા 22, દુકાન, 6,841 અને અન્ય મિલકતો જેમ કે તળાવ સહિત કુલ 39,940 સંપત્તિ ગુજરાત વક્ફ બોર્ડ પાસે છે.

મળતી માહિતી મુજબ વક્ફ બોર્ડ હેઠળ ગુજરાતના 5 તળાવ છે જે તેના દ્વારા મેનેજ થાય છે. આ 5માંથી 3 તળાવ અમદાવાદમાં જ્યારે 2 તળાવ સુરતમાં આવેલા છે. ગુજરાતભરમાં થઈને બોર્ડ પાસે 12,395 રહેઠાણો છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં છે અને ત્યારબાદ સુરત, ભરૂચ અને કચ્છમાં છે. જ્યાં ક્રમશ: 6451, 3373, 851, 424 રહેઠાણ છે. પ્લોટની વાત કરીએ તો વક્ફ બોર્ડ અધિકૃત રીતે ગુજરાતમાં 2,235 પ્લોટ ધરાવે છે. જેમાં સૌથી વધુ સુરતમાં 700 પ્લોટ છે. ત્યારબાદ 694 ભરૂચમાં અને વડોદરામાં 293 પ્લોટ છે.
અમદાવાદમાં વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ 15,425 સંપત્તિ નોંધાયેલી છે જેમાં 6,451 ઘર, ખેતીલાયક જમીન 125, બિલ્ડિંગ 499, મકબરા કે દરગાહ 464, 4 દારૂલ ઉલુમ, ઈદગાહ 5, 49 મદરેસા, 808 મસ્જિદ, 143 પ્લોટ, 7 શાળા, 4,450 દુકાનો અને અન્ય 2,301 થઈને કુલ 15,425 સંપત્તિ છે. જ્યારે સુરતમાં જે 8453 સંપત્તિ છે તેમાં 3373 ઘર, 354 મસ્જિદ, 700 પ્લોટ, ખેતીલાયક જમીન 714, બિલ્ડિંગ 65, દરગાહ અને મકબરા 179, કબ્રસ્તાન 165, 700 શાળાઓ સામેલ છે.
ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ બોર્ડની સંપત્તિ ભરૂચમાં છે. વક્ફ બોર્ડ ભરૂચમાં 4163 સંપત્તિ ધરાવે છે જેમાં 918 ખેતીલાયક જમીન, 851 ઘર, મકબરા અને દરગાહ 59, જ્યારે 64 મદરેસા, 87 કબ્રસ્તાન, 21 બિલ્ડિંગ, એક દારૂલ ઉલુમ, 694 પ્લોટ, 7 શાળાઓ, 211 દુકાન સહિત સંપત્તિ સામેલ છે.

દેશભરમાં વક્ફ બોર્ડની જે સ્થાવર મિલ્કતો છે તેમાં ગુજરાત 39940 મિલ્કતો સાથે આઠમા ક્રમે છે. પ્રથમ ક્રમે 232547 સંપત્તિ સાથે યુપી છે. જ્યારે 80480 મિલકતો સાથે પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે. 75965 મિલ્કતો સાથે પંજાબ ત્રીજા ક્રમે, 66092 મિલકતો સાથે તમિલનાડુ ચોથા ક્રમે, ત્યારબાદ 62830 મિલકતો સાથે કર્ણાટક આવે છે. 53279 મિલકતો સાથે કેરળ છઠ્ઠા ક્રમે, 45682 મિલકતો સાથે તેલંગણા સાતમે ક્રમે અને ગુજરાત 39940 મિલકતો સાથે આઠમા ક્રમે આવે છે.
[…] વકફ એમેન્ડમેન્ટ બિલ કાયદો (Waqf Law) બનતાની સાથે જ તેને રદ્દ કરવાની માંગણી વેગ પકડવા લાગી. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજીઓમાં આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારો આજે વહેલી સુનાવણી માટે CJI સમક્ષ અપીલ કરી શકે છે. […]
[…] મુદ્દા પર બોલતા જૈને કહ્યું, ‘વકફ બોર્ડ સંબંધિત કેસની સુનાવણી આગામી 16 […]