અમદાવાદ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) ઘટનાસ્થાનેથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમને મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસ બાદ જાણી શકાશે કે કેવી રીતે શું ઘટના બની હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે જેમાં 220 લોકોના DNA માટે સેમ્પલિંગની કાર્યવાહી થઈ ચૂકી છે. મળતી માહિતી મુજબ 270થી વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોનાં સગાં-સંબંધીઓ માટે સર્કિટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ રોકાણની તથા સિવિલ હોસ્પિટલથી અન્ય સ્થળોએ પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રવાસીઓના કુટુંબીજનો અથવા સગા-સંબંધીઓ દુર્ઘટના અંતગત અમદાવાદ આવ્યા હોય તેમણે આ વ્યવસ્થા માટે જાહેર કરાયેલા ફોન નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
કંટ્રોલ રૂમ ફોન નં.-079-23251900
કંટ્રોલ રૂમ મોબાઇલ નં.- 9978405304
કૃણાલ પટેલ (માર્ગ-મકાન વિભાગ): 9429610137
અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) તપાસમાં એનઆઈએની ટીમ જોડાઈ: સૂત્ર
અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) દુર્ઘટનાની તપાસમાં NIA (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ની ટીમ પણ જોડાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અન્ય એજન્સીઓ સાથે પણ NIA ટીમ સંકલન કરી રહી હોવાની વિગત જાણવા મળી છે. મળતી માહિતી મુજબ આજે NIAની ટીમ દુર્ઘટના સ્થળે જઈને તપાસ કરી છે અને હજી સાંજે ફરીથી તપાસ માટે આવે તેવી સંભાવના દર્શાવાઈ રહી છે.

અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) અંગે વિવિધ તપાસ એજન્સીના 60 લોકોની ટીમ ધટના સ્થળે તપાસ કરી રહી છે. અલગ અલગ એજન્સી દુર્ઘટના સ્થળેથી તુટી પડેલા પ્લેનમાંથી સેમ્પલ લઈ રહી છે. એર ઈન્ડિયાના બોઈગ 787 વિમાનની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે થશે એવું જાણવા મળી રહ્યું છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ટીમ, અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) તથા ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) દ્વારા પણ તપાસ કરાઈ રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ પ્લેન ક્રેશમાં (Ahmedabad Plane Crash) મૃત્યુ પામેલા ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આ અંગે એક ભાવુક પોસ્ટ કરતા લખ્યું કે,

‘વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં ‘ઈઝ ઑફ લિવિંગ’ એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના…
ૐ શાંતિ…!!
વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે… pic.twitter.com/Yewze1sWjY
— Narendra Modi (@narendramodi) June 13, 2025
ગુજરાત ATSને DVR મળ્યું
અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) મામલે ગુજરાત ATSના એક અધિકારીએ જણાવ્યું કે, ક્રેશ થયેલા એર ઇન્ડિયા પ્લેનના કાટમાળમાંથી અમને DVR (ડિજિટલ વીડિયો રેકોર્ડિંગ) મળ્યું છે. FSLની ટીમ પણ થોડીવારમાં આવી પહોંચશે.
બ્લેક બોક્સ મળી આવ્યું
અમદાવાદ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) ઘટના સ્થળેથી પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમને મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસ બાદ જાણી શકાશે કે કેવી રીતે શું ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે કોઈપણ વિમાન અકસ્માતની તપાસમાં બ્લેક બોક્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમે ફ્લાઈટની ટેલમાંથી બ્લેક બોક્સ કાઢ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

બ્લેક બોક્સ શું છે?
બ્લેક બોક્સમાં એક નાનું સિગ્નલ આપતું ઉપકરણ પણ છે, જે પાણીમાં પડે તોપણ, 30 દિવસ સુધી એના સ્થાન વિશે માહિતી આપે છે, જેથી એ શોધી શકાય. બ્લેક બોક્સ બે ભાગનું બનેલું હોય છે. એક ભાગ પાઇલટ્સના અવાજો અને કોકપીટ વાતચીત રેકોર્ડ કરે છે, જેને CVR કહેવામાં આવે છે. બીજો ભાગ વિમાનની તકનીકી માહિતી, જેમ કે ગતિ, ઊંચાઈ, દિશા, એન્જિનની સ્થિતિ વગેરે સાચવે છે. એને FDR કહેવામાં આવે છે. જ્યારે વિમાન ક્રેશ થાય છે ત્યારે બ્લેક બોક્સમાં હાજર આ ડેટા સુરક્ષિત રહે છે, કારણ કે એ ખૂબ જ મજબૂત બનાવવામાં આવે છે. વિમાનને લગતી સૌથી મહત્ત્વપૂર્ણ માહિતી બ્લેક બોક્સમાં રેકોર્ડ થયેલી હોય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની શાહી હજુ સુકાઈ નથી ત્યાં કેદારનાથથી (Kedarnath) શ્રદ્ધાળુઓને લઈને ગુપ્તકાશી પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક ધુરી ખાર્ક પાસે ક્રેશ થયું હોવાની દુઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોતની આશંકા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ અકસ્માતની પુષ્ટિ કરી છે. […]
[…] અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે વિમાન તુટી પડવાની (Plane Crash) દુર્ઘટનામાં તુર્કીની (Turkey) એજન્સી […]