Spread the love

લોક ડાઉનથી સતત બંધ રહેલી અમદાવાદની સ્થાનિક વાહનવ્યવહાર સેવા એએમટીએસ તથા બીઆરટીએસ આજથી પૂર્વવત શરૂ થઈ ગઈ.


  • ગત 22મી માર્ચ જાણતા કરફ્યુથી એએમટીએસ તથા બીઆરટીએસ બંધ કરાઇ હતી.

  • અનલોક શરૂ થયા બાદ આંશિક બસ સેવા શરૂ કરાઇ હતી જેમાં બ્રિજ ક્રોસ થતો નહોતો.

  • આજથી એએમટીએસ તથા બીઆરટીએસ પોતાના જૂના અંદાજમાં શરૂ થઈ છે.

જાણતા કરફ્યુથી લોક ડાઉનના સમયગાળા દરમિયાન અમદાવાદની સ્થાનિક બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી જે આજથી પૂર્વવત થઈ છે.


સત્તાવાળાઓ દ્વારા નિર્ણય




અમદાવાદમા કોરોનની તિવ્રતા ઓછી થતાં સત્તાવાળાઓ દ્વારા નિર્ણય લેવાયો હતો કે લોક ડાઉન પહેલા જે રીતે એએમટીએસ તથા બીઆરટીએસ બસો પૂર્વવત શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો તે મુજબ આજે અમદાવાદની આગવી ઓળખ સમાન એએમટીએસ આજે રસ્તા ઉપર જોવા મળી હતી.


શહેરીજનોમાં આનંદની લાગણી


આશરે 6 મહિનાથી બંધ રહેલી અમદાવાદ શહેરની સ્થાનિક બસ સેવા આજથી પૂર્વવત થતાં શહેરીજનોમાં આનંદની લાગણી જોઈ શકતી હતી. સ્થાનિક બસ સેવા શરૂ થતાં ખાસ કરીને રોજબરોજ નોકરી અર્થે અપડાઉન કરતાં મધ્યમ વર્ગના લોકોમાં વધુ ખુશી જોઈ શકાતી હતી.


50 ટકા ક્ષમતા સાથે બસો ચાલશે


કોરોનાની સ્થિતિ જોતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને બસસેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો જેમાં બસો પોતાની સીટ ક્ષમતા કરતાં 50 ટકા ક્ષમતા સાથે દોડશે સાથે સાથે ઊભા રહેવાની કોઈ જ પરવાનગી આપવામાં આવી નથી. આ ઉપરાંત પ્રવાસીઓએ પોતાના હાથ સેનિટાઈઝ કરવાના રહેશે.


એએમટીએસ તથા બીઆરટીએસની મળીને 900 કરતાં વધુ બસો પૂર્વવત થઈ


એએમટીએસ ના 149 રુટ ઉપર 650 બસો દોડશે તથા 50 બસો સ્પેરમાં રહેશે તથા 13 બીઆરટીએસ રુટ ઉપર 200 કરતાં વધુ બસો શરૂ થઈ ગઈ હતી જે અનલોક શરૂ થયા બાદ આંશિક રીતે શરૂ થઈ ત્યારે એએમટીએસના 77 રૂટ ઉપર 355 બસો દોડતી હતી તથા બીઆરટીએસના 8 રૂટ ઉપર 125 બસો દોડતી હતી.



Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.