Spread the love

– ગુજરાતમાં 2.68 કરોડ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

– ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયની કુલ વસ્તી આશરે 4.89 કરોડ

– સમગ્ર દેશમાં રસીકરણમાં ગુજરાત ત્રીજા ક્રમે

ગુજરાતની 50% વસ્તીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

દેશની કોરોના મહામારી સામે લડાઈના મહત્વપૂર્ણ કદમ એવા વેક્સિનેશન અભિયાનમાં ગુજરાત અગ્રેસર બની રહ્યું છે. વિશ્વ યોગ દિવસ બાદ સમગ્ર દેશમાં જેમ વેક્સિન અભિયાનમાં ગતિ આવી છે એ ગતિમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતની રસીકરણની એકધારી ગતિને પ્રતાપે ગુજરાતે રાજ્યની 18 વર્ષથી વધુ વયની કુલ વસ્તીના 50% લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ તથા 12% વસ્તીને બંને ડોઝ આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ સ્થાને

ગુજરાતના 18 વર્ષથી વધુ વયના 50% લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાના સોપાન સર કરવામાં અમદાવાદ શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સમગ્ર ગુજરાતમાં થયેલા રસીકરણના આંકડા મુજબ અમદાવાદ શહેરમાં કુલ 30.46 લાખ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે જ્યારે સુરતમાં 22.44 લાખ, વડોદરામાં 12.69 લાખ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. સૌથી ઓછું રસીકરણ ડાંગ જિલ્લામાં 62507 લોકોનું થયું છે.

વયજૂથ તથા લિંગ મુજબ રસીકરણના આંકડા

ગુજરાતની 18 વર્ષથી વધુ વયની વેક્સિન લેવા માટે માન્ય એવી 4.89 લાખ વસ્તીમાંથી 18-44 વર્ષ વયજૂથના 1.06 કરોડ, 45-60 વર્ષની ઉંમર ધરાવતા 89.97 લાખ તથા 60 વર્ષથી વધુ વયના 72.05 લાખ લોકોને અત્યાર સુધી વેક્સિનનો પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.45 કરોડ પુરુષોને તથા 1.22 કરોડ મહિલાઓને વેક્સિન આપવામાં આવી છે તે જોતાં મહિલાઓની સરખામણીમાં 12% વધુ પુરુષોએ વેક્સિન લીધી છે. રાજ્યના 2.36 કરોડ કોવિશિલ્ડના તથા 31.39 લાખ ડોઝ કોવેક્સિનના આપવામાં આવ્યા છે.

રવિવારે 2.65 લાખ કરતાં વધારે લોકોને વેક્સિન અપાઈ

રવિવારે 4 થી જુલાઈના રોજ રાજ્યમાં 18-44 વયજૂથના 1.39 લાખ, 45 વર્ષથી વધુ વયના 44506 તથા 200 જેટલા આરોગ્ય કર્મચારી-ફ્રંટ લાઈન વર્કર્સે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો જ્યારે 18-44 વયજૂથના 5586 અને 6626 હેલ્થ વર્કર/ ફ્રંટ લાઈન વર્કર્સે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *