Spread the love

– રાંધણગેસના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો

– ગૃહિણીને ઘરનું બજેટ ફરી ખોરવાયું

– પેટ્રોલ, ડિઝલ, દૂધ બાદ ગેસ સિલિન્ડરના ભાવ વધતા મધ્યમ વર્ગ પર પડતાં ઉપર પાટુ

રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો

સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની 1 લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી હોય છે. આ મહિને સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો છે. ચોતરફથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા ઉપર ગેસના ભાવ વધતા વધુ એક થપાટ પડી છે.

દેશના જુદા જુદા શહેરોમાં ગેસ સિલિન્ડરના ભાવ

આજથી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા 25.50 રૂપિયાના વધારા બાદ દેશના જુદા જુદા શહેરોમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ બદલાયા છે. રાજધાની દિલ્હી તથા આર્થિક રાજધાની મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 834.50 રૂપિયા, કોલકાતામાં 861 રૂપિયા, લખનૌમાં 872.50 રૂપિયા તથા અમદાવાદમાં 841.50 રૂપિયા ગ્રાહકોને ચુકવવા પડશે.

ગુજરાતના શહેરોમાં રાંધણગેસના સિલિન્ડરના નવા ભાવ આશરે નીચે મુજબ હોઈ શકે છે

શહેર જુલાઈ 2021 જૂન 2021 અમદાવાદ ₹ 841.50 ₹ 816 અમરેલી ₹ 854 ₹ 828.50 આણંદ ₹ 840.50 ₹ 815 અરવલ્લી ₹ 849 ₹ 823.50 ભરુચ ₹ 840.50 ₹ 815 ભાવનગર ₹ 842.50 ₹ 817 બોટાદ. ₹ 848 ₹ 822.50 છોટાઉદેપુર ₹ 849 ₹ 823.50 દાહોદ ₹ 861.50 ₹ 836.50 દેવભૂમિ દ્વારકા ₹ 853.50 ₹ 828 ગાંધીનગર ₹ 842.50 ₹ 817 ગીર સોમનાથ ₹ 855.50 ₹ 830 જામનગર ₹ 847 ₹ 821.50 જૂનાગઢ ₹ 853.50 ₹ 828 ખેડા ₹ 841.50 ₹ 816 મહેસાણા ₹ 843 ₹ 817.50 મોરબી ₹ 845.50 ₹ 820 નવસારી ₹ 849 ₹ 823.50 પાટણ ₹ 858.50 ₹ 833 પોરબંદર ₹ 855.50 ₹ 830 રાજકોટ ₹ 840 ₹ 814.50 સુરત ₹ 840 ₹ 814.50 સુરેન્દ્રનગર ₹ 847 ₹ 821.50 વડોદરા ₹ 840.50 ₹ 815 વલસાડ ₹ 854 ₹ 828.50

ઓઈલ કંપનીઓએ ક્યારે ક્યારે ભાવમાં ફેરફાર કર્યા

સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની 1 લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી હોય છે. મે મહિનામાં ઓઈલ કંપનીઓએ રાંધણગેસના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો જ્યારે એપ્રિલ મહિનામાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહિનામાં ભાવ વધ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં ગેસના સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *