Spread the love

  • ખાલીસ્તાની આતંકી નિજજરની હત્યા
  • 1999 માં વિમાન હાઈજેક કરનારાની હત્યા
  • પાકિસ્તાનમાં હાફિઝ સઇદના ખાસ આતંકીની હત્યા

ભારતનો આ દુશ્મન કરાચીમાં માર્યો ગયો છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને અન્ય જગ્યાઓએ વિદેશોમાં ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓ પર રહસ્યમય હુમલાઓ થઈ રહ્યા છે અને તેમની સંખ્યા વધી રહી છે. કેટલીક ઘટનાઓમાં એવા આતંકવાદીઓની હત્યા થઈ રહી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર, પરમજીત સિંહ પંજવાર, અવતાર સિંહ ઉર્ફે ખંડા,  પાકિસ્તાની આતંકવાદી મુફ્તી કૈસર ફારૂકએ આતંકવાદના ચહેરા છે જેઓ છેલ્લા કેટલાક મહિનામાં માર્યા ગયા છે.

હમણાં સમાચાર આવ્યા કે પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા હાફિઝ સઈદના ખાસ ગણાતા મુફ્તી કૈસર ફારૂકની હત્યા કરવામાં આવી છે. મુફ્તી કૈસર ફારૂક પાકિસ્તાનમાં રહેલા હાફિઝ સઈદના સંગઠન લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. કરાચી પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા બાઈક સવારોએ ફારૂક પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. બાઇક સવારોની ઓળખ થઇ નથી. ફારુકને ટાર્ગેટ કરીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ફાયરિંગમાં ફારૂકની સાથે રહેલો એક બાળક થોડો ઘાયલ થયો હતો.

થોડા સમય પહેલા ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંઘના હેન્ડલર અવતારસિંહ ખાંડાનું યુકેની એક હોસ્પિટલમાં મોત થયું હતું. ખાંડાને તાજેતરમાં ટર્મિનલ કેન્સર હોવાનું નિદાન થયું હતું. પરંતુ રસપ્રદ વાત એ છે કે તેનું મૃત્યુ ઝેરને કારણે થયું હતું એવું કહેવામા આવી રહ્યું છે.

ખાલીસ્તાની આતંકી પરમજીત સિંહ પંજવાર લાહોરની સનફ્લાવર સોસાયટીમાં 6 મેના રોજ તેના ઘરની નજીક તેના રોજની જેમ મોર્નિંગ વોક પર નીકળ્યો હતો. બધુ સામાન્ય હતું અચાનક બાઇક પર આવેલા બે બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો અને ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો વડો લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડ્યો જેને મૃત જાહેર કરાયો.

જેની હત્યાના બેબુનિયાદ આરોપો કેનેડાના વડાપ્રધાન દ્વારા ભારત પર મૂકવામાં આવ્યા બાદ ભારતની ઉગ્ર પ્રતિક્રિયાને કારણે ભારત અને કેનેડાના દ્વિપક્ષીય સંબંધો તણાવગ્રસ્ત થયા છે તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હરદીપ સિંહ નિજ્જર રવિવારે સાંજે કેનેડાના સરે સ્થિત ગુરુદ્વારાથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે પાર્કિંગમાં હતો ત્યારે અજાણ્યા બંદૂકધારીઓ ધસી આવ્યા અને તેના પર ગોળીઓ વરસાવી સ્થળ પર જ ઠાર માર્યો હતો.

આવું જ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકી કૈસર ફારૂક સાથે થયું. આતંકી કૈસર ફારૂક કરાચીના પોર્ટ કાસિમમાં આવેલી જામિયા મસ્જિદનો ઈમામ હતો. ફારૂક ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાનનો રહેવાસી હતો. માત્ર 14 વર્ષની વયે લશ્કર-એ-તોયબા માં જોડાયો હતો અને લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર બન્યો હતો, કૈસર કાશ્મીરમાં લશ્કર-એ-તોયબા માટે આતંકીઓની ભરતી કરતો હતો અને જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી કરાવતો હતો. એપ્રિલ 2022માં તેણે શ્રીનગરમાં G20 કોન્ફરન્સ પર હુમલાની યોજના બનાવી હતી. તેના પર હુમલો થયો ત્યારે તે કરાચીના સોહરાબ ગોથ વિસ્તારમાં હતો. કરાચીમાં તેની હત્યા બાદ કોઈ સંગઠને તેની ઉપરના હુમલાની જવાબદારી લીધી નથી. કરાચી પોલીસ બાઈક સવારો વિશે કોઈ પણ માહિતી મેળવી શકી નથી અને હજુ અંધારામાં છે. હાલમાં જેલમાં રહેલા લશ્કર-એ-તૈયબાના આતંકી કમાન્ડર હાફિઝ સઈદ માટે આ બેવડો ફટકો છે તેનો એક પુત્ર પણ ઘણા દિવસોથી ગુમ છે અને એવું કહેવાય છે કે તેની હત્યા કરી દેવામાં આવી છે અને હવે તેના સૌથી નજીકના કમાન્ડરની અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે.

24 ડિસેમ્બર 1999ના રોજ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી 814નું અપહરણ કરવામાં આવ્યું હતું, હાઇજેક થયેલા પ્લેનને કંદહાર લઇ જવામાં આવ્યું હતું અને વિમાનમાં બેઠેલા ભારતીય નાગરિક રૂપિન કાત્યાલની હત્યા કરી દેવામાં આવી હતી બાદ ભારત સરકારે મસૂદ અઝહરને છોડવો પડ્યો હતો. અપહરણમાં ઝહૂર મિસ્ત્રી, મસૂદ અઝહરનો ભાઈ રઉફ અને ઈબ્રાહિમ અઝહર સામેલ હતા. 1 માર્ચ, 2022 ના રોજ ઈન્ડિયન એરલાઇન્સ IC 814નો હાઇજેકર અને વિમાનમાં બેઠેલા ભારતીય નાગરિક રૂપિન કાત્યાલનો હત્યારા ઝહૂર ઇબ્રાહિમ ઉર્ફે જમાલીની અજાણ્યા શખ્શો દ્વારા હત્યા કરવામાં આવી હોવાના સમાચાર પાકિસ્તાનથી આવ્યા હતા. પાકિસ્તાનમાં કરાચીની અખ્તર કોલોનીમાં રહેતા ઝહૂર મિસ્ત્રીએ પોતાનું નામ બદલીને ઝાહિદ અખુંદ રાખ્યું હતું અને કરાચીમાં ક્રેસન્ટ ફર્નિચરના નામથી ફર્નિચરનો વ્યવસાય ચલાવતો હતો. ઝહૂર મિસ્ત્રી પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના જૂથનો લીડર હતો, જેને ભારત ઘણા સમયથી શોધી રહ્યું હતું અને તે ISIના રક્ષણ હેઠળ જીવી રહ્યો હતો. ઝહૂર મિસ્ત્રીની કરાચીમાં હત્યા કરવામાં આવી ત્યારે તે અખ્તર કોલોનીમાં હાજર હતો અને તે જ સમયે 1 માર્ચે ઝહૂર પર બે અજાણ્યા બાઇક સવારોએ હુમલો કર્યો હતો અને તેના પર ધડાધડ ગોળીઓ વરસાવી હતી ઝહુરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસને સ્થળ પરથી 5 ખાલી કારતુસ મળી આવ્યા હતા.

આમાંની કોઈપણ હત્યામાં હત્યારા કોણ હતા તે કોઈને ખબર નથી. હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. તેનો અર્થ માત્ર એક જ છે – હત્યાઓ જેમની પાસે યોગ્ય કામ કરતાની સાથે જ છટકી જવાની તમામ આવડત અને તૈયારીઓ હોય એવા વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત લોકો દ્વારા કરવામાં આવી હતી. જોકે અહી એ યાદ આવે છે કે જો મરનાર કિચક હોય તો મારનાર ભીમ જ હોઈ શક


Spread the love