Spread the love

– વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા

– સાધુ સંતોની હાજરીમાં યોજાયો સમારંભ

– કુલ 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા

ગુજરાત સરકારના પ્રધાનમંડળનો શપથ ગ્રહણ સમારોહ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવ્યા બાદ આજે નવી સરકારની શપથવિધી પૂર્ણ થઈ. ભુપેન્દ્ર પટેલે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારબાદ 8 કેબિનેટ પ્રધાન, 2 રાજ્ય કક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો) તથા 6 રાજ્ય કક્ષાના પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા.

આ મંત્રીઓએ લીધા શપથ

– કનુભાઈ દેસાઈ – કેબિનેટ મંત્રી
– ઋષિકેશ પટેલ – કેબિનેટ મંત્રી
– રાઘવજીભાઈ પટેલ – કેબિનેટ મંત્રી
– બળવંતસિંહ રાજપૂત – કેબિનેટ મંત્રી
– કુંવરજી બાવળિયા – કેબિનેટ મંત્રી
– મુળુભાઈ બેરા – કેબિનેટ મંત્રી
– કુબેરભાઈ ડિંડોર – કેબિનેટ મંત્રી
– ભાનુબેન બાબરિયા – કેબિનેટ મંત્રી
– હર્ષ રમેશકુમાર સંઘવી – રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો
– જગદીશ વિશ્વકર્મા – રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો
– પરષોત્તમ સોલંકી – રાજ્યકક્ષાના મંત્રી
– બચુભાઈ ખાબડ – રાજ્યકક્ષાના મંત્રી
– મુકેશ પટેલ – રાજ્યકક્ષાના મંત્રી
– પ્રફૂલ્લ પાનસેરિયા – રાજ્યકક્ષાના મંત્રી
– ભીખુસિંહ પરમાર – રાજ્યકક્ષાના મંત્રી
– કુંવરજી હળપતિ – રાજ્યકક્ષાના મંત્રી

શપથની આગલી રાત્રે મંત્રીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી

શપથની આગલી રાત્રે ગાંધીનગર કમલમમાંથી નેતાઓને ફોન કરવામાં આવ્યા હતા. આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રીમંડળના 16 સભ્યોએ શપથ ગ્રહણ કર્યા. જોકે કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવ્યા બાદ ગાંધીનગર ખાતે મંત્રીમંડળના સભ્યોનાં નામ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે ગાંધીનગર શ્રી કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, ભાનુબહેન બાબરિયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના નેતાઓને કોલ કરવામાં આવ્યો હતો.

કોણ કોણ રહ્યા ઉપસ્થિત

શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યાં છે. ભાજપના બધા જ નવા જીતેલા ધારાસભ્યો પણ શપથવિધીમાં હાજર થઈ ગયાં છે. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા પણ નવી સરકારની શપથવિધીમાં ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *