– ભારતે ચીની નાગરિકોના ટુરિસ્ટ વિઝા રદ્દ કર્યા.
– ચીન 20,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને પરત ફરવા મંજૂરી નથી આપતું
– ભારતે આપ્યો મજબૂત વળતો ઉત્તર
ભારતે ચીન પર કર્યો વળતો પ્રહાર
ભારતે ચીનના નાગરિકોના ટુરિસ્ટ વિઝા રદ્દ કરી દીધા છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ અસોસિએશન (IATA)ના જણાવ્યા પ્રમાણે ભારતે ચીની નાગરિકો માટે જાહેર કરેલા ટુરિસ્ટ વિઝા હવેથી માન્ય નહીં ગણાય. જોકે ચીની નાગરિકોને વેપાર, રોજગાર, રાજદ્વારી અને સત્તાવાર વિઝા આપી રહ્યું છે એમ ટોચના અધિકારીઓના કહેવા પ્રમાણે જાણકારી મળી છે.
વિદેશમંત્રીએ આ મામલે ચીની વિદેશમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગયા મહિને ભારત પ્રવાસે આવેલા પોતાના સમકક્ષ ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી પરંતુ હજુ સુધી બેઈજિંગ તરફથી કોઈ જવાબ નથી આવ્યો.
શું છે મામલો ?
ભારતના ચીનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોનાના કારણે ભારત પાછા આવી ગયા હતા અને હવે તેઓએ અભ્યાસ પૂરો કરવા માટે ચીનની મંજૂરી માગી તો તેમને વેઈટિંગ લિસ્ટમાં રાખી દેવામાં આવ્યા હતા. ચીન 20,000થી વધારે ભારતીય વિદ્યાર્થીઓને પરત આવવા મંજૂરી નથી આપી રહ્યું. ત્યારે ભારતે વળતો પ્રહાર કરતું પગલું ભરીને ચીની નાગરિકોના ટુરિસ્ટ વિઝા રદ્દ કરી દીધા છે. ચીને જોકે થાઈલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાના વિદ્યાર્થીઓને પરત આવવાની મંજૂરી અપાયા બાદ પણ વેઈટિંગ લિસ્ટમાં રાખ્યા છે.