– પાલનપુર સર્કિટ હાઉસમાંથી કરાઈ ધરપકડ
– હવાઈ માર્ગે આસામ લઈ જવાયા
– કૉંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કર્યું

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે કરી ધરપકડ
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જાણકારી આપી હતી.
આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જો કે પોલીસ દ્વારા હજુ FIRની નકલ આપવામાં આવી નથી તેથી કયા કેસમાં મેવાણીની ધરપકડ કરાઈ એ હાલ જાણી શકાયું નથી. આસામ પોલીસે કેટલાક કેસો અંગે મેવાણીની ધરપકડ કરી હોવાની હાલ માહિતી મળી છે.

કૉંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કર્યું
મધરાતે આશરે 3.30 વાગ્યે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી હતી. આ મામલા સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, ‘લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે. ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું.’ કોંગ્રેસના અન્ય સિનિયર નેતાઓ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી પણ જિજ્ઞેશ મેવાણીને મળવા એરપોર્ટ પહોંચ્યાં હતા. ઉલ્લેખનિય છે કે જિજ્ઞેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મધરાતે વિમાન મારફતે આસામ લઈ જવામાં આવ્યા છે.