Jamaat e Islami
Spread the love

જમાત-એ-ઈસ્લામી (Jamaat e Islami) પાકિસ્તાનના વડા હાફિઝ નઈમે લાહોરમાં એક કાર્યક્રમમાં ભારતને લઈને મોટો દાવો કર્યો છે. નઈમે કહ્યું કે ભારત અને તેની ગુપ્તચર સંસ્થા રૉએ છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં ઘણા પાકિસ્તાની આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી નાખ્યા છે અને પાકિસ્તાન માટે આ શરમજનક બાબત છે કે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. નઈમે સનસનાટીપૂર્ણ દાવો કર્યો કે પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખે ભારત સાથે ગુપ્ત સમજૂતી કરી હતી.

પાકિસ્તાને ભારત સાથે ડીલ કરી હતી?

લાઈવ મિન્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જમાત-એ-ઈસ્લામી (Jamaat e Islami) પાકિસ્તાનના વડા હાફિઝ નઈમ-ઉર-રહેમાને બુધવારે એવી ઉશ્કેરણીજનક વાત કરી કે કાશ્મીર ‘હિંદુ બ્રાહ્મણો’ના હાથમાં રહી શકે નહીં અને દાવો કર્યો કે પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફે ભારત સાથે ‘ગુપ્ત સમજૂતી’ કરી છે.

નઈમે લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, “ભારત અને તેની રૉએ પાકિસ્તાનમાં ઘણા લોકોને નિશાન બનાવીને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ આપણી સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ પર હુમલો છે. પરંતુ જ્યારે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ પ્રતિસાદ આપવામાં આવતો નથી…જ્યારે ભારતનો પર્દાફાશ થતો નથી…ત્યારે આપણે એવું માની શકીએ કે કદાચ તેઓએ કોઈ સમાધાન કર્યું છે.”

પાકિસ્તાનના વડાપ્રધાને અગાઉ ભારતને કરી હતી અપીલ

જમાત-એ-ઈસ્લામી (Jamaat e Islami) પાકિસ્તાનના વડા નઈમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે નવી દિલ્હીને લાંબા સમયથી ચાલી રહેલી કાશ્મીરની સ્થિતિને ઉકેલવા માટે ‘અર્થપૂર્ણ વાતચીત’ શરૂ કરવા માટે આહ્વાન કર્યું છે. દરમિયાન આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે બુધવારે પીઓકેની મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે કાશ્મીર ‘એક દિવસ’ બીજા દેશનો ભાગ બની જશે.

પાકિસ્તાનના વડાપ્રધાન કાશ્મીર પર ચર્ચા કરવા માંગે છે

પાકિસ્તાનના વડા પ્રધાને પણ ભારત પર શસ્ત્રો એકઠા કરવાનો આરોપ લગાવ્યો – તેમણે કહ્યું કે હથિયારો એકઠા કરવાથી શાંતિ નહીં આવે અને વિસ્તારના લોકોનું ભાગ્ય બદલાશે નહીં. તેમણે અન્ય દેશને ‘સમજદારીપૂર્વક’ વર્તવા વિનંતી કરી અને પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાન અને ભારત માટે મંત્રણા જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. શરીફે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે કાશ્મીર સહિતના તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવામાં આવે. ભારતે 5 ઓગસ્ટ, 2019ની વિચારસરણીમાંથી બહાર આવવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રને આપેલા વચનો પૂરા કરવા જોઈએ અને મંત્રણા શરૂ કરવી જોઈએ.”


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “પાકિસ્તાનની જમાત-એ-ઈસ્લામી (Jamaat e Islami) પોતાની સરકાર પર ભડકી: ભારત અમને મારી રહ્યું છે… કયા ‘સિક્રેટ ડીલ’ની ચર્ચા થઈ રહી છે?”
  1. […] દુશ્મન નંબર વન જહન્નમ પહોંચી ગયો? પાકિસ્તાની આતંકી (Pakistani Terrorist) હાફિઝ સઈદને (Hafiz Saeed) લઈને […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *