Conversion
Spread the love

ધર્માંતરણનો (Conversion) ખેલ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એના વરવા સ્વરૂપે બહાર આવી રહ્યો છે. આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા લોભ, લાલચ અને છેતરપીંડી કરીને ધર્માંતરણ (Conversion) કરાવવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં ધર્માંતરણનું એક નવુ જ બિભત્સ સ્વરૂપ બહાર આવ્યું છે જેનાથી ખળભળાટ મચી ગયો છે.

ભરૂચના માંડવીમાં તાજેતરમાં જે કિસ્સો બહાર આવ્યો છે તે આંખો ઉઘાડનારો છે. ખાસ કરીને ખ્રિસ્તી પાસ્ટર અને મિશનરીઓ દ્વારા જે રીતે ધર્માંતરણ (Conversion) કરાવાઈ રહ્યું છે તેનુ વરવુ ઉદાહરણ છે. ઘટનાની વિગત એવી છે કે માંડવીના એક આદિવાસી મહિલાના પતિનું સ્વાસ્થ્ય બગડતા તે મહિલા પોતાના પતિની સારવાર કરાવવા માટે માંડવીમાં આવેલા ડૉ. અંકિત ચૌધરીના ન્યુ લાઈફ ક્લિનિક ખાતે લઈ ગયા હતા. આ દરમિયાન ડૉ. અંકિત ચૌધરીએ મહિલાના પતિની સારવાર કરીને ઘેર જવા કહ્યું હતું ત્યારે દૂરથી આવતા હોઈ ઘેર સ્વાસ્થ્ય બગડે તો ફોન ઉપર જણાવવા માટે ફોન નંબર મહિલાને આપ્યો હતો. દુર્ભાગ્યે થોડા દિવસમાં મહિલાના પતિનું અવસાન થઈ ગયું હતુ.

ફોટામાં ડાબેથી ડૉ. અંકિત ચૌધરી, ડૉ. અંકિત ચૌધરીના પાસ્ટર પિતા, ડૉ. અંકિત ચૌધરીના પિતા

પતિનું અવસાન થતા મહિલાએ ડૉ. અંકિત ચૌધરીને ફોન કરીને પોતાના પતિને શું બિમારી હતી જેનાથી તેમનું મૃત્યુ થઈ ગયું તે પૃચ્છા કરવા ફોન કર્યો હતો. ફોન આવ્યા બાદ ડૉ. અંકિત ચૌધરીએ પંદર દિવસ બાદ મહિલાના નંબર ઉપરના વોટ્સએપ પર Hi લખીને સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેનો નિર્દોષતાથી અને ડોક્ટર ઉપર વિશ્વાસ રાખીને ઉત્તર આપ્યો હતો. ત્યાર બાદ ડૉ. અંકિત ચૌધરીના વારંવાર વોટ્સએપ મેસેજ આવવા લાગ્યા હતા. એક દિવસ ડૉ. અંકિતે મહિલાને ફોન કરીને મળવા માટે તેમના ક્લિનિક ઉપર બોલાવી હતી.

ડૉક્ટરે ધર્માંતરણ (Conversion) કરવા દબાણ કર્યું

મહિલા મળવા ગઈ હતી ત્યાર બાદ ડૉક્ટરે મહિલાને ભોળવવાના પ્રયાસ આરંભ કરી દીધા હતા. એક દિવસ ડૉક્ટર અંકિત ચૌધરીએ મહિલાને મીઠી મીઠી વાતો કરીને તેની સાથે લગ્ન કરવાની તથા મહિલાના પ્રથમ પતિથી થયેલી દીકરીને પણ અપનાવવાની લાલચ આપી શારિરીક સંબધ બાંધ્યા હતા. થોડાક દિવસો થતા ડૉકટર લગ્નની વાતને ટાળવા લાગ્યો હતો.

મહિલાએ દબાણ કરતા ડોક્ટરે તેને ધર્માંતરણ (Conversion) કરીને ખ્રિસ્તી બનશે તો જ લગ્ન કરીશ તેમ કહ્યું હતું. મહિલા પોતાના તથા પોતાની દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ડોક્ટરના કહેવા મુજબ બાપ્તિસમ કરાવવા અર્થાત ધર્માંતરણ (Conversion) કરવા અને ચર્ચમાં જવા તૈયાર થઈ જાય છે.

આદિવાસી મહિલા પોતાના અને પોતાની નાની છોકરીના ભવિષ્ય માટે બાપ્તીસમ/ધર્માંતરણ કરવા માટે પણ સંમત થઈ ગઈ. ડૉક્ટર અંકિત ચૌધરીના પિતાજી રામજીભાઈ દુબલભાઈ ચૌધરી જે લાખગામ, તાલુકો માંડવીમાં રહે છે અને એ ગામમાં પાસ્ટર છે. ડોક્ટર અંકિત ચૌધરીના કહેવા પ્રમાણે એના પિતા જે પાસ્ટર છે તેમણે લાખગામ ખાતે આવેલ નદીમાં આ આદિવાસી વિધવા મહિલાનું બાપ્તીસમ અર્થાત ધર્માંતરણ કરાવ્યું. જોકે ત્યારબાદ મહિલા દ્વારા ફરીથી લગ્ન માટે ડોક્ટર અંકિત ચૌધરીને વાત કરતા તેના દ્વારા ના પાડી દેવામાં આવી અને આ આદિવાસી મહિલાને તરછોડી દીધી.

ભરુચ જીલ્લાના આ શિક્ષિત ગણાતા ડોક્ટર દ્વારા કરવામાં આવેલા ધર્માંતરણના પ્રયાસમાં એક નિર્દોષ મહિલાનું જીવન અસહ્ય બની ગયું છે. મહિલાએ આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે. જોકે પોલીસ દ્વારા કાર્યવાહીમાં ગતિ ન આવતા દેવ બિરસા સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવેદન પત્રમાં આરોપી ડૉ. અંકિત ચૌધરીની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. એક ડૉક્ટર દ્વારા કરાયેલા ધર્માંતરણના પ્રયાસથી સ્થાનિકોમાં આક્રોશ અને ખળભળાટ ફેલાઈ ગયો છે. સ્થનિકોમાં ચાલતી ચર્ચા મુજબ ડૉકટર દ્વાર આકુ એક કરતા વધારે મહિલાઓ સાથે કર્યુ હોવાની શંકા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *