Kerala
Spread the love

કેરળ (Kerala) માં આ પહેલીવાર નથી જ્યારે હમાસના નેતાઓના બેનર આ રીતે ખુલ્લેઆમ લહેરાવામાં આવ્યા હોય. આ પહેલા પણ હમાસના એક નેતાએ કેરળમાં એક રેલીને સંબોધીને હંગામો મચાવ્યો હતો.

કેરળ (Kerala) ના પલક્કડ જિલ્લામાં એક મસ્જિદના વાર્ષિક ઉત્સવના જુલૂસમાં હમાસ અને હિઝબુલ્લાના ટોપ લીડર્સના બેનર્સ લહેરાવવામાં આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હમાસના નેતાઓ યાહ્યા સિનવર અને ઈસ્માઈલ હાનિયાના ચિત્રો બેનરો પર જોવા મળ્યા હતા જેમાં ‘થરાવાડી, થેક્કેભાગમ’ (જેનો અર્થ ‘પૂર્વજો, દક્ષિણ ભાગ’ થાય છે) શબ્દો લખેલા હતા. આ બેનરો હાથીઓ પર સવાર એક જૂથ દ્વારા ફરકાવવામાં આવ્યા હતા. આ મામલો સામે આવતાં જ ભાજપે તેના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે ડાબેરી સરકારમાં કટ્ટરવાદી તત્વો વધી રહ્યા છે.

કેરળ (Kerala) ના પલક્કડના ત્રિથલામાં આવેલી મસ્જિદના વાર્ષિક “ઉર્સ” ની ઘટના

16 ફેબ્રુઆરીની સાંજે કેરળ (Kerala) ના પલક્કડના ત્રિથલામાં આવેલી મસ્જિદના વાર્ષિક “ઉર્સ” ના ભાગ રૂપે 3,000 થી વધુ લોકોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. કેરળ (Kerala) ના પલક્કડના આ ઉર્સમાં હમાસ (Hamas) અને હિજબુલ્લાહના નેતાઓના બેનરો દર્શાવવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ ચર્ચા થવા માંડી છે. કેરળ (Kerala) ના પલક્કડના ઉર્સના આયોજકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનું આયોજન વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ તસવીરો ત્રિથલાના એક વિસ્તારની છે, જ્યાં ઘણા જૂથ અલગ-અલગ પ્રદર્શન કરી રહ્યા હતા.

લોકો સિનવાર અને હાનિયાના પોસ્ટરો લહેરાવતા જોવા મળ્યા હતા અને સમગ્ર શોભાયાત્રા દરમિયાન ભીડે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઘટના સામે આવતા ઝડપથી વિવાદ ઉભો થયો હતો, અને ઘણા લોકોએ આવા પ્રદર્શનને મંજૂરી આપવા માટે ઉત્સવના આયોજકોને પ્રશ્ન કર્યો હતો.

કેરલના મંત્રી અને કોંગ્રેસના નેતા રહ્યા હાજર

આ કાર્યક્રમમાં મંત્રી એમ.બી.રાજેશ અને કોંગ્રેસ નેતા વીટી બલરામ જેવી અગ્રણી હસ્તીઓની સહભાગિતાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, જો કે, બેનર્સ અંગે ઉર્સ ના આયોજકોએ બચાવની મુદ્રામાં જણાયા હતા અને તેમણે જણાવ્યું કે બેનર્સ લહેરાવવાનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું ન હતું, બલ્કે ઘણા જૂથો શોભાયાત્રામાં સામેલ હતા અને તેમાંથી એક જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઘટના કેરળ (Kerala) રાજ્યમાં તાજેતરની પેલેસ્ટાઈન તરફી રેલીઓનું પુનરાવર્તન અથવા અનુવર્તન જ જણાઈ રહ્યું છે. 2024 માં, કેરળ યુનિવર્સિટીના વાર્ષિક યુવા ઉત્સવમાં પેલેસ્ટાઇન-ઇઝરાયેલ સંઘર્ષ અને હમાસ દ્વારા જેનો ઉપયોગ થતો હતો તે શબ્દ ‘ઇન્તિફાદા’ ના શીર્ષકથી મોટો વિવાદ થયો હતો. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મોહનન કુનુમ્મલે નિર્દેશ આપ્યો છે કે તહેવારની તમામ પ્રમોશનલ સામગ્રી, પોસ્ટરો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ શબ્દ દૂર કરવામાં આવે. પરિણામે, ઇવેન્ટનું નામ બદલીને ‘કેરળ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ’ રાખવામાં આવ્યું.

ઓક્ટોબર 2023 માં, કેરળ (Kerala) રાજ્યમાં હમાસના ભૂતપૂર્વ વડા ખાલેદ મશાલે મલપ્પુરમમાં જમાત-એ-ઈસ્લામી યુવા પાંખ, સોલિડેરિટી યુથ મૂવમેન્ટ દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરી હતી. આ સંગઠને ‘હિંદુત્વ અને રંગભેદી ઝાયોનિઝમને ઉખેડી નાખો’ નામનું અભિયાન શરૂ કર્યું હતું. ભાજપે આ કાર્યક્રમોમાં હમાસના નેતાઓની ભાગીદારીની સખત નિંદા કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને આ ભાગીદારીને ‘ચરમપંથી’ ગણાવી અને આ મામલે તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું, “ધર્મનિરપેક્ષ કેરળમાં સ્થિતિ આવી બની છે. “હમાસના ઉગ્રવાદીઓ કેરળમાં કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.” તેમણે એમ પણ કહ્યું કે ખાલેદ મશાલને વિઝા આપવામાં ન હોવાને કારણે તેણે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *